________________
10
શુદી ૧૨] રાજકેટ-ચાતુર્માસ
[પ૬૭ સત્યાસત્યને નિર્ણય કરવાની ઇચ્છા તે રાખો જ. આ પ્રકારની ઈચ્છા રાખવાથી તમે બુદ્ધિહીન નહિ પણ બુદ્ધિમાન જ કહેવાશે.
અમે તમને જે કાંઈ સંભળાવીએ છીએ તે એમ સમજીને જ સંભળાવીએ છીએ કે, તમે સત્યાસત્યને નિર્ણય કરવાની વિવેકબુદ્ધિ પ્રગટાવે. આમ છતાં કોઈ અમારું કહેવું ન સાંભળે કે ન માને તે તે તેમની ઈચ્છા. પણ એ કારણે અમારે દુઃખ માનવું ન જોઈએ. અમને એ પણ વિચાર થવો ન જોઈએ કે, અમે તે કહીએ છીએ પણ આ લેકે તે કાંઈ સાંભૂળતા જ નથી. જે અમને આ પ્રકારને વિચાર થયે તે એ પિતાના જ્ઞાનને પોતે હલકું બતાવવા જેવું છે. એટલા માટે “અમારું કહેવું કેઈ સાંભળતું કે માનતું નથી” એ વિચારથી અમને દુઃખ થવું ન જોઈએ પણ એ વાતનો વિચાર તે અવશ્ય ક જોઈએ કે, આ શિક્ષા બુદ્ધિમાનને જ આપવી, બુદ્ધિહીનને નહિ. બુદ્ધિહીને શિક્ષા આપવાથી કંઈ લાભ થઈ શકતો નથી. ખેડુત પણ બીજ વાવતાં પહેલાં એ જોઈ લે છે કે આ ભૂમિ ઉપજાઉ છે કે નહિ? ભલે તે ભૂમિમાં અન્ન કે વૃક્ષ ઉગેલું ન હોય છતાં તે એ તે જુએ જ છે કે, અહીં ઘાસ ઉગેલું છે કે નહિ! જે ઘાસ ઉગેલ હોય તે તે ખેડુતને એટલી તે આશા રહે છે કે, આ ભૂમિ ઉપર વાવેલું બીજ તે નિરર્થક નહિ જાય, પણ જે ત્યાં ઘાસ પણ ઉચ્યું ન હોય તે એવી નકામી ભૂમિ ઉપર બીજ વાવીને શું લાભ થાય ? આ જ પ્રક્ષાણે આ ધર્મશિક્ષા સંભળાવવા માટે અમારે પરિષદ્ જોવી જોઈએ કે આ પરિષદ્ધ કેવી છે શ્રી નંદીસૂત્રમાં ત્રણ પ્રકારના શ્રોતા બતાવવામાં આવેલ છે. એક તે “જાણિયા, બીજ “અજાણિયા” અને ત્રીજા “દુહેડ” શાસ્ત્રમાં કહ્યું છે કે, જાણિયા અને અણિયા શ્રોતા આગળ તે ઉપદેશ આપવો પણ “દુહેડા’--અર્ધદગ્ધ શ્રોતા આગળ તો ચૂપ રહેવું એ જ સારું છે.
જાણિયા અને અજાણિયા શ્રોતા આગળ કેવો ઉપદેશ આપવો અને દુહેડા-અર્ધધધ. શ્રોતા આગળ કેવી રીતે ચૂપ રહેવું એ પણ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે, જાણિયા શ્રોતા તે છે કે, જે થયું કહેવામાં જ ઘણું સમજી જાય. જે પ્રમાણે પાણીમાં પડેલું તેલનું બિંદુ ફેલાઈ જાય છે તે જ પ્રમાણે જે થેડું સાંભળીને વધારે સમજી જાય છે તે જાણિયા શ્રોતા છે. બીજા અજાણિયા નામના શ્રોતા છે અર્થાત જેમનામાં આ પ્રકારની બુદ્ધિ હતી નથી. જાણિયા શ્રોતા તે તેઓ છે કે જેઓ થોડું ઘણું જાણે છે, અને અણિયા શ્રોતા તે છે કે જેઓ કાંઈ પણ જાણતા નથી. જાણિયા શ્રોતા અને અજાણિયા શ્રોતાને કેવો ઉદ્દેશ આપવો એનો પણ વિચાર કરવાની જરૂર છે. જે અજાણિયા શ્રોતાઓની આગળ જ્ઞાનસતી મેથી મોટી વાતો કરવામાં આવે તે એ કે એ વાતને કેમ સમજી શકે ? એટલા માટે અજાણિયા શ્રોતાઓને એવી સરલ શિક્ષા આપવી જોઈએ કે જેથી બાળક પણ એ સરલ શિક્ષાને સમજી શકે. જાણિયા શ્રોતાઓની આગળ કઈ તત્ત્વજ્ઞાનની ચર્ચા કરવા આવે તે તેઓ તે તર્ક કે દલીલેદ્વારા નિર્ણય કરી શકે, પણ અજાણિયા શ્રોતાઓ તત્ત્વજ્ઞાનને સમજી ન શકવાને કારણે ઊલટી ગડબડમાં પડી જાય. એટલા માટે “અજાણિયા શ્રોતા અને “ણિયા' શ્રોતાઓની આગળ કેવો ઉપદેશ આપવો તેનો પણ ખ્યાલ રાખવાની જરૂર રહે છે. અજાણિયા પરિષદૂતી સામે એવું ચરિત્રચિત્રણ કરવું ન જોઈએ કે જેથી તેમનું પિતાનું ચરિત્ર નષ્ટ થઈ જાય અથવા તેમના ગાઈશ્ય જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી