SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ E - પર ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ખમે ખામો અપરાધ હમારા, વારંવાર મહાભાગ ! ધર્મ મમ નહીં જાના તુમ્હારા, નારી ચાલે લાગ. . ધન ૧૧ર છે સુની બાત જબ મનોરમાને, પુલકિત અંગ ન પાય; પાંચ પુત્ર સંગ પતિદર્શન, શીધ્ર ચલાકર આય. ધન ૧૧૩ છે રાજા પ્રજા મિલ પતિવ્રતા કે, સિંહાસન બૈઠાય; દંપતિ. જડી દેખ દેવગણ, મનમેં અતિ હર્ષાય. એ ધન ૧૧૪ આ બધા લેકે આમ કહી રહ્યા હતા. કેટલાક લેકે રાજા પાસે દોડી ગયા અને કહેવા લાગ્યા કે, મહારાજ ! ગજબ થઈ ગયું. રાજાએ પૂછ્યું કે, શું ગજબ થયો ! લેકેથી પ્રસન્નતા હોવાને કારણે બોલી પણ શકાતું ન હતું. જોકેએ રુંધાતા કંઠે એટલું જ કહ્યું કે, શેઠને શૂળી ઉપર ચડાવવામાં આવતા હતા ત્યારે ગજબ થયા. રાજાએ તેમને પૈર્ય આપી પૂછયું કે, શું ગજબ થયો? શું શૂળી તૂટી થઈ કે બીજું કાંઈ થયું? લેકેએ ઉત્તર આપ્યો કે, શૂળી, તૂટી નહિ પણ તેનું સિંહાસન બની ગયું છે અને સિંહાસન ઉપર બેઠેલા સુદર્શન ઉપર છત્ર શોભી રહ્યું છે અને ચામર તેને ઢોળાઈ રહ્યા છે. આ સાંભળી રાજા કહેવા લાગ્યો કે, હવે મારે સંશય દૂર થશે. હું પહેલાંથી જ જાણતા હતા કે, “શેઠ એવા નથી. એ તે રાણીની જ બધી ચાલબાજી છે; પરંતુ શેઠ કાંઈ બોલ્યા નહિ અને રાણીના પક્ષમાં સાક્ષીઓ હતી એટલે નિરુપાયે એ મહાપુરુષને માટે મારે આ હુક્ષ્મ કાઢવો પડ્યો; ધિક્કાર છે સંસારના પ્રપંચને કે જેને વશ થઈમારે આવો અનર્થે કરવો પડશે. સારું થયું કે, શેઠની શૂળી તૂટી ગઈ. શેઠની શૂળી શું તૂટી છે, જાણે મારી જ શૂળી તૂટી ગઈ છે. મેં તે મારી તરફથી તે એ મહાપુરુષની હત્યા જ કરી હતી. ધન્ય છે એ મહાત્માઓને કે જે સંસારના પ્રપંચથી પૃથફ થઈ જંગલમાં રહે છે. હવે હું શેઠ જેવા મહાપુરુષના દર્શન કર્યું અને તેમની હાથ જોડી ક્ષમા માંગું એ જ ચાહું છું.” . " રાજા દધિવાહન હાથી-ઘોડાનસિહાસન વગેરેને ભૂલી જઈ પગપાળા જ શૂળીની જગ્યાએ દેડી ગયો. લેકે સામે આવીને કહેવા લાગ્યા કે, આ પ્રમાણે અને આનંદ છવાઈ રહ્યો છે. રાજા પણ હર્ષથી તેમને સંકેતદ્વારા એમ કહી રહ્યો છે કે, બહુ સારું થયું. આપણી લાજ પ્રભુએ રાખી છે. - રાજા સુદર્શન શેઠની સામે આવ્યું. રાજાને વિય કરવા માટે સુદર્શન સિંહાસન ઉપરથી ઊતરવા લાગ્યો પણ રાજાએ કહ્યું કે, આપ ત્યાં જ બેસી રહે. આપ ત્યાં જ બેસવાને ગ્ય છે. આ પ્રમાણે જ્યારે રાજા પણ મમ્ર થઈને સુદર્શનની સામે ગયો ત્યારે ન જાણે લેકના મનમાં કેવાં કેવાં વિચાર આવ્યાં હશે? આ બાજુ મને રમાએ પણ સાંભળ્યું કે, પતિ શૂળીમાંથી ઊગરી ગયા છે અને શૂળીનું સિંહાસન બની ગયું છે. રાજા પણ તેના સન્મુખ માથું નમાવી ક્ષમાપ્રાર્થના કરી રહ્યો છે. પતિની મહિમા થઈ રહી છે. આ સાંભળી મને રમાને કેટલે બધે હર્ષ થયો હશે એ વાત તે સાચી પતિવ્રતા સ્ત્રી જ જાણી શકે છે. જે કેવળ વિષયલોલુપતાને કારણે જ પતિને પતિ માને છે તે આ વાતને શું જાણે ? . મનેરમાં કહેવા લાગી કે, “હે ! પ્રભો! મારા પતિ એવા જ ઉદારચરિત છે. તેમના રેશમાં પણ ખરાબી નથી. છતાં સંસારમાં તેમની જે નિંદા થઈ રહી હતી, તે નિંદા પણ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy