SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ ૯ ] રાજકોટ–ચાતુર્માસ [૪૨૭ એ સંભવિત થઈ જાય તે પણ સત્યધમ તે પિતાના સત્યધર્મ ઉપર દઢ જ રહે છે. સત્યધમાં તે એમ જ વિચારે છે કે, જે હું મારા સત્યધર્મ ઉપર દઢ રહીશ તે દેવ પણ મારું કાંઈ કરી શકે એમ નથી. સુદર્શન શેઠે સાગારી સંથારો કર્યો. તેણે કહ્યું કે, “હે ! પ્રભો ! જે હું જીવિત રહ્યો તે તે મારાં પહેલાંના વ્રત છે જ, પણ જે મેં કાળ કર્યો તે મારે અઢારે પાપને ત્યાગ છે.” જે કે નિશ્ચયમાં તે તેણે એમ કર્યું, પણ વ્યવહાર રાખવો પણ આવશ્યક છે. વ્યવહાર રાખ્યા વિના કામ ચાલી શકતું નથી. સાધુ, તીર્થકર અને સિદ્ધ વગેરે બધા વ્યવહારથી જ છે. નિશ્ચયમાં તે જે કથા એ કથનાનુસાર બધા સરખા જ છે. તમે વ્યવહારને માટે જ આવ્યા છે, અને તમારી ઉત્પત્તિ અને તમારે લય પણ વ્યવહારથી જ છે. ખાવું-પીવું વગેરે વ્યવહાર માટે જ છે, તે પછી ધર્મમાં વ્યવહારની આવશ્યક્તા કેમ ન હોય ? જે ધર્મને માટે વ્યવહારને લેપ કરે છે અર્થાત ધર્મમાં વ્યવહારને સ્થાન આપતા નથી તે ધર્મને જ લેપ કરે છે એમ કહી શકાય. સુદર્શને વ્યવહારને માટે જ અઢાર પાપને ત્યાગ કર્યો. તેણે કહ્યું કે, જો મારું શરીર શૂળીથી છેદાઈ ગયું કે મારે અઢાર પાપોને ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ છે. તેણે આ પ્રમાણે ત્યાગ તો કર્યો, પણ આ ત્યાગ કરવા છતાં પણ જો તેના મનમાં થડે પણ રાગદ્વેષ રહી જાત તે એ દિશામાં તે પિતાના ધ્યેયથી પતિત થઈ જાત. અભયાએ સુદર્શન ઉપર કે જુલ્મ ગુજાર્યો હતો? તે કેવી પાપાત્મા હતી ? જે કઈ પોતે સચ્ચરિત્રા બની બીજા ઉપર કલંક ચડાવે છે તેથી વધારે કે પાપાત્મા હોઈ શકે? એટલા માટે સુદર્શનના હૃદયમાં અભયા પ્રતિ ક્રોધ આવે એ સ્વાભાવિક હતું. છતાં પણ સુદર્શન જે સત્યધર્મી તે એમ જ વિચારતું હતું કે, આ અભયા રાણું તે મારી સાચી માતા છે, કે તેમણે જ મને અઢાર પાપને ત્યાગ કરવાનો શુભ અવસર આપ્યો છે. જો તમે પણ આ વાતને બરાબર સમજ્યા છે તે તમારામાં એવો વિચાર સરખો પણ ન આવે કે અમુક માણસને સત્યાનાશ થઈ જાય તે મને શાતિ થાય. જો તમને આવો વિચાર આવ્યો, તે તમે એમ નક્કી સમજજો કે તમે સત્યધર્મને કે અરિહંત દેવને હજી સમજી શક્યા નથી. તમારામાં તે એવી ભાવના હોવી જોઈએ કે, “હે ! પ્રભે ! હે ! શાન્તિનાથ ભગવાન ! આપે એક કબુતરની રક્ષા માટે જેવી રીતે શરીરનું સમર્પણ કર્યું હતું, તે જ પ્રમાણે હું પણ બીજાના કલ્યાણ માટે મારા શરીરને સમર્પિત કરી શકું એવી શક્તિ મારામાં આવે.” પણ તમે લેકે મહાજન છે, એટલા માટે એમ વિચારતા હશો કે, જો અમે એમ કહીએ તે અમારો સંસાર-વ્યવહાર કેમ ચાલી શકે ! પણ જે એવો વિચાર તમને થાય તે એમાં વિચારશીલતાને શું અંશ છે, તેને ઊંડે વિચાર કરે. સુદર્શન કહે છે કે, “હે ! પ્રભો ! મારા હૃદયમાં કોઈને પ્રતિ રાગદ્વેષ નથી. જોકે ભલે એમ સમજે કે મને શૂળીએ ચડાવવામાં આવે છે પણ હું તે એમ સમજું છું કે, મારો આત્મા પોતાના આત્મતત્વમાં મળી રહ્યો છે.” આ પ્રમાણે વિચાર કરી સુદર્શને ધ્યાન ધર્યું. ધ્યાનમાં તે નવકારમંત્ર જ જપતો હતા. સાધારણ રીતે નવકારમંત્ર તે ઘણા લોકોને યાદ હશે અને તેને જાપ કરતા હશે; પરંતુ નવકારમંત્ર જપવામાં ભાવનું અંતર રહે છે. એટલા માટે નવકારમંત્રને ભાવપૂર્વક
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy