SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ ૧૪] રાજકોટ–ચાતુર્માસ [૪૫૩ આપની કૃપાથી દૂર થઈ.” આ પ્રમાણે વિચાર કરી તેણીએ પિતાના પુત્રોને કહ્યું કે, પુત્ર! ઉઠે, તમારી ભાવના સફળ થઈ છે. ચાલે, તમારા પિતાને વધાવીને ઘેર લાવીએ ! " " શેઠ શૂળીના સ્થાને જઈ રહ્યા હતા ત્યારે શેઠાણી બહાર પણ નીકળી ન હતી પણ હવે તેને વધાવવા જઈ રહી છે. આ ઉત્કૃષ્ટ ભાવનાને જ પ્રતાપ છે. | મનરમા સખીઓની સાથે શેઠ અને ધર્મનાં મંગલ ગીત ગાતી બહાર નીકળી. તે. વખતે તેમને કેટલી બધી પ્રસન્નતા થતી હશે! તે શેઠની સામે આવી. શેઠને પણ મનેરમાં. અને પુત્રને જોઈ કેટલી બધી પ્રસન્નતા થતી હશે! કેઈ ઉપવાસીને અન્ન કેવું પ્રિય લાગે. છે એ વાતનો જેમણે ઉપવાસ કર્યો હોય તે જ જાણી શકે છે. આ જ પ્રમાણે શેઠ અને શેઠાણની પ્રસન્નતાને પણ તે જ જાણી શકે છે કે જેમણે તેમની માફક ભાવ તપ કર્યું હોય; બીજો કોઈ જાણી શકે નહિ. અન્નને રસ ઉપવાસ કરનારને જ સારો લાગે છે. શેઠને જઈ શેઠાણીના હૃદયમાં અને શેઠાણીને જોઈ શેઠના હૃદયમાં કે આનંદ થયો હશે. ત્યાં ઉપસ્થિત સ્ત્રીઓ મને રમાને જોઈ કહેવા લાગી કે, આ સતીએ આપણું મસ્તકઊંચું રાખ્યું છે, અને આપણા મુખને ઉજવલ બનાવ્યું છે. . આ પ્રમાણે ગુણગાન કરી સ્ત્રીઓએ મનોરમાને આદરપૂર્વક આસન ઉપર બેસાડી પણ લેકે કહેવા લાગ્યા કે, આજે અમારે ત્યાં સીતારામની જોડી પ્રગટ થઈ છે એટલા માટે આ સતીને તે શેઠની પાસે જ બેસાડવી જોઈએ. અધું શરીર તે ઉપર રહે અને અધું. શરીર નીચે રહે એ ઠીક નથી. ' બધા લેકેએ મળીને મને રમાને પણ સુદર્શનની પાસે સિંહાસન ઉપર બેસાડી દીધી. શેઠ શેઠાણી, જાણે સીતારામની જોડી બેઠી હોય એમ લાગતાં હતાં. " લોકોએ સુદર્શનને કહ્યું કે, અત્યારે અહીં સભા એકઠી થઈ છે એટલા માટે આપ એ બતાવો કે, તમે તમારા ક્યા નિશ્ચય ઉપર કેવી રીતે દઢ રહ્યા અને અમે તમને અત્યાગ્રહ કર્યો છતાં તમે શા માટે બોલ્યા નહિ ? - સુદર્શને જવાબમાં કહ્યું કે, તમે લોકો તથા આ રાજા પણ મને હાથ જોડે છે તે મારા આ હાડને નહિ પણ કઈ શક્તિવિશેષને હાથ જોડે છે. જે શક્તિને તમે બધા કે, હાથ જોડો છો. એ શક્તિ તમારા બધામાં પણ છે એટલા માટે તમે લેકે એમ ન સમજે. કે, હું સિંહાસન ઉપર બેઠો છું પરંતુ એમ સમજો કે, આપણે બધાની શુભ ભાવના જ આ સિંહાસન ઉપર બેઠેલ છે. શરીરની વાત તે જુદી છે પણું આત્માની એકતામાં બંધાયને સમાવેશ છે અને બધા આત્મા સિદ્ધ થયા બાદ સમાન જ છે. . આ વાત તમને જહદી સમાજમાં આવી જાય એટલા માટે આ વાતને સરળ કરીને તમને કહું છું... એક માણસનું રત્ન ખવાઈ ગયું. તેને યાદ આવ્યું કે, હું અમુક રસ્તેથી આવ્યો હતે.. એટલે મારું રત્ન ત્યાં જ ક્યાંય ખોવાઈ ગયું હશે. તે રત્નને શોધવા માટે પાછો ફર્યો. તેને માર્ગમાં અનેક ચીજો જોવામાં આવી પણ તે ચીજો માટે તે એમ કહેવા લાગ્યા કે, એ રત્ન નથી. આ પ્રમાણે માર્ગમાં જે કોઈ ચીજ જોવામાં આવતી તેને માટે તે એમ જ કહે કે, એ રત્ન નથી. આ દષ્ટાન્ત પ્રમાણે જ્ઞાનીજને પણ રેત તિ કહે છે અર્થાત
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy