SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એવા શ્રદ્ધાન અને સમ્યક્ત્વનું પરસ્પર અવયંભાવિત્વ પ્રદર્શિત કરવા માટે કાર્યમાં કારણનો ઉપચાર કરીને તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેવાયું છે. માટે આગમવિરોધનું કથન નિર્મૂળ છે. આ વિશ્લેષણના પરિપ્રેક્ષ્યમાં પુનઃ જિજ્ઞાસા થાય છે કે અન્યત્ર શાસ્ત્રોમાં - “તત્વત્ર ધ્યવસાય: સંખ્યત્વમ્ ' અર્થાત્ દેવ, ગુરુ, ધર્મ આ ત્રણેના પ્રત્યે યથાર્થ શુભ અધ્યવસાયને સમ્યકત્વ કહેવાયો છે. જેમ કે - अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं पमाणं च । - इच्चाइ सुहो भावो, सम्मत्तं बिंति जगगुरुणो ॥ અર્થાત્ અરિહંત દેવ છે, શુદ્ધ આચારનું પાલન કરનાર સુસાધુ ગુરુ છે અને જિતેન્દ્ર દેવ દ્વારા પ્રરૂપિત ધર્મ જ પ્રમાણ છે, આ પ્રકારના શુભભાવને જગ-ગુરુ-તીર્થકર દવે સમ્યકત્વ કહ્યું છે તો તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગુદર્શન છે કે તત્ત્વત્રય અધ્યવસાયરૂપ સમ્યગ્દર્શન છે ? શું આ બંને વ્યાખ્યાનોમાં અંતર નથી ? ઉપર્યુક્ત જિજ્ઞાસાનું સમાધાન પ્રસ્તુત કરતાં કહેવાયું છે કે – “આ બંને વ્યાખ્યાનોમાં કોઈ વિરોધ નથી.” તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યગુદર્શન સાધુ અને શ્રાવક બંને માટે સમાનરૂપથી લાગુ પડે છે જ્યારે ગૃહસ્થો માટે દેવ, ગુરુ, ધર્મના પ્રત્યે ક્રમશઃ પૂજ્યત્વ, ઉપાસ્યત્વ અને અનુષ્ઠયત્વ (આચરણીયતા) ભાવ પ્રગટ કરવા માટે તત્ત્વત્રય અધ્યવસાય રૂપ સમ્યગ્દર્શન કહેવાયું છે. વસ્તુતઃ ઉપરનાં બંને વ્યાખ્યાનોમાં પરસ્પર વિરોધ નથી. કારણ કે દેવ, ગુરુ, ધર્મનો તત્ત્વોમાં સમાવેશ થઈ જાય છે. દેવ અને ગુરુના જીવતત્ત્વમાં તથા ધર્મના સકામ નિર્જરા અને સંવરમાં સમાવેશ થઈ જાય છે, માટે બંને વ્યાખ્યાનોમાં વિરોધ નથી. -૧૪ ( નવ-તત્વ સ્વરૂપ HE તત્ત્વાર્થ શ્રદ્ધાનં સભ્યનં' - આમાં તત્ત્વ અને અર્થ એ બંને વાતો ધ્યાન રાખવા લાયક છે. તત્ત્વથી તાત્પર્ય જીવ-અજીવ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - આ તત્ત્વોની સત્તા પર, એમના અસ્તિત્વ પર શ્રદ્ધા કરવી છે. જ્યારે સર્વથી તાત્પર્ય આ તત્ત્વોના યથાર્થ સ્વરૂપ પર શ્રદ્ધા કરવી છે. જેમ આત્મા છે એ તત્ત્વ થયું અને આત્માના યથાર્થ સ્વરૂપ જ્ઞાન-દર્શન-સુખ અને વીર્યાત્મક્તા પર શ્રદ્ધા કરવી - અર્થ થયો. આ રીતે તત્ત્વ અને એના અર્થ-યથાર્થ સ્વરૂપ પર શ્રદ્ધા કરવી સમ્યગુદર્શનનું સ્વરૂપ કહેવાય છે. તત્ત્વ નવ કહ્યા છે - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. जीवाजीवा य बंधो य पुण्णं पावासवो तहा । संवरो निज्जरा मोक्खो, संतेए तहिया नव ॥ (૮૦) : જિણધો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy