SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો ત્યારે બહુરૂપિયો તે રાજાને કહેવા લાગ્યું કે, આપને હસાવવાને મેં આટલો બધે પ્રયત્ન કર્યો છતાં પણ તમે કેમ હસ્યા નહિ? રાજાએ વિચાર્યું કે, હું શા માટે હસ્ય નહિ એ વાત તેને અનુભવ કરાવીને બતાવવી જોઈએ. અનુભવ કરાવ્યા વિના એ વાત એની સમજમાં આવી શકશે નહિ. આ પ્રમાણે વિચાર કરી રાજાએ એક યુવા ઉપર એક તૂટેલી જેવી ખુરશી મુકાવી કે જે જોતાં હમણાં તે ખુરશી તૂટી જશે એવી લાગતી હતી. એ ખુરશી ઉપર પાતળા દેરાથી એક તલવારને લટાવવામાં આવી. પછી બહુરૂપિયાને તે ખુરશી ઉપર બેસાડવામાં આવ્યો અને ઠઠ્ઠામશ્કરી કરનારાઓને કહેવામાં આવ્યું કે, આને હસાવવાને તમે તનતોડ પ્રયત્ન કરે. મશ્કરાઓએ તે બહુરૂપિયાને હસાવવાને ઘણો પ્રયત્ન કર્યો, પણ તે હ નહિ. ત્યારે રાજાએ તે બહુરૂપિયાને પિતાની પાસે બોલાવીને પૂછ્યું કે, “તમને હસાવવાને આટલો બધો પ્રયત્ન કરવામાં આવ્યો છતાં તમે કેમ હસ્યા નડિ!” બહુરૂપિયાએ જવાબ આપ્યો કે, “ હું હસું કેવી રીતે ? મારી ઉપર તે તલવાર લટકી રહી હતી, અને તે માથે પડશે એ ભય હતું ત્યારે બીજી બાજુએથી હમણાં જ કુવામાં પડી જઈશ એ. મને ભય રહ્યા કરતા હતા. એવી દશામાં મને હસવું ક્યાંથી આવે !” આ અનુભવ કરાવીને મેં કહ્યું કે, “જ્યારે ધ્યાનમાં હતા કે, આ આત્મા જ વૈતરણી નદી અને ફૂટશાલ્મલી વૃક્ષ છે ત્યારે મને હસવું ક્યાંથી આવી શકે ” આ પ્રમાણે વિચાર કરવાથી કોઈને મેહ ઉડી જાય છે અને સંસારથી ભય પેદા થવા પામે છે. આ દિશામાં સંસારના પદાર્થો કેમ લલચાવી શકે? અને હસવું પણ કેમ આવી શકે ? મતલબ કે, અનાથી મુનિના કથન ઉપર ઊંડે વિચાર કરવામાં આવે તે સંસારનાં પદાર્થો બંધનકારક નીવડી ન શકે અને આત્મા મેહમાં પડી શકે નહિ. જે સંસારનાં પદાર્થોની સાથે મોહ કરવામાં આવે તે આત્મા વૈતરણી નદી કે ફૂટશામલી વૃક્ષરૂપી કુવામાં અને તલવારની ધારની સ્થિતિમાં પડી જાય. જો કે, આ વાતને વિચાર પ્રત્યેક આત્માએ કર જોઈએ પરંતુ જે સાધુ થઈને પણ તે વિષે વિચાર કરતા નથી તેના માટે એમ સમજવું જોઈએ કે, તે અંધકારમાંથી નીકળી અંધકારમાં જઈ રહ્યો છે. ઉપનિષતમાં કહ્યું છે કે- તમ: કવિરાજિત ચેડવિચામુપાતે , અઘિા એ જ અંધકાર છે. સાધારણ રીતે અવિદ્યાનું વર્ણન ઘણું વિસ્તૃત છે પરંતુ સંક્ષેપમાં જેનશાસ્ત્ર જેને “મહજનિત દશા, કહે છે તે જ અવિદ્યા છે. અનિત્યમાં નિત્ય, નિત્યમાં અનિત્ય, આત્મામાં અનાત્મા, અનાત્મામાં આત્મા, આ અધ્યાસ કરે એ જ અવિદ્યા છે. જેનશાસ્ત્રમાં કહ્યું છે કે – जीवे अजीवसन्ना अजीवे जीवसन्ना।। અર્થાત–રમાં અજવસંજ્ઞા અને અછવમાં વસંશા રાખવી એ જ મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વને જ અવિદ્યા કે મેહ પણ કહેવામાં આવે છે. અવિનાશીને નાશવાન અને નાશવાનને અવિનાશી માનવું એ અવિદ્યા છે. આ પ્રકારની અવિદ્યાવાળો અંધકારમાં જ છે. જો કે આ અવિદ્યા છે પણ જે પ્રકૃતિને માનતા નથી કે સંસારને માન નથી પણ કેવલ વિદ્યાની જ વાત કરે છે તે તેથી પણ વધારે અંધકારમાં છે. જે ચૈતન્યને જ માને છે, જડને માનતે નથી, વિદ્યાને જ માને છે, અવિદ્યાને માન નથી તે પણ અંધકારમાં છે. જે વિદ્યા અને અવિદ્યાને યથાસ્થાને માની, અવિદ્યાને ત્યાગ કરે છે તે જ આત્મતત્વને
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy