SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ઉપાશ્રયે આવવાનું પણ છોડી દીધું ?” મારા મામાએ જવાબ આપ્યો કે, “અમે કેવી રીતે આવીએ ? તમે અમારા ભાણેજને ભરમાવ્યો છે ! તમે એટલું પણ ન વિચાર્યું કે, તે કેટલે દુબળો છે! તેનાથી પાદવિહાર કેવી રીતે થઈ શકશે? અને તેના માથામાં કેટલાં બધાં ગુમડાં થયાં છે ! એટલે તે કેશલેચનનું કષ્ટ પણ કેમ સહી શકશે ?” મગનલાલજી મહારાજે કહ્યું કે, “એ બધું ઠીક છે. પણ તમે એ જાણે છે કે, જ્યારે અમે આજ્ઞા વિના એક તણખલું પણ લઈ શક્તા નથી તે પછી શું તમારી બધાની આજ્ઞા વિના તમારે ભાણેજને લઈ જશું?” મતલબ કે, આજકાલ એમ કહેવામાં આવે છે કે, અમુક સાધુએ અમુક છોકરાને શિષ્ય બનાવવા માટે છુપાવી દીધો. પણ શ્રી દશવૈકાલિક સૂત્રમાં સાફ કહ્યું છે કે, “અણુ કે યુલ, જડ કે ચૈતન્ય કોઈ પણ ચીજ જે આજ્ઞા વિના લેતા નથી તે જ મહાવ્રતનું પાલન કરનાર છે.” ચેથું બ્રહ્મચર્યવ્રત છે. બ્રહ્મચર્ય મહાવ્રતને માટે કેવલ સ્ત્રીને ભગ કરવાની જ મના નથી પણ સ્ત્રીભેગ કરો નહિ, કરાવે નહિ અને કરનારને અનુમોદ નહિ. મન, વચન અને કાયાથી એમ વિધાન કરેલ છે. એટલું જ નહિ પણ સંસારની સમસ્ત સ્ત્રીઓને–દેવગનાઓ અને અપ્સરાઓને માટે પણ એ મારી માતા છે એમ સમજવાનું છે. ભગવાને આ ચેથા મહાવ્રતની રક્ષા માટે નવ વાડ અને દશમે કેટ બતાવેલ છે. આ જ પ્રમાણે પરિગ્રહ પણ ન રાખવે. કેઈ પણ ચીજ તરફ મમત્વભાવ ન રાખ. તેમ કેઈ અનાવશ્યક ચીજ પિતાની પાસે ન રાખવી; શાસ્ત્રમાં બતાવ્યું છે તેથી વધારે કે જિતાચારમાં કહેલ ચીથી વધારે કઈ ચીજ પિતાની પાસે ન રાખવી. કાલાનુસાર અનેક આચાર્યો મળીને જે નિયમ બનાવે છે તેને “જિતાચાર” કહેવામાં આવે છે અને એ જિતાચાર પ્રમાણે વ્યવહાર કરવો એ ભગવાનની આજ્ઞામાં જ મનાય છે. એટલા માટે જિતાચારમાં જે ચીજોને રાખવાનું કહેવામાં આવ્યું છે, તેથી વધારે કઈ ચીજ ન રાખવી. જેમકે શાસ્ત્રમાં લાકડીની કાપી વગેરે રાખવાનું કહ્યું નથી પણ જ્યારથી શાસ્ત્રો લિપિબદ્ધ થયાં ત્યારથી જિતાચાર પ્રમાણે તે ચીજ પાસે રાખવાની આવશ્યક્તા બતાવવામાં આવેલ છે. આ પ્રમાણે જિતાચાર અને શાસ્ત્રમાં કહેલી ચીજ સિવાય કોઈ ચીજ ન રાખવી અને જે જે ચીજો રાખી છે તેના પ્રતિ મમતા ન રાખવી એ સાધુઓનું અપરિગ્રહ વ્રત છે. સાધુ એમ કહી ન શકે કે જ્ઞાનખાતામાં પૈસા આપે. જ્ઞાનને ઉત્તેજન આપે, એટલું તે કહી શકે પણ પૈસા આપે એમ કહી શકે નહિ. પિતાની પાસે બે શાસ્ત્રો છે. એક શાસ્ત્ર તે પોતે કામમાં લે છે પણ બીજું શાસ્ત્ર તેના કામમાં આવતું નથી છતાં કોઈ શિષ્ય કે બીજું કઈ માંગે અને ન આપે તે એમ સમજવું કે તેને મમત્વ છે. શાસ્ત્રના ભંડાર ભરી રાખવામાં આવે અને કીડાઓ તેને ઉપયોગ કરે તે એ પણ તેના તરફ મમત્વભાવ છે. અપરિગ્રહ મહાવ્રતને માટે આવે મમત્વભાવ સર્વથા ત્યાજય છે. અનાથી મુનિ કહે છે કે, “હે! રાજન! આ પ્રમાણે મહાવતની પ્રતિપક્ષી ભાવનાને જે દર કરતું નથી તે મહાવ્રતનું પાલન કરી શકતા નથી. જે રસરુદ્ધ છેતે પણ અનાથ જ છે.”
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy