SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર'ના નવમા સ્થાનમાં કહેવામાં આવ્યું છે - नव सब्भाव पयत्था पण्णत्ता, तंजहा-जीवा, अजीवा, पुण्णं, पावो, आसवो, संवरो, निज्जरा, बंधो मोक्खो । - સ્થાનાંગ સૂત્ર, સ્થાન-૯, સૂ.-૬૬૫ અધિકાંશ રૂપમાં સર્વત્ર તત્ત્વોની સંખ્યા નવ જ ઉપલબ્ધ થાય છે. ‘તત્ત્વાર્થ સૂત્ર'માં સાત તત્ત્વ બતાવ્યા છે. जीवाजीवाश्रव बंधसंवरनिर्जरामोक्षास्तत्वम् - તત્ત્વાર્થ સૂત્ર, ૧-૪ (૧) જીવ (૨) અજીવ (૩) આસ્રવ (૪) બંધ (૫) સંવર (૬) નિર્જરા અને (૭) મોક્ષ. એ સાત તત્ત્વો છે. એમાં પુણ્ય અને પાપ તત્ત્વનો આસ્રવ તત્ત્વમાં કે બંધ તત્ત્વમાં સમાવેશ કરીને સાત તત્ત્વ માનવામાં આવ્યાં છે. પુણ્યનો શુભ આસ્રવ કે શુભ બંધ માનવામાં આવે છે અને પાપને અશુભ આસવ બંધ માનવામાં આવે છે. આ વિવક્ષા પદ્ધતિનું અંતર માત્ર છે. વસ્તુતઃ આમાં કોઈ મૌલિક અંતર નથી. જ્યારે પુણ્ય-પાપની સ્વતંત્ર વિવક્ષા કરવામાં આવે છે ત્યારે નવ તત્ત્વની સંખ્યા થઈ જાય છે અને જ્યારે પુણ્ય-પાપને આસ્રવ કે બંધમાં સમાવિષ્ટ કરી લેવામાં આવે છે તો તત્ત્વોની સંખ્યા સાત થઈ જાય છે. તત્ત્વોનું આ નિરૂપણ અધ્યાત્મ શાસ્ત્રની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. આને તત્ત્વ કહેવાનો અભિપ્રાય એ છે કે મોક્ષમાર્ગમાં મુખ્યત્વે સાધક કે બાધક છે. અધ્યાત્મ શાસ્ત્રમાં એ જ વાતોને મહત્ત્વ આપવામાં આવે છે, જે આત્માની મુક્તિ માટે ઉપયોગી છે. આ ઉપયોગી વાતોમાં પણ જે વિશેષ રૂપથી, પ્રધાન રૂપથી ઉપયોગી હોય છે, એમને જ અહીં તત્ત્વની સંજ્ઞા આપવામાં આવી છે. જેમ કે ભૌતિક જગતમાં ક્ષિતિ, જળ, પાવક (અગ્નિ), ગગન (આકાશ) અને સમીર-(વાયુ)તત્ત્વ માનવામાં આવે છે, કારણ કે આ પાંચ મૂળ પદાર્થ છે, જેના પર આખું ભૌતિક જગત અવલંબિત છે. માટે એ ભૌતિક જગતમાં “પંચ તત્ત્વ” કહેવાય છે. આ રીતે આત્મિક જગતમાં મુક્તિ માટે જે વાતો મૂળભૂત ઉપયોગી છે, એમને જ તત્ત્વ કહેવાય છે. આ તત્ત્વોમાં જગતનાં બધાં તત્ત્વોનો સમાવેશ થઈ જાય છે. આ દૃષ્ટિબિંદુને લઈને આધ્યાત્મિક જગતમાં નવ તત્ત્વ માનવામાં આવ્યા છે. જીવ: જેમાં ચેતના-ઉપયોગ-શકિત જોવા મળે છે એ જીવ તત્ત્વ છે. આ અનાદિ અનંત શાશ્વત તત્ત્વ છે. આ સ્વયં સિદ્ધ છે. ના આને કોઈએ બનાવ્યો છે કે ન કોઈ દ્વારા ક્યારેય આનો નાશ થઈ શકે છે. એ હંમેશાં જીવિત રહેવાથી જીવ કહેવાય છે. ચેતના આનું મુખ્ય લક્ષણ છે. ઉપયોગ નક્ષત્ર - તત્ત્વાર્થ સૂત્ર, ૨-૮ K નવ-તત્ત્વ સ્વરૂપ છે જે નવ-તત્વ સ્વરૂપ છે તે છે જે છે ૮૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy