________________
૫૨૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ આસા
પ્રકારે માન્યું નહિ અને પરિણામે રાણીને મરવું પડયું અને હવે તે તે એમ કહે છે કે, “ હવે તેા હું સાધુ થઈ ગોા છું એટલે કાઈ સ્ત્રી મને હવે શું કરી શકે એમ છે ? આવે તે અભિમાની છે. જો તમે તમારામાં શક્તિ સમજતા હૈ। તા એને ભ્રષ્ટ કરી જુએ તે તમને ખરી માનું!
',
પડિતાનું કથન સાંભળી હરણીને અહંકાર આવ્યા. તે કહેવા લાગી કે, તારી માલિક રાણી હતી પણ અમે તેા વેશ્યા છીએ, અમારી આગળ એની શું શક્તિ છે તે અમારા ફેંદામાંથી નીકળી જાય ?
પડિતાએ કહ્યું કે, હુ... પણ જોઉં છું કે તમારામાં કૈવી શક્તિ છે?
પડિતાની વાત સાંભળી હિરણીને જોશ આવ્યા, તેણીએ સુદર્શનને ભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી. હવે આગળ શું થાય છે તેને વિચાર યથાવસરે કરવામાં આવશે.
—>s —
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસે। શુદી ૨ શનિવાર
—
પ્રાથના
આજ મહારા સભર જિનકે, હિતચિતસુ ગુણ ગાસ્યાં;
મધુર મધુર સ્વર રાગ અલાપી, ગહરે શબ્દ ગુંજાસ્યાં. ૫ રાજ ૧૫ —વિનચચ'દ્રજી કુંભટ ચાવીશી
શ્રી. સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
.
ભકતા કહે છે કે, હે! પ્રભા ! આજે હું તમારા ગુણગાન કરીશ. ભક્તાના આ કથનમાં જે ‘ આજ' શબ્દના ઉપયોગ કરવામાં આવ્યા છે તે ‘ આજ ’ શબ્દને। કહેવાના શે। મતલબ છે એ અત્રે જોવાનું છે. જેમના હૃદયમાં પરમાત્માની પ્રીતિ પ્રગટ થઈ છે તેએ આથી વિશેષ શું કહી શકે ? તેમના હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રીતિ પ્રગટ થઈ છે, એટલા માટે તે એ જ કહે છે કે, ‘હૈ! પ્રભા! હું આજે આપનાં ગુણગાન કરીશ; ભલે કાઈ પ્રસન્ન થાઓ કે નારાજ થા પણ હું તે આપના ગુણગાન આજે અવશ્ય કરીશ. કૈાઈની પ્રસન્નતા કે નારાજગીની હું પરવા કરીશ નહિ, આંબામાં મંજરી આવ્યા બાદ કાયલ કાઈની નિંદાપ્રશ'સાની પરવા કરતી નથી અને ખેલ્યા વિના રહેતી નથી. કેતકીની સુગંધથી જ્યારે વન સુવાસિત બની જાય છે ત્યારે ભમરા ગુંજારવ કર્યા વિના રહેતા નથી. આ જ પ્રમાણે “ હું ! પ્રભુ!! જ્યારે મારા હૃદયમાં આપની ભક્તિ પ્રગટ થઈ છે ત્યારે હું આપના ગુણગાન કર્યા વિના કેમ રહી શકુ? હું આપના ગુણગાન એ જ રીતિએ કરીશ, એમાં જ મારું હિત માનીશ અને મારું ચિત્ત પણ એમાં જ પરેવીશ. કેવળ લેાકાને બતાવવા માટે જ ઉપરથી ગુણુગાન નહિ કરું.”
**
ભક્ત લેાકા તો પરમાત્માની પ્રાથના આ પ્રમાણે કરે છે. હવે તમે તમારા વિષે જુએ કે, તમે જે હમણાં પ્રાર્થના કરી તે ઉપરથી કરી છે કે હૃદયથી કરી છે? આ વાતને નિર્ણય તા તમે પોતે જ કરી શકા છે.