SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ અચિત્ત પાણી પુનઃ સચિત્તઃ અચિત્ત પાણીના પુનઃ સચિત્ત હોવા સંબંધમાં દશવૈકાલિક સૂત્રમાં ટબ્બામાં નિમ્ન ઉલ્લેખ છે - तहेव चाउलं पिटठं, वियडं वा तत्त निव्वुडं । तिल पिट्ठ पूइ पिन्नागं, आमगं परिवज्जए ॥ - દશવૈકા, અ-૫, ૬-૨, ગા-૨૨ टब्बा : "तहेव" तिमहिज बले चाउलं-ओसा चावल करनिगउ पिढें-चूर्णएता लोट आये बगड़े, वियर्ड-नदी तालाब आदिक नो काचो उ पाणी वा अथवा तत उतत उपाणी, पर तीन ऊकालादिक रहित एतलइ निव्वुडं-काचो ते जीव सहित ते जीव नीवृत नहीं एतलइ मिश्र पाणी पूरो नथी थय, उने न लेवइ तथा "वियडं वा-अथवा तप्त थकी अनिवृत्त त्रिणि उकाला रहित अथवा त्रिणि उकाला बातार पिन शीतल उवइ, तथा गोलादि शीत उहमा मिला करि ते, तथा जोनि ने पलटवे करी ने ते उन्हाथी शीतुल हुआ, पछी तेवली केटला कालइ पा वो सचित उअइ ते कहे ते उन्हालानी पांच पहर उपरिंत सचित थाय शीत काले चार पहर उपरिंत सचित थाय, तथा वर्षा काल ते पाणी तीन पहर उपरिंत सचित थाय, ये पाणी बहरणो न कल्पै काच्चो थइ जाय । ટબ્ધાર્થ ઃ આ પ્રકારે ચોખા વગેરેનો તત્કાળ પીસાવેલો આટો નદી-તળાવાદિના સચિત્ત પાણી અથવા ત્રણ ઉકાળાથી રહિત પાણી જીવ સહિત અથવા જીવ રહિત એવું મિશ્ર પાણી, પૂરું અચિત્ત થયું નથી એવું પાણી ન લેવું તથા - ગરમ થઈને પણ ત્રણવાર ઉકાળો ન આવે, ત્રણ ઉકાળાથી અચિત્ત થઈને પણ સચિત્ત થઈ ગયો હોય, આવું પાણી પણ ન લેવું. અન્ય પદાર્થોના મળી જવાથી સચિત્ત પાણીની યોનિ બદલી જાય છે. એવું અચિત્ત પાણી અથવા ગરમ પાણી ઠંડુ થયા પછી કેટલાક કાળ પછી પુનઃ સચિત્ત થઈ જાય છે ? - ઉત્તર : આવું પાણી ગ્રીષ્મ ઋતુમાં પાંચ પ્રહર ઉપરાંત, શીત કાળમાં ચાર પ્રહર અને વર્ષા કાળમાં ત્રણ પ્રહર ઉપરાંત સચિત્ત સજીવ થઈ જાય છે. આ પાણી ગ્રહણ કરવું કલ્પતું નથી. કારણ કે સચિત્ત થઈ ગયું છે. દશવૈકાલિક સૂત્રમાં આ પણ પ્રતિપાદિત કર્યું છે કે - “સાધુએ અત્યંત ખાટું કે દુર્ગધવાળું પાણી લેવું ન જોઈએ. કારણ કે તે તૃષાને દૂર કરનાર હોતું નથી.” કદાચ ભૂલથી પણ આવું જળ લેવામાં આવી ગયું હોય તો તેને યતનાની સાથે પ્રાસુક એકાંત સ્થાનમાં ત્યાગ કર જોઈએ. તેણે સ્વયં ન પીવું જોઈએ કે ન બીજાને પીવડાવવું જોઈએ. આ પ્રકારે જે શ્રમણ નિગ્રંથ પારૈષણાનું સમ્યફ પાલન કરે છે તે શુદ્ધ ચારિત્ર ધર્મની આરાધના કરે છે. વષણા : જૈન સાધનાના “સાધ્વાચાર સંહિતા'માં અચેલ” અને “સચેલ શબ્દોનો પ્રયોગ થયો છે. ત્યાં અચેલ શબ્દ એક વિશેષ રૂઢ અર્થમાં પ્રયુક્ત થયો છે. કારણ કે પૂર્ણતયા નિર્વસ્ત્રનું વિધાન (૧૦) જે છે તે જિણધો]
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy