SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વદ ૧૩ ] રાજકાટ-ચાતુર્માસ [ ૭૫ આજે ધર્મના અર્થ બહુ જ સંકુચિત કરી નાંખવામાં આવ્યા છે અને એ સંકુચિતતા શ્રાવકાના ખાર ત્રતામાં પણ ઘુસેડી દેવામાં આવી છે! પણ જો ત્રતામાં એવી સંકુચિતતા હાત તે માટા મોટા રાજા-મહારાજાએ બાર ત્રતાને સ્વીકાર કરી ન શકત, તેમ તેનું પાલન પણ કરી ન શકત, આજે ધર્માંમાં જે સંકુચિતતા આવી ગઈ છે. તેથી ધની હાનિ જ થવા પામી છે. આનંદ શ્રાવકને ત્યાં ચાલીશ હજાર ગાયા હતી. તેને ત્યાં ગાયા વધારવાનું કારણ મને તે એ જણાય છે કે, તે જ્યાં સહાયતા દેવાની જરૂર જણાતી ત્યાં પૈસા ન આપતાં, ગાયા જ આપતા હશે. પૈસા દેવાથી તે આળસ વધે છે પણ ગાય આપવાથી તેને ગાયને માટે આળસ છેાડી ઉદ્યોગ કરવા પડે છે. આ પ્રમાણે ખીજા લોકોને પણ સુખી બનાવવાના ઉદ્દેશથી તેણે પૈસા આપવાને બદલે ગાય આપવાના માર્ગ પકડયા હશે! આગળ જતાં આનંદે કુટુંબની મમતાને પણ ત્યાગ કર્યાં છે પણ જ્યાંસુધી કુટુંબની મમતા છૂટી નથી ત્યાંસુધી કેવળ બીજા જીવાતી મમતા કે કરુણાના ત્યાગ કરવા એ અનુચિત છે! જ્યારે કુટુંબની પણ મમતા છે।ડી દેવામાં આવે ત્યારે બધા ઉપરથી મમતા ઉતારી દેવી ઠીક છે પણ જ્યાંસુધી કુટુંબની મમતા હેાડી શકાઈ ન હોય તે પહેલાં ખીજા' વાની મમતા અને કરુણા છેડી દેવી, એ ડીક નથી. નિવૃત્તિ ક્રમશઃ કરવી જોઇ એ. પૂર્વ ભૂમિકા તૈયાર ક્રર્યાં વિન: લેવામાં આવતી નિવૃત્તિ સાર્થક નીવડતી નથી. નિવૃત્તિ કેવી હાય એ જ વાત હું મહાનિ ન્થના ચરિત્રદ્વારા બતાવું છું. અનાથી મુનિના અધિકાર—૮ કાલે 'ડિક્રુક્ષ ભાગ નંદનવનની સમાન ફળફૂલોથી સુશોભિત હતા એ કહેવામાં આવ્યું છે. દેવાનું વર્ણન કરવામાં નંદનવનને ભલે માટું માનવામાં આવતું હોય પણ અમુક દૃષ્ટિએ જોઈએ તેા તે નંદનવન મડિક્રુક્ષ બાગથી નાનું જ કહી શકાય. મડિક્રુક્ષ ભાગના જેવું નંદનવન હાઈ શકે નહિ ! તમે કહેશેા કે, નંદનવન મ`ડિકક્ષ બાગની માન કેમ ન હાઈ શકે? આ પ્રશ્નના ઉત્તર એક કલ્પનાચિત્રદ્રારા આપું છું. કલ્પના કરેા કે, એક રાજાને મહેલ છે. તેમાં સંગેમરમરની લાદી પાથરવામાં આવી છે. ચારેય બાજુ ચિત્રાદ્વારા સુંદર શણગાર કરવામાં આવ્યેા છે અને તે સિવાય અનેક પ્રકારનાં સુખસાધના ત્યાં તૈયાર રાખવામાં આવ્યાં છે. બીજી બાજુ એક નાનકડું ખેતર છે. એ ખેતરમાં કાળી માટી છે, જળભર્યાં નાનકડા કુવા છે અને એ ખેતરમાં નાનાં નાનાં છેડવાંએ ઊગેલાં છે, આ એમાં તમે કેાને પસંદ કરશે ? મહેલને કે ખેતરને ? કોઈ માણસને એ મહેલમાં રહેવા દેવામાં આવે અને તેની સાથે એવી શરત કરવામાં આવે કે, ખેતરમાં પેદા થયેલી કોઈ ચીજ એ મહેલમાં આપવામાં આવશે નિહ તે શું તેને મહેલમાં રહેવું પસંદ પડશે ? અને જો કાઈ માણસને એમ કહેવામાં આવે કે, તને ખેતરમાં પેદા થયેલી બધી ચીજો ખાવા માટે આપવામાં આવશે પણ રહેવા માટે તે એક નાનકડુ ઝુપડું જ મળશે !
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy