SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયશ્ચિત્ત આપનાર, (૮) અપાયદર્શી - આલોચના કરનારને અપરાધનાં દુષ્પરિણામોને સમજાવનાર, (૯) પ્રિયધર્મા અને (૧૦) દઢધર્મા. પ્રતિસેવનાનાં દસ કારણોઃ દસ કારણોથી અતિચાર કે દોષોનું સેવન કરવામાં આવે છે, તે દસ કારણ આ છે : (૧) દર્પ (અહંકાર) (૨) પ્રમાદ (૩) અનાભોગ (૪) આતુરતા (સુધા કે રોગથી પીડિત થવાથી) (૫) આપત્તિ (૬) શંકા (૭) સહસાકાર (અકસ્માત) (૮) ભય (૯) પ્રàષ અને (૧૦) વિમર્શ (પરીક્ષા). આ કારણોથી દોષોનું પ્રતિસેવન કરવામાં આવે છે અને એમની શુદ્ધિ-હેતુ પ્રાયશ્ચિત્ત લેવામાં આવે છે. પ્રાયશ્ચિત્તના દસ દોષોઃ પ્રાયશ્ચિત્ત આત્મશુદ્ધિ માટે નિષ્કપટ ભાવથી લેવું જોઈએ. પરંતુ એવું ન કરતાં કેટલાંક અતિચારસેવી નીચેના દોષોનું સેવન કરે છે. એવા દસ દોષો બતાવવામાં આવ્યા છે : (૧) સાવપૂચિત્તા : આચાર્ય મહારાજ મને ઓછામાં ઓછું પ્રાયશ્ચિત્ત આપે, એ ભાવનાથી એમને વૈયાવૃત્ય વગેરે દ્વારા પ્રભાવિત કરવા. (૨) મગુમારૂત્તા ઃ નાનો અપરાધ બતાવવાથી આચાર્ય થોડી સજા (દંડ) કરશે, એવું વિચારીને પોતાના અપરાધને નાનો કરીને બતાવવો અણુમાણઈત્તા દોષ છે. (3) = દિ : આચાર્ય વગેરે દ્વારા જે અવિચાર કે દોષ જોઈ લીધા હોય, એની જ આલોચના કરવી, શેષને છુપાવવા. (૪) વીર : મોટા-મોટા અતિચારોની આલોચના કરવી અને સૂક્ષ્મને છોડી દેવી. (૫) સૂક્ષ્મ : સૂક્ષ્મ અતિચારોની આલોચના કરવી, મોટા-મોટા અતિચારોને છુપાવી લેવા. આચાર્ય એ સમજી લે કે આ જ્યારે નાના-નાના અતિચારોની આલોચના કરી રહ્યા છે તો મોટા અતિચારોની આલોચના કેવી રીતે છોડી શકે છે, આ ભાવનાથી સૂક્ષ્મ અતિચારોની આલોચના કરવી અને મોટા અતિચારોને છુપાવવા. (૬) છત્ર : આ પ્રકારના ગુપચુપ કે અસ્પષ્ટ શબ્દોમાં આલોચના કરે, જેને આચાર્ય ન સાંભળી શકે. (૭) શબ્દ ન એટલા જોર-જોરથી આલોચના કરે કે અંગીતાર્થ પણ એને સાંભળી લે. (૮) વનન : એક આચાર્ય વગેરેની પાસે એક અપરાધની આલોચના કરી લેવાથી એ જ અપરાધ માટે અન્ય આચાર્ય વગેરેની પાસે ફરી આલોચના કરવી. (૯) વ્યક્તિ : અંગીતાર્થના પાસે આલોચના કરવી. (૧૦) તત્સવી : જે અતિચારની આલોચના કરવી છે, એનું સેવન કરનારની પાસે આલોચના કરવી, જેનાથી તે અલ્પ દંડ આપે. (૯૬) ની જ છે. જે જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy