SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ વદી ૧૧]. રાજકેટ-ચાતુર્માસ [૩૪૧ તે તે વાત ઉપર વિશ્વાસ બેસે નહિ. છતાં રાણી તેને દુરાચારી કહે છે અને સુદર્શન મહેલમાં પણ બેઠે છે તે આ વિષે એમ જ કહી શકાય કે, આ ઘટના પાછળ કોઈ રહસ્ય રહેલું હશે. માટે આ રહસ્યની આપણે શેધ કરવી જોઈએ પણ રાણીના કહેવા ઉપર વિશ્વાસ રાખી આવેશમાં આવી જઈ સુદર્શનને દંડ આપ ન જોઈએ, પણ તે વિષે વિચાર કરવો જોઈએ. આ પ્રમાણે પહેરેદારો પરસ્પર વિચાર કરે છે. હવે આગળ શું થાય છે તેનો વિચાર હવે પછી કરવામાં આવશે વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૧૧ શુક્રવાર પ્રાર્થના સમુદ્રવિજય” સુત શ્રી નેમીશ્વર, જાદવકુલકે ટીકે, રતનમુખ ધારણી “સિવારે” તેહને નંદન નીકે. - શ્રી જિન મેહનગારે છે, જીવનપ્રાણ હમારે છે. ૧ છે શ્રી અરિષ્ટનેમિ ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના કરવાની ઈચ્છા તે પ્રત્યેક મનુષ્યને થાય છે પણ પ્રાર્થના કરવાની પોતાનામાં યોગ્યતા છે કે નહિ તે જોવાની જરૂર રહે છે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે પિતાની યોગ્યતાની વારંવાર તપાસ કરતા રહેવું જોઈએ. પોતાનામાં ગ્યતા ન હોય તે પુરુષાર્થારા યોગ્યતા કેવી રીતે પ્રગટાવી શકાય છે એ વાત ભગવાન નેમિનાથ અને સતી રાજમતિના જીવનચરિત્રમાંથી મળી આવે છે. કવિઓ અને ભકતાએ એ બનેનું જીવનચરિત્ર ઘણી જ સરલ રીતિએ ચીતર્યું છે. એ ચરિત્રને હું પૂરી રીતે કહી શકું નહિ છતાં પણ એટલું તે કહી શકું કે, એ ચરિત્રધારા સગુણ પરમાત્માની અને નિગુણ પરમાત્માની પ્રાર્થનાની પદ્ધતિ જાણી શકાય છે, અને બન્ને પ્રકારની પ્રાર્થનાની યેગ્યતા પ્રગટી શકે છે. સગુણુ પરમાત્મામાં અરિષ્ટનેમિનું બાળપણ, તેમના વિવાહ વગેરેનો વિષય છે. આ વિષે વિશેષ વિચાર કરવાનો સમય નથી. અહીં તે કેવળ એ જ બતાવવાનું છે કે, ભગવાન અરિષ્ટનેમિ અને સતી રાજમતિના ચરિત્રકારા મનુષ્યમાં પરમાત્માની પ્રાર્થના કરવાની યોગ્યતા આવી શકે છે. આજે તો લોકે, પરમાત્માની પ્રાર્થના કરવાની યોગ્યતા ન હોવાને કારણે ગભરાઈ જાય છે. એવા લોકોને ભગવતી રાજીમતિ પિતાના ચરિત્રદ્વારા એવી સૂચના આપે છે કે, ગભરાઓ નહિ. તમારી જ માફક એક સમયે હું પણ ગભરાઈ ગઈ હતી. મને પણ સંસારના વિકારી વિચારીએ એકવાર ચક્કરમાં ઘેરી લીધી હતી પણ જ્યારે મને તનું જ્ઞાન થયું ત્યારે મારી બધી ગભરામણ દૂર થઈ ગઈ અને ભગવાન અરિષ્ટનેમિને પણ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy