SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ ૧૪ ] રાજકોટ–ચાતુર્માસ [૪૪૯ જૈનશાસ્ત્ર અને પાત’જિલ યાગ સૂત્ર બંનેમાં એમ કહ્યું છે કે, પ્રતિપક્ષી ભાવનાદ્વારા જે વિતર્કોના વિનાશ કરે છે તે જ મહાવ્રતાનું પાલન કરી શકે છે. આમ હ।વા છતાં પણ કોઈ માણસ હિંસાને તે રાકે નહિ અને એમ કહે કે, હું અહિંસા મહાવ્રતનું પાલન કરું છું તા શું એ ઠીક છે ? આમ કહેવું એ તે કેવળ મહાવ્રતનું નામ રહ્યું પણું કામ રહ્યું નહિ. આ પ્રમાણે નામથી મહાત્રતાનું પાલન કરનાર તેા ઘણા લાકા મળી આવશે એંટલું જ નહિ એવા પણ લોકો મળી આવશે કે જે પ્રકટમાં તે એવી વાતેા કરશે કે જે મહાવ્રતાનું પાલન કરનાર સાધુએથી પણ ચડિયાતી હશે. જે પ્રમાણે ઈમિટેશન હીરા અસલી હીરાથી પણ વધારે ચમકે છે, તે જ પ્રમાણે મહાત્રતાનું નામ લેનારા અને મહાત્રતાનું પાલન ન કરનારાઓ ઉપરથી તે સારી સારી વાતે બતાવશે, પણ જે સાચા પરીક્ષક હાય છે તેમની સામે એ વાતનું કાંઈ મૂલ્ય અંકાતું નથી. જે પ્રમાણે રત્નાના પરીક્ષક ખરા ઝવેરી આગળ ઈમિટેશન રત્નનું કાંઈ મૂલ્ય અંકાતું નથી. પાંચ મહાવ્રતધારીની બધા લેાકેા પરીક્ષા કરી શકતા નથી, એ કારણે આ વિષયમાં કાઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ વાતને દિષ્ટમાં રાખી શાસ્ત્રમાં આચાર્ય, ઉપાધ્યાય, ગણી, ગણાવદ આદિની વ્યવસ્થા કરવામાં આવી છે અને કહ્યું છે કે, “ જેમને માટે આચાર્ય – ઉપાધ્યાયાદિ સાક્ષી આપે કે, એ મહાવ્રતનું પાલન કરે છે તેા તેને માને. ” એ પાંચ મહાત્રતાનું પાલન કરે છે એ વાતની પરીક્ષા તમે ન કરી શકે તેા આચાર્યાદિની આજ્ઞાથી પાંચ મહાવ્રતધારીને ગુરુ તરીકે માને. જો આચાર્યાદિ આ વિષે કાઈ પ્રકારની ખાટી આજ્ઞા આપે તે તે અપરાધી છે. એ તમને પાંચ મંડાવ્રતધારીઓની એળિખાણ કરાવનાર એજન્ટો છે. તમે જ્યારે બજારમાં કાઈ ચીજની પરીક્ષા કરી ખરીદી કરી શકતા નથી ત્યારે તમારા તરફથી દલાલા મારફત તમે ખરીદી કરેા છે. જો કાઈ દલાલ ખરાબ ચીજને સારી કહી અપાવે તે તે અપરાધી ગણાય છે. આ જ પ્રમાણે જો આચાય વગેરે કાઈ મહાવ્રતનું પાલન નહિ કરનાર માણસને મહાવ્રતનું પાલન કરનાર બતાવી પૂજાવે છે તે તે આચાર્યાદિ પેાતાની જવાબદારી ભૂલે છે અને અપરાધને પાત્ર બને છે. જે પાંચ મહાવ્રતધારી હોય છે તે પાતે હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી. અને હિંસા કરનારને અનુમેદન પણ આપતા નથી. તે અસત્ય ખેલતા નથી, અસત્ય ખેલાવતા નથી અને અસત્ય ખેલનારને અનુમાદન આપતા નથી. આ જ પ્રમાણે તે ચેરી, મૈથુન કે પરિગ્રહ પોતે કરતા નથી, કરાવતા નથી કે કરનારને અનુમેદન આપતા નથી. આજે કહેવામાં આવે છે કે, અમુક સાધુએ શિષ્ય બનાવવા માટે ફ્રાઈ કરાને ઉઠાવી લીધા; પણ શાસ્ત્ર કહે છે કે, સાધુએ આજ્ઞા વિના એક તણખલું પણ લઈ શકતા નથી તા પછી આજ્ઞા વિના શિષ્ય તેા બનાવી જ કેમ શકે? જો કેાઈ એમ કરે અર્થાત્ ચેરી છૂપીથી કાઈ તે શિષ્ય બનાવે તે તેને શિષ્યચારીના અપરાધ લાગે છે, અને તે નવી દીક્ષાનું પ્રાયશ્ચિત્ત લેવાતો. અપરાધી માનવામાં આવે છે અને તેને આઠમું પ્રાયશ્ચિત્ત આવે છે. જ્યારે મને વૈરાગ્ય આવ્યા હતા ત્યારે મારા મામાને સાધુએ ઉપર બહુ નારાજંગી પેદા થઈ, તે એટલે સુધી કે તેમણે ઉપાશ્રયે જવાનું પણ છોડી દીધું. એક દિવસ મારા ગુરુ મગનલાલજી મહારાજ ભિક્ષા લેવા માટે નીકળ્યા, ત્યાં રસ્તામાં મારા મામા તેમતે મળ્યા. ત્યારે મગનલાલજી મહારાજે તેમને કહ્યું કે, “ જડાવચ ંદ ! આજકાલ તે તમે ૧૨
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy