SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ખીજા ભાદરવા છે. આ જ પ્રમાણે ઉપરથી તે ધર્મના ઉપદેશ આપવા અને અંદરથી વિષયની વાસના રાખે તે આ પણ જીવિત રહેવું અને તે માટે કાલકૂટ વિષનું પાન કરવા સમાન છે. અનાથી મુનિ આ વિષે એક બીજું ઉદાહરણ આપે છે. માને કે, એક માણુસ શત્રુને ચાહવા માટે ઘરમાંથી તલવાર લઈને નીકળ્યો. પણ તેને તલવારને ઊલટી પકડી છે અર્થાત્ તલવારને મુની બાજુથી ન પકડતાં અણીની બાજુથી પકડી છે. આ પ્રમાણે શસ્ત્રને પકડી જનાર માણસ તમારા જોવામાં આવે તે તમે તેને કેવા કહેશે ? એમ જ કહેશે! કે આ કેવે મૂર્ખ છે! આ શત્રુઓને મારવા જાય છે કે પેાતાને જ મારવા જાય છે ? જે પ્રમાણે જીવિત રહેવાની ઇચ્છા હેાવા છતાં કાલકૂટ વિષનું પાન કરનાર અને શત્રુને . મારવા નીકળ્યા. હાવા છતાં ઊલટું શસ્ત્ર પકડનાર પોતાના જ મૃત્યુનું કારણ બને છે; તે જ પ્રમાણે જે વિષયલાલસાનું પાષણ કરવા માટે જ ધર્મના ઢાંગ કરે છે તે પણ પોતાનું જ અહિત કરે છે. અનાથી મુનિ આ વિષે ત્રાજું ઉદાહરણ આપે છે. તે ઉદાહરણ તે સમયની સ્થિતિનું તથા તે વખતના લાકામાં ફેલાએલા ભ્રમનું દ્યોતક છે. અનાથી મુનિ કહે છે કે, જેમ કેાઈ માણુસ ખીજાનું ભૂત કાઢવા માટે તેા જાય છે પરંતુ તે પોતાનું રક્ષણ કરતા નથી એટલે તે ભૂત તેને જ ખાઈ જાય છે. આ જ પ્રમાણે જે ખીજાએતે તેા અહિંસા, ક્ષમા વગેરેના ઉપદેશ આપે છે પરંતુ જે પોતે અહિંસાદિના સ્વીકાર કરીને પણ અહિંસા-ક્ષમા આદિનું પાલન કરતા નથી તેની પણ તેવી જ ગતિ થાય છે. અર્થાત્ ઉપરના ઉદાહરણામાં કહેવામાં આવેલા ત્રણ માણસા, પેાતાની ઇચ્છા ખીજી જ હાવા છતાં વિપરીત કામ કરે છે તે જ પ્રમાણે સંયમ લઇને જે સયમનું પાલન કરતા નથી પણ તેનીદ્રારા આજીવિકા ચલાવે છે, તે પશુ વિપરીત કામ કરે છે. આ દુનિયામાં પોતાનું કલ્યાણુ કાણુ ચાહતું નથી ? બધા પેાતાનું કલ્યાણ ચાહે છે પણ ધણા લેાકા એવા હાય છે કે જે કલ્યાણ ચાહતા છતાં પણ કલ્યાણકારી કામા કરતાં નથી. આવા લેાકેા તરફ શાસ્ત્રકારો પાતાની અપ્રસન્નતા પ્રગટ કરે છે. કાઈ માણુસ જીવિત રહેવાની ઇચ્છા તેા રાખે છે પણ જો ઝેર પીતા હેાય અને બીજો માણસ આ ઝેર છે માટે એને છેાડી દે અને એને બદલે આ દૂધ પી એમ કહે છતાં પેલા માણસ ઝેર પીવાને કદાગ્રહ કરે તે એને કા કહેવા ! આ જ પ્રમાણે જે સાધુતાના નામે વિપરીત માગે ચાલતા હાય તેને કાઈ એમ કહે કે, તમે ધર્મને સારા માને છે, ‘ પણ તમે ઊલટે માગે જઈ રહ્યા છે !' આમ કહેવા છતાં જો તે વિપરીત માર્ગ છેડે નહિ અને અમે ગમે તે કરીએ તેમાં તમારે વચમાં પડવાની શી જરૂર છે એમ કહે તે એવા લેાકેાને માટે એમ જ કહેવામાં આવશે કે, એ લાકે મેાહમાં પડયા છે. કદાચિત ભૂલ બતાવનાર ભ્રમમાં હાય અને ભ્રમને કારણે તેનાથી ખાટું કહેવાયું હાય તો પણ જે મેડમાં પડેલા નથી તેને ક્રોધ આવશે નહિ, પણ તે નમ્રતાથી સમજાવશે કે, તમે ભૂલ કરી રહ્યા છે, પણ જે સમજાવવાને બદલે ક્રોધ જ કરે છે તેને માટે એમ સમજવું કે તે પાતાને મા` ભૂલ્યા છે. નાસિદ્દિન મહમૂદ નામના એક બાદશાહુ થયા છે. તે જો કે ગુલામ ખાનદાનનેા હતેા પણ કહેવામાં આવે છે કે તે ઉદાર દિલના હતા. તે એક સારા લેખક હતા અને તેના અક્ષરા
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy