SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ - = વદ૯] . રાજકોટ–ચાતુર્માસ : કઈ પણ રીતે અગ્નિસંસ્કાર કરવાનો છે. આ પ્રમાણે વિચાર કરી તેમણે પિતાની માતાના મૃતદેહનું એક એક અંગ કાપ્યું અને એક એક અંગને લઈ જઈ બાળ્યું. આખો મૃતદેહ તેમના એલાથી ઉપાડી શકાય એમ ન હતું એટલા માટે તેમણે આમ કર્યું પણ પિતાના તત્વજ્ઞાનના સત્યને ત્યાગ કર્યો નહિ. - જે લેકે આ પ્રમાણે બીજાના કષ્ટને લાભ લે છે અને બીજાને કષ્ટમાં પડેલા જોઈ પતિત કરવા ચાહે છે તેઓ શું સત્યનું પાલન કરે છે ખરા ? મતલબ કે, આદ્ય શંકરાચાર્યે પિતાની માતાના મૃતદેહને ઉપડાવવા માટે પણ પિતાના તત્ત્વજ્ઞાનનો ત્યાગ કર્યો નહિ. તે પછી થડા પૈસાને માટે સત્યને ત્યાગ કરે શું ઉચિત છે? તમારાથી જે નિરપેક્ષ સત્ય અને નિરપેક્ષ દયાનું પાલન થઈ શકતું ન હોય તે સાક્ષેપ સત્ય અને સાપેક્ષ દયાનું તે અવશ્ય પાલન કરો. જે નિરપેક્ષ દયાનું પાલન કરે છે તે તે મેઘરથ અને પુરાણમાં પ્રસિદ્ધ થએલ શિબિ રાજાની માફક કબુતરની રક્ષા માટે પણ શરીરનું બલિદાન આપી દે છે. તમારાથી જે એટલે ત્યાગ થઈ શકતો ન હોય તે જે અપરાધી નથી તેમને તે ન જ મારે. જે નિરપરાધીઓને પણ મારવા તૈયાર થઈ જાય છે તેઓ નિરપેક્ષ દયાનું પાલન શું કરે ? હું ઘાટકોપરમાં હતું. ત્યાં મેં છવદ્યાને ઉપદેશ આપ્યો હતો. તે ઉપદેશને પ્રભાવ લોકે ઉપર ઘણું જ પડ્યો હતો. તેમાં પ્રેમજીભાઈને તો દયાની લગની એવી લાગી હતી કે કુરલા અને વાંદરાના તલખાનાઓમાં જે છ મરે છે તેમને કઈ પણું ઉપાયે બચાવવા જે કે, કતલખાનાંઓમાં જે છ મરે છે તે અને પિત્તે મારતા નથી પણ જે યાળુ, લેકે હોય છે તેઓ તે બધા ઉપર દયા કરે છે અને એમ વિચારે છે કે, અમને જે. પશુઓ દૂધ આપે છે તે પશુઓ આમ શા માટે મારી નાંખવામાં આવે છે પ્રેમજીભાઈ અને બીજા ભાઈઓએ મળીને તે માટે ઘાટકેપરમાં એક સંસ્થા સ્થાપિત કરી. પ્રેમજીભાઈ તેના વાઈસ પ્રેસીડેન્ટ બન્યા હતા. હમણાં તેમનો દેહાન્ત થયો છે કે જેમના સ્મરણમાં ઘાટકેપર વગેરે સ્થાનમાં તેમને શોક પણ માનવામાં આવ્યો હતો. અમારે ત્યાં શોક તો માનવામાં આવે નથી એટલા માટે એમના વિષે એટલું જ કહેવાનું છે કે, તે ભાઈએ જીવદયા માટે આટલે આત્મભેગ આપ્યો હતો તે શું તમે જીવદયા માટે કાંઈ કરી મંહિ શકે? જે લેકે અહીંની સંસ્થાઓ જોઈ આવ્યા છે તેઓ કહેતા હતા કે, જે અહીં અનાથાશ્રમ ન હોત તે ન જાણે કેટલા બાળકે મૃત્યુને પામત! જે આ વિષે વિચાર કરવામાં આવે તો જણાશે કે ભારતના મનુષ્યની કદર કુતરાઓ જેટલી પણ થતી નથી; અંગ્રેજ લેકે પોતાના કુતરાંઓને ગાડીમાં બેસાડે છે પણ ભારતના મનુષ્યને ખાવાનું પણ મળતું નથી. આ વાતને પૂર્વાપર વિચાર કરી તમે લેકે શ્રીમત બનીને બેસી જ ન રહે પણ ગરીબો ઉપર દયા કરે. જો તમેં નિરપેક્ષ દયા રાખી શકે છે તે સારું જ છે નહિ તે સાપેક્ષ દયા રાખે તેપણ કલ્યાણ જ છે.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy