________________
વદ ૩ ]
રાજકાટ-ચાતુર્માસ
[૪૫
ગૃહસ્થાને તેા લાભ થશે, પણ ગૃહસ્થની ભાવના સાધુઓમાં જેટલી આવશે, એટલી જ સાધુતામાં ખરાબી આવી જશે. એટલા માટે તમે લોકોએ અમાસમાં તમારી ભાવના ભરવી ન જોઈ એ.
શાહ ધરે સબ આયે બંધાયે, માતી ચૌક પુરાય;
દેવ ગયે નિજ સ્થાન રાયજી, એલે મગલ વાય. ૫ અન૦ ૧૧૬ "
ધર્મ મના પાપ ખષ્ના, તુમ ચરણે સુપસાય;
હુઈ ન હોવે ઈસ જગ માંહિ, સમ જન સાખ પુરાય. તા ધન૦ ૧૧૭ શેઠે જો કે પેાતાના મનમાં ધર્મની સેવા કરવાના નિશ્ચય કરી લીધા છતાં શેઠ વ્યવહારકુશળ હતા એટલે તેમણે વિચાર્યું કે, જ્યારે આ અધા લેાંકાની ભાવના એવી છે તે એકવાર ઘેર જઈ રાજા–પ્રજા વગેરે બધાને સંતાષ આપવા જોઈ એ. હું સત છું, એટલે મને હવે સંસાર બંધનકર્તા થઈ શકશે નહિ.
આજે એમ કહેવામાં આવે છે કે, વૈરાગીને માટે વળી ઉત્સવ શું ? પણ તે વિષે શાસ્ત્ર શું કહે છે તે જુઓ. શાસ્ત્રમાં કાઈ વૈરાગીએ એમ કહ્યું નથી કે, અમારા માટે ઉત્સવ કરવામાં આવે કે અમને રાજ્ય આપવામાં આવે. આ તે તેમના માબાપે કે તેમના ધ બંધુએએ જગતને દીક્ષાનું મહત્ત્વ બતાવવા માટે કે પેાતાની જવાબદારી પૂરી કરવા માટે જ વૈરાગી પાસે એક દિવસ રાજ્ય કરવાની વાત માંગી, કે દીક્ષાત્સવ કરાવ્યા, પણ તેમની માંગણીના બૈરાગીએ ન તો નિષેધ કર્યાં કે ન તેનું સમર્થન કર્યું.
આ જ પ્રમાણે શેઠ પણ તે લેાકેાની વાતને નિષેધ કરી ન શક્યા. હવે આગળ શું અને છે તેને વિચાર હવે પછી કરવામાં આવશે.
૩૦—
વ્યાખ્યાનઃ સંવત્ ૧૯૯૨ ખીજા ભાદરવા વદી ૭ શનિવાર
પ્રાથના
‘વિશ્વસેન ’ નૃપ ‘અચલા' પટરાનીજી, તસુ સુત કુલસિણગાર હો સુભાગી; જન્મતાં શાન્તિ કરી નિજ દેશમ', મૃગી માર નિવાર હો સુભાગી; શાન્તિ જિનેશ્વર સાહબ સાલમા. ॥૧॥ —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી શાન્તિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રાર્થના કરનાર વ્યક્તિ પ્રાર્થનાદ્વારા શાન્તિની અભિલાષા કરે એ સ્વાભાવિક છે; કારણ કે બધા લેાકેા શાન્તિ ચાહે છે અને એટલા જ માટે ભગવાનને શાન્તિનાથ કહીને ભક્તા તેમની પાસેથી શાન્તિની ચાહના કરે છે. પર`તુ જોવાનું અત્રે એ છે કે, લતા ભગવાન શાન્તિનાથ પાસેથી કેવી શાન્તિ ચાહે છે ? એવી કઈ શાન્તિ છે કે જેને માટે ભક્તાએ તન, મન અને વચનની શુદ્ધિ કરવી પડે છે !