SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ઘ ૪ ] રાજકોટ–ચાતુર્માસ [ ૩૮૯૧: વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૪ શનિવાર પ્રાર્થના શ્રી અભિનંદન દુઃખનિકન્દન, વંદન પૂજન જોગજી; આશા પૂરી ચિંતા ચૂરો, આપ સુખ આરોગજી. ‘સ’બર' રાય ‘સિદ્ધારથ' રાણી, તેહના આતમજાતજી; પ્રાણ પિયારા સાહબ સાચા, તુહી જ માત ને તાતજી. શ્રી અભિનંદન ॥ ૧ ॥ —વિનયચંદ્રજી કુંભટ ચેવીશી. શ્રી અભિનન્દન ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે. સાચી પ્રાર્થના પ્રાથી પુરુષ જ્યારે પરમાત્માની પ્રાર્થનામાં પોતાના આત્માને આતપ્રેત કરી દે છે ત્યારે તેના હૃદયમાં વિચિત્ર ચમત્કાર પેદા થાય છે. એ ચમત્કારના કરનારને જ થઈ શકે છે. બાકીના લોકો તા તમાશાની માફક પ્રમાણે ખેલ કે નાટકમાં ખેલ કરનારાઓ તે પોતાના ભાવ અને ક્રિયા પ્રમાણે ખેલનું કામ કરે છે, અને બાકીના લોકો તો ખેલ જોનારા જ હોય છે; એ જ પ્રમાણે પ્રાથનામાં ચમત્કાર રહેલા છે એ તા પ્રાર્થના કરનાર જ જાણી શકે છે, બાકીના લોકો જાણી શકતા નથી. વાસ્તવમાં પ્રાર્થનાના વિષય જ કઠિન છે. શાસ્ત્રમાં લવણુ સમુદ્રના હિસાબ બતાવતાં કહ્યું છે કે, લવણ સમુદ્રમાં ૯૫ અંશુલ દૂર જતાં એક અંશુલ ઉંડુ પાણી આવે છે. મ હાથ દૂર જતાં એક હાય ઉંડુ પાણી આવે છે, અને ૯૫ ગાઉ દૂર જતાં એક જુવે જેમાં પણ ઉપ ઉત્તરાત્તર પાણી આવે છે, આ પ્રમાણે જેમ જેમ આગળ જવામાં આવે છે તેમ તેમ આવે છે. આ જ વાત જ્ઞાનને વિષે પણ લાગુ પડે છે. જ્યાંસુધી આત્મા પૂર્ણ નથી, અપૂ છે ત્યાંસુધી તે જ્ઞાનસાગરમાં જેમ જેમ પ્રવેશ કરે છે, તેમ તેમ જ્ઞાનનેા સાગર ઉંડા જણાય છે. એટલા માટે જ્ઞાનસમુદ્રમાં કેવી રીતે જવુ એ એક પ્રશ્ન છે. આને ઉપાય તે પરમાત્માના શરણે જવું એ જ છે. એટલા માટે ભક્ત લોકો કહે છે જબલગ આવાગમન ન છૂટ, તખ લગ યહ અરદાસજી; સમકિત સહિત જ્ઞાન ગુન સમકિત, પાઉં દૃઢ વિશ્વાસજી. ભક્તો કહે છે કે, હે! પ્રભા! જ્યાંસુધી હું અપૂણું છું ત્યાંસુધી મને તારા ચરણ નૌકાના આધાર મળવા જોઈએ. ભક્ત લોકો આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થીના કરે છે, અને જે અનન્ય ભાવે પરમાત્માની સાચી પ્રાર્થના કરે છે તેને પરમાત્માની ચરણનૌકા અવશ્ય મળે છે. G કાઈ માણસ એ હાથ વડે સમુદ્રને તરી રહ્યો હાય તા તેને કેટલી બધી મુશ્કેલી પડે ? પણ જો તેને તે વખતે નૌકા મળી જાય તા તે જ દુસ્તર સમુદ્ર તેને માટે ક્રીડ઼ાસ્થળ બની જાય. આ જ પ્રમાણે ભક્તો કહે છે કે, “ હે ! પ્રભા! અમને તારી ચરણનૌકા મળી જાય તા સંસાર પણ અમારા માટે ક્રીડાસ્થળ બની જાય.” પરમાત્માના ચરણ શરણે જવા માટે આપણી ગતિ તે તરફ જ હાવી જોઈ એ, અને તે માટે આપણે બધાએ પરમાત્માની પ્રાર્થના એક ભાવનાએ એવી કરવી જોઈએ કેઃ—
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy