SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક છે એ વાત બ્રહ્મદત્ત ચક્રવર્તીના ચિરત્ર ઉપરથી જુએ. બ્રહ્મદત્ત ચક્રવર્તીના શરીરમાં ઘણાં સુંદર લક્ષણા હતાં અને એ સુંદર લક્ષણાને કારણે તે ચક્રવર્તી પણ થયા, પરંતુ તે જ સુલક્ષણાદ્રારા તેણે સાતમી નરકનું પાપ બાંધ્યું. આવી દશામાં તેનાં લક્ષણેા કેવાં ધાતક નીવડયાં ? માનેા કે, એક માણસ સુલક્ષણવાળા છે પણ તે તમને તલવાર લઈ મારવા આભ્યા છે, તે એ વખતે તે માણસ તમને કેા લાગશે? તમે એ માણસને માટે એમ જ કહેશે। કે આ માણસ કેવા ખરાબ લક્ષણવાળા છે! તમે તમારા માટે આ વાત જુએ છે. પણ આ જ વાત ખીજાઓ માટે પણ જુએ. જે પેાતાના સ્વાર્થ માટે ખીજા લેાકાને કષ્ટ આપે છે તે માણસ ભલે સુલક્ષણવાળા પણ હાય છતાં તે સુલક્ષણવાળા મનાતા નથી. સુલક્ષણવાળા તેા તે જ છે કે, જે કાઈ તે પણ કષ્ટ આપતા નથી પરંતુ બધા ઉપર કૃપાભાવ રાખે છે. આ જ કારણે રાજા શ્રેણિક અનાથી મુનિને માટે એમ કહે છે કે, આપનાં લક્ષણા જ સુલક્ષણા છે; ખીજાએ તે ખરાબ લક્ષણવાળા છે. કોઈ ઓ એમ વિચારે કે મારા શરીરમાં આવાં સુલક્ષણા છે અને હું આવી સુંદરી છું. આ પ્રમાણે વિચાર કરનારી સ્ત્રીમાં જો શીલનું લક્ષણ હોય તા તા ઠીક છે, નહિ તેા વેશ્યાનાં લક્ષણાને પણ સુંદર સુલક્ષણા પ્રેમ માનવામાં નહિં આવે ? રાજા કહે છે કે, પહેલાં હું એમ કહેતા હતા કે, તમે આવાં સુલક્ષણાથી યુક્ત શરીરને સયમમાં કેમ લગાડયું ? આપે સંયમ શા માટે ધારણ કર્યાં પણ હવે હું સમજી શક્યા છું કે, આપે આ શરીરને સંયમમાં લગાડી વધારે સુંદર બનાવ્યું છે અને મનુષ્યજન્મને સફળ બનાવ્યું છે. 6 જે પ્રમાણે રાજા શ્રેણિક પહેલાં કહેતા હતા કે, · આ ભરયુવાનીમાં તમે સયમ શા માટે ધારણ કરેા છે ! તમે તેા ભાગાના ઉપભોગ કરી અને મેાજમજા માણેા.’ તે જ પ્રમાણે આજના યુવકા પણ કહે છે કે, ખીજી વાતા તે તમારી પાસે રાખેા. અમને તેા એવી વાતો સંભળાવેા કે જેથી અમને મજા આવે. વળી તેઓ કહે છે કે, ધર્માંની વાત રહેવા દા, અમને તે સમાજ-સુધારની વાત કહેા. પણ ધર્મથી સમાજને સુધાર નહિ થાય એમ સમજવું એ ગંભીર ભૂલ છે.' રાજા શ્રેણિક પણ પોતે એવા સુંદર હતા કે તેને જોઈ સાધ્વીએ પણ સંયમનું મહત્ત્વ ભૂલી ગઈ હતી અને તેએએ એવું નિયાણું બાંધ્યું હતું કે, અમને તપ–સંયમના ફલ સ્વરૂપ આગલા જન્મમાં આવા જ સુંદર તિ મળે. એવા સુંદર રાજા પગુ પેાતાને ગવ ભૂલી જઈ મુનિને કહે છે કે, ‘ આપનું જ શરીર સુંદર છે અને આપે જ મનુષ્યજન્મને સુંદર લાભ લીધા છે.' રાજાના આ કથનમાં કેવી આત્મદીનતા જણાય છે ! તમે પણ આ વાતને વિચાર કરી તમારા આત્માને ઉન્નત બનાવેા. આત્મા વસ્તુની વાસ્તવિકતા ઉપર વિચાર કરતા નથી એ જ આત્માની ભૂલ થાય છે. વસ્તુને વાસ્તવિક વિચાર કરી, સમ્યક્ જ્ઞાન સંપાદન કરી જેટલું આગળ વધવામાં આવે તેટલું સારું જ છે. રાજા કહે છે કે, હું ભાગાના ઉપભાગ કરવા એમાં જ મનુષ્યજન્મને સફળ માનતા હતા પણ હવે હું સમજી શક્યા છું કે મનુષ્યજન્મની સાચી સફળતા સંયમ ધારણ કરવામાં જ છે. આપે સંયમને ધારણ કરી મનુષ્યજન્મને સફળ બનાવ્યું છે; અને અનાથતાને દૂર કરી આપ સનાથ બન્યા છે. તમે તમારા પેાતાના જ નાથ બન્યા નથી પણ સમસ્ત, ત્રસ અને
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy