SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૦ શારદા સરિતા આચાય હતા. એમણી વાણી સાંભળી સુધનના જીવનવું પરિવર્તન થઇ ગયું હતું. સુધનને મન ગુરૂ કહા કે ભગવાન કહેા તેા આચાર્ય રત્નસૂરિ મહારાજ હતા ને આચાર્યને મન સુધન ભક્ત કહા કે શિષ્ય કહે એટલે તેના ઉપર વિશ્વાસ હતા. આખા દિવસ સુધનઉપાશ્રયમાં રહી ગુરૂ પાસેથી જ્ઞાન-ધ્યાનનેા લાભ લેતા ને ધર્મકરણીમાં સમય વીતાવતા. એક દિવસ સુધન કોઇ કામ પ્રસ ંગે બહાર ગયેલા. તે મહારથી ઉપાશ્રયમાં આવ્યા તે વખતે મહ!રાજ એમના રજોહરણનુ પડિલેહણ કરી રહ્યા હતા. રજોહરણની વચમાં એક નાનકડી પાટલી રાખેલી. સુધનનું આવવું ને આચાર્ય શ્રીનુએ પાટલીનુ પડિલેહણ કરવું. સુધનની નજર પાટલી ઉપર પડી ગઇ. જોયુ તે અંદર કિંમતી રત્ન હતા. રત્નાકરસૂરિ ક્રૌડાધિપતિના દીકરા હતા. સંસાર ત્યાગી સંયમી અન્યા પણ પાતે એક કિમતી હીરાની વીટી પહેરતા હતા તેમાં મેહ રહી ગયેલા એટલે વીટીમાંથી હીરા કઢાવી કપડે બાંધી રજોહરણમાં રાખતા. પોતાના શિષ્યાને રજોહરણનું પડિલેહણ કરવા આપતા નહિ. પોતાની જાતે કરી લેતા. શિષ્યા વસ્ત્ર-પાત્રનું પડિલેહણ કરવા જતા ત્યારે ગુરૂ રજોહરણની સાથે પેલી પાટલીનુ પડિલેહણ કરી લેતા. કામિનીના ત્યાગીને કાઇ કામિની સાથે ક્રીડા કરતા જોઈ જેમ સજ્જનની આંખા મીંચાઇ જાય તેમ આચાર્ય પાસે રસ્તે જોઇ સુધનની આંખે પણ મીચાઈ ગઇ. એના મનમાં અનેક તર્ક-વિતર્ક થયાં. અહા ! ક ંચન - કામિનીના ત્યાગી પુરૂષને કંચન કથીર સમાન ન લાગે તે કંચનના ત્યાગી શેના! મારા ગુરૂદેવ આવા સમ વિદ્વાન હાવા છતાં શું એ નહિ જાણતા હોય કે પશ્ર્ચિડ એ પાપનું મૂળ છે. હજારે શ્રોતાજનાને પરિગ્રહ પરિમાણુનું વ્રત આપનારા ગુરૂદેવ શું રત્નાને પરિગ્રહ નહિ માનતા હૈાય ? એ કેમ માની શકાય ? જો એમ નથી તે। ગુરૂ પાસે આ કાચના ટુકડા જેવા રત્ના ક્યાંથી? સંસારને મેહ છૂટયે પણ આ સ્નેને માહ નહિ છૂટયેા હાય. સુધનના મનમાં આવા વિચાર ચાલી રહ્યા હતા. ત્યાં રત્નાકરસૂરિએ રત્નાની પેટલી ખાધી રજોહરણમાં મૂકી દીધી. સુધનના દિલમાં ખૂબ દુઃખ થયું, કારણ કે રત્નાકરસૂરિ ઉપર તેને અ ંતરને પ્રેમ હતા, એમના માટે કોઇ એક પણ શબ્દ આડે.અવળેા ખેલે તે એને મૂગો કરી નાંખે. અતૂટ વિશ્વાસ અને અચલ શ્રદ્ધાપૂર્વક તેણે પેતાનું જીવન રત્નાકરસૂરિના ચરણમાં સમર્પિત કર્યું' હતું. ખીજા કોઈએ ભૂલેચૂકે સુધનને કહ્યું હાત કે રત્નાકરસૂરિ રત્ન રાખે છે તેા સુધન ખીલકુલ માનત નહિ, એટલું નહિ પણ સુધન એને મારવા દોડત પણ આજે તે! એ પોતે પ્રત્યક્ષ નિહાળી રહ્યા હતા, ગુરૂદેવ પ્રત્યે ભેા કરેલા શ્રદ્ધાને પહાડ આજે તૂટી રહ્યા હતા. સુધન અત્યારે સામાયિક કરવા આવ્યા હતો એટલે સામાયિક ત કર્યું પણ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy