SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ વદી-૫] રાજકોટ–ચાતુર્માસ [ ૫૮૫ દુઃખ પણ થશે નહિ. જે સંસારના આ સ્વભાવને જાણતા નથી તે તે શરીરને રોગી કે દુઃખી થવાથી રુદન કરે છે પરંતુ જે સંસારના સ્વભાવને જાણકાર–જ્ઞાની છે તેને એવા સમયે પણ દ:ખ થતું નથી પણ પ્રસન્નતા થાય છે. જ્ઞાનીજને સંસારને એમ કહે છે કે, તું તારા સ્વભાવને છોડતા નથી પછી અમે અમારો સ્વભાવ કેમ છોડી દઈએ ? તું પરિવર્તનશીલ છે. એ તારે સ્વભાવ જ છે પણ અમારો સ્વભાવ એ નથી.” .. સંસારને પરિવર્તનશીલ સ્વભાવ જોઈને પુદ્ગલ સાથેની પ્રીતિ તમે જેમ જેમ તેડતા જશે તેમ તેમ પરમાત્મા સાથે પ્રીતિ વધતી જશે. એટલા માટે સંસાર સાથેની પ્રિીત તેડી નાંખી અનન્યભાવે પરમપુરુષ પરમાત્માની સાથે પ્રીતિ કરે. • કદાચ કોઈ એમ કહે કે, એક બાજુ તે તમે રાગને ત્યાગ કરવાનું કહો છો અને બીજી બાજુ પરમાત્માની સાથે પ્રીતિ–રાગ બાંધવાનું કહો છો તે એ બન્ને વાત કેમ બની શકે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ એ ત્રણ પ્રકારના રાગો ત્યાજ્ય છે, પરંતુ દેવ, ગુરુ અને ધર્મ સાથેનો રાગ ત્યાજ્ય નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – • ધન જાને મિઝાપમાનુજારા . . છે. આ પ્રમાણે પરમાત્માની સાથે પ્રીતિ બાંધવી ત્યાન્ય નથી. કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ અપ્રશસ્ત છે અને ધર્મરાગ પ્રશસ્ત છે. પહેલાં અશુભમાંથી નીકળી શુભમાં જવાય છે, બાદ પોતાના સ્વરૂપમાં અવાય છે. આ જ ગ્ય માર્ગ છે. * કદાચ કોઈ કહે કે, અમે પરમાત્મા સાથે પ્રીતિ બાંધીએ અને એ પ્રીતિના, ચિન્હ સ્વરૂપ અમે જે વસ્તુ ખાઈએ-પીઈએ અને પહેરીએ તે પરમાત્માને અર્પણ કરીએ તે એમાં પરમાત્મા સાથેની પ્રીતિ પ્રગટ થાય છે કે નહિ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, વિવેકદષ્ટિએ એ જોવું જોઈએ કે, અમે પરમાત્માની સાથે જે પ્રીતિ પ્રગટ કરીએ છીએ તે પ્રીતિ પરમાત્માની પ્રભુતા વધારવાના ઉદ્દેશથી કરીએ છીએ કે ઘટાડવાના ઉદ્દેશથી ? પ્રત્યેકની સાથે તેની યોગ્યતાનુસાર પ્રીતિ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, તમે લેકે સાધુએની ભક્તિ કરે છે પણ સાધુઓ પ્રત્યેની પ્રીતિ પ્રગટ કરવા માટે જે તમે તેમના ગળામાં તમારી મોતીની માળા પહેરાવી દે તે શું તે ઠીક કહેવાશે ? શું એમ કરવાથી ભક્તિ કે પ્રિીતિ પ્રગટ થશે ? એ ભક્તિ કે પ્રીતિ નથી. એ તે તમે જાણો જ છે. એટલા માટે જે વસ્તુથી સાધુના ચારિત્રમાં દોષ ન લાગે તેવી વસ્તુ સાધુઓને સમર્પણ કરવી એમાં જ સાધુઓની ભક્તિ રહેલી છે; પણ જે વસ્તુ આપવાથી સાધુના ચારિત્રમાં દોષ લાગે તે વસ્તુ સાધુઓને આપવી એમાં સાધુઓની ભક્તિ રહેલી નથી. એમ કરવું એ તો અજ્ઞાન છે. . ભગવાન વિતરાગની ભક્તિ વિષે પણ એમ જ સમજે. પરમાત્માની ભક્તિ કરવા માટે વિકારો અને અહંકારનો ત્યાગ કરી દીનભાવે તેમની પ્રાર્થના કરે. પરમાત્મા અહંકારથી દૂર રહે છે અને નમ્રતાની સમીપ રહે છે એટલા માટે વિનમ્ર બની પરમાત્માની સાથે હદયપૂર્વક જેમ જેમ પ્રીતિ બાંધતા જશો તેમ તેમ પરમાત્માની સમીપ તમે જતા જશે. અનાથી મુનિને અધિકાર-૬૫ અનાથી મુનિ રાજા શ્રેણિકને એ જ વાત કહી રહ્યા છે કે, “હે ! રાજન! તું કુશલના માર્ગને ત્યાગ કરી મહાનિર્ચન્થના માર્ગે ચાલ.” મહાનિર્ચન્થના માર્ગે ચાલવાથી શો લાભ થશે તેને માટે અનાથી મુનિ કહે છે કે -- ૨૯
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy