SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા વેદાન્તમાં કહ્યું છે કે, મનુષ્ય જ્યાંસુધી જાગ્રત હાય છે ત્યાંસુધી તેની શક્તિએ ઇન્દ્રિયેાારા બહાર નીકળતી રહે છે; કારણ કે ઇન્દ્રિયા પેાતાની શક્તિએદ્વારા તે કાંઈ કામ કરતી હતી નથી. ઇન્દ્રિયેાારા કામ લેનાર તેા ખીજો જ કોઈ હેાય છે. આંખની આંખ, કાનને કાન અને આ પ્રમાણે મનનું મન પણ ખીજું જ કાઈ હોય છે, ઇન્દ્રિયાારા તેની શક્તિ બહાર નીકળે છે, જ્યારે ઇન્દ્રિયા કામથી નિવૃત્ત થાય છે અને સુઈ જાય છે તે વખતે તે બધી શક્તિ મનમાં કેન્દ્રિત થઈ જાય છે અને ત્યારે મન સ્વપ્ન જુએ છે. શ્રી ભગવતી સૂત્રમાં સ્વપ્ન વિષયક પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યુ છે કે, સ્વપ્ન સુતેલા માણસ જોઈ શકતા નથી તેમ જાગ્રત માણસ પણ સ્વપ્ન જોઈ શકતા નથી. પણ જે સુતા– જાગતા અર્થાત્ અર્ધજાગ્રત અને અસુષુપ્ત મનુષ્ય હાય છે તે જ મનુષ્ય સ્વપ્ન જુએ છે, આ ઉપરથી અત્રે એક પ્રશ્ન ઉભા થાય છે કે, સુષુપ્તિ અને જાગૃતિ એ બંને વાતા એક સાથે કેવી રીતે સંભવી શકે? આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, ઇન્દ્રિયાથી તે જે સુતા હાય છે અને મનથી જે જાગતા હોય છે તે જ સ્વપ્ન જુએ છે. એ સ્વપ્નમાં જે દૃશ્ય આ ભવમાં જોયું ન હેાય તે દૃશ્ય પણ જોવામાં આવે છે. સ્વપ્ન પૂજન્મેાના સંસ્કારાના પરિચય પણ આપે છે, સ્વપ્નમાં જે કાંઈ જોવામાં આવે છે તે, આત્માએ આ ભવ કે પૂર્વલવમાં અનુભવ કરેલ હેાય છે. આ અનુભવને આત્મા મેાહને કારણે ભૂલી ગએલ હાય છે. શાસ્ત્રમાં મૃગાપુત્ર વિષે કહેવામાં આવ્યું છે કે, મૂર્છા પામ્યા બાદ તે મેાહરહિત થયેા. આનેા સાધારણ અર્થ એ છે કે, તેને મૂર્છા આવી અને એ મેાહરહિત થવાને કારણે તેને જાતિસ્મૃતિનું જ્ઞાન થયું. આ પ્રમાણે સ્વપ્ન પૂર્વભવના સંસ્કારના પરિચય આપનાર હોય છે તે જ પ્રમાણે આવી મૂર્છા પણ જાતિસ્મૃતિનું જ્ઞાન કરાવે છે. જે પ્રમાણે મૃગાપુત્રને મૂર્છા આવી હતી જ પ્રમાણે જ્યારે રાજીમતિએ એમ સાંભળ્યું કે, ભગવાને દીક્ષા લઈ લીધી છે, ત્યારે તેને પણ મૂર્છા આવી ગઈ. આ પ્રમાણે રાજીમતિને પહેલાં મૂર્છા આવી અને આખરે તે વિચાર કરતી એ નિશ્ચય ઉપર આવી કે, ભગવાનની માફક મારે પણ દીક્ષા લઈ લેવી જોઇ એ. સિદ્ધાન્તના આ કથન ઉપરથી હવે વિચાર કરા કે, રાજમતિને જે મૂર્છા આવી તે આખરે કેવી રહી ? આખરે એ મૂર્છાને કારણે રાજીમતિએ સંયમ ધારણ કર્યાં અને ભગવાન જે માર્ગે ગયા હતા તે જ માગે તે પણ ગઈ અને ભગવાનને એ રીતે સાચા મેહનગારા બંનાવ્યા. અને એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે: · શ્રી જિન મહનગારા છે, જીવનપ્રાણ હમારા છે. ' આ વાતને વાસ્તવિક રીતે કહેવાની અધિકારીણી તેા રાજીમતિ જ છે. મૂર્છા આવ્યા ખાદ તે કહેવા લાગી કે, હવે મારું ચિત્ત ભગવાનની તરફ ચોંટેલું છે એટલા માટે હવે આ સંસાર મારા માટે આનંદદાયક રહ્યો નથી. તે પહેલાં તે એમ વિચારતી હતી કે, ભગવાન મને શા માટે છેાડીને ચાલ્યા ગયા પણ પછી તે વિચારવા લાગી કે, ભગવાન મને છેાડી નથી ગયા પણ મને અનંત સઁસારસાગરને પાર કરવાને માર્ગ બતાવી ગયા છે. એટલા માટે અનંત સ ગરને પાર જવાને બદલે સંસારનાં પદાર્થોમાં શા માટે ફસાઈ રહું ? ગીંતામાં કહ્યું છે કે, જે કામ એક ધડાના પાણીથી સાગરના પાણીથી થઈ ન શકે? જરૂર થઈ શકે. આ જ થઈ શકે છે, શું તે કામ ક્ષીરપ્રમાણે વેદાદિનું અધ્યયન કરવું
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy