SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - વદી ૧] રાજકેટ–ચાતુર્માસ [ ૬૭૫ ખૂબ સુઈ રહેવું કે બહુ જાગતા રહેવું એ પણ રોગનું કારણ છે. કેટલાક લેકે જાગરણ કરવાને ટૅગ કરે છે પણ શાસ્ત્ર કહે છે કે વધારે સૂવું કે વધારે જાગવું એ હાનિકર છે. મલ-મૂત્રને દાબી રાખવું એ પણ રોગનું એક કારણ છે. બહુ ચાલવું અને બહુ બેસી રહેવું એ પણ રેગનું કારણ છે. પ્રકૃતિ વિરુદ્ધ ભજન કરવું એ પણ રોગનું કારણ છે. કેટલાક લેકે કહે છે કે, માંસ ખાનાર બળવાન હોય છે અને માંસ ન ખાનાર નિર્બળ હોય છે પણ આ એક ભ્રમ છે. આજે ગૌવધને કારણે પ્રકૃતિ વિરુદ્ધ ભજનની પ્રથા વધારે પ્રચલિત થઈ પડી છે અને હોટલનું તે પૂછવું જ શું? આ બધાં કારણથી પણ રેગો પેદા થાય છે. ઈજ્યિનું વિસ્ફોટન કરવું એ પણ રોગનું કારણ છે. આજે સંતતિનિયમનનાં જે ઉપાયો બતાવવામાં આવે છે તે ઉપાસે, કોઈ માણસ તિજોરી ખુલ્લી મૂકી સૂઈ રહેવાથી આનંદ મળે, એનાં જેવાં છે. આ પણ રોગનું પ્રધાન કારણ છે. આ વ કારણથી રોગ પેદાં થાય છે. જે આ નવ કારણથી બચતે રહે તે જ ધર્મનું પાલન કરી શકે છે. રોગી માણસ ધર્મની સેવા કરી શકતું નથી. તમે પણ નિરંગી બસ્તી ધર્મની સેવા કરે છે તેમાં કલ્યાણ રહેલું છે.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy