________________
૩૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા છોકરે પહેલાં જેને હીરે સમજતો હતો તે જ હીરાને ઝવેરીની દુકાને બેસવાથી કાચ સમજવા લાગે અને તે બેટા હીરાને તેણે ફેંકી પણ દીધે. એટલા માટે તે પિતાના મિત્ર ઝવેરીની પ્રશંસા કરશે કે નિંદા? તેના ગુણ ગાશે કે નિંદા કરશે ? આ ઝવેરીએ મને રની પરીક્ષા કરતાં શીખવ્યું એ વિચારથી તે ઝવેરીને ઉપકાર જ માનશે કે મને આ ઝવેરીએ હીરાની પરીક્ષા શીખડાવી ભેટી સંપત્તિ આપી છે. જે ખરા-ખોટાનું જ્ઞાન કરાવે છે, તેના જેવો બીજો કોઈ ઉપકારી નથી. દુઃખના દિવસે ચાલ્યા ગયા. એટલા માટે હવે એ ખોટા હીરાની જરૂર નથી. જો પહેલાં કોઈ આ હીરાને ખેટે કહેત તો તે દુઃખ થાત પણ હવે હીરાને સમજીને ફેંકી દીધો છે તે પછી એમાં દુઃખ માનવાનું શું કારણ?
જો કે, તે છોકરાએ ઝવેરીની દુકાને બેસવાથી અને રત્નને પરીક્ષક બનવાથી પિતાના ઘરની સંપત્તિ રૂપે માનવામાં આવતા હીરાને કી દીધો હતો, છતાં તેને દુઃખ થયું ન હતું. તેમ તે ઝવેરી ઉપર કોઈ પ્રકારની નારાજગી થઈ ન હતી, પરંતુ તે ઊલટ ઝવેરીને પિતાને ઉપકારી માનતા હતા કે આ ઝવેરીએ જ મને સાચા-ખોટા હીરાની પારખ કરતાં શીખડાવ્યું છે.
પરમાત્માના વિષે ભક્તો પણ આમ જ માને છે. તેઓ કહે છે કે, “મારો આત્મા મણુ અજ્ઞાનને કારણે ખાને ખરું અને ખરાને ખોટું માની રહ્યો હતો, પણ ભગવાન સંભવનાથની કૃપાથી મને સત્યાસત્યનું જ્ઞાન થયું છે એટલા માટે હવે અસત્યને ત્યાગ કરવામાં વાર લાગશે નહિ, પરમાત્માએ મને મ્રત્યાસત્યનું ભાન કરાવ્યું છે, એટલા માટે હું તેમના ગુણગાન કરીશ.
તૃણ પર જે ષટ ખંડ ઋદ્ધિ ત્યાગી, ચક્રવર્તી પિણ વરિયે; તે ચારિત્ર આલે સુખ કારણ, તે મેં મનમાં ધરિયો. ભવિજન.
સત્યાસત્યનું સ્વરૂપ જાણવાને કારણે જ છ ખંડની ઋદ્ધિને તૃણની માફક ત્યાગ કર્યો છતાં પણ દુઃખ ન થયું. આવો ત્યાગ પણ સત્યાસત્યનું જ્ઞાન થવાથી જ થયો હતો અથવા થાય છે. જો તમે ઘરબાર છોડી ન શકે તે ભલે પણ સત્યાસત્યનું તે તમે જ્ઞાન કરો. એ વિવેકજ્ઞાનથી જડ અને ચૈતન્યની પૃથતાનું ભાન થશે. આ પ્રમાણે વિવેકજ્ઞાન પેદા થવાથી સંસારનાં પદાર્થો ત્યાજ્ય છે એનું તે તમને ભાન થશે.
જે સત્યાસત્યને વિવેક કરી સંસારનાં પદાર્થોને ત્યાજ્ય માને છે તે જ સમદષ્ટિ છે. જમદષ્ટિ એમ વિચારે છે કે, અત્યાર સુધી તે હું જાણતો ન હતો, પણ હવે હું એ જાણી શક્યો છું કે, કામ, ક્રોધાદિ વિકારે ત્યાજ્ય છે. આ પ્રમાણે વિચાર કરી તેઓ કહે છે કે, “હે પ્રભુ! આ વિકાર અભિમાનને વધારનારાં છે અને અજ્ઞાનતા એ અભિમાનનું કારણ છે. હવે તારી કૃપાથી વિચારો ત્યાજ્ય છે એવું મને જ્ઞાન થયું છે. આપને મારી ઉપર બહુ ઉપકાર છે અને એ કારણે આજે હું તારાં ગુણગાન કરીશ.”
જે પ્રમાણે તે છોકરે ખરા-ખોટા હીરાની પારખ શીખડાવવાને કારણે પિતાના મિત્ર કરીને ઉપકાર માને છે તે જ પ્રમાણે ભક્ત પણ પરમાત્માને ઉપકાર માને છે અને ચશ્વત્યને ત્યાગ કરવા ચાહે છે. ભક્તોની માફક તમે પણ ખેટાં પદાર્થોને ત્યાર કરે અને જે ત્યાગ કરી ન શકો તે એમ માનો કે, હજી હું પરમાત્માને પૂર્ણ ભક્ત બન્યું નથી અને હજી સુધી સંસારનાં પદાર્થોનું સ્વરૂપ હું બરાબર સમજ્યો નથી.