SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. વાકચાતુર્ય અર્થાત્ ભાષણ કરવાની ચતુરતા હોવી આચાર્યની ચોથી વચન સંપત્તિ છે. એના પણ ચાર પ્રકાર છે : (૧) જેનું કોઈ ખંડન ન કરી શકે એવા નિર્દોષ અને ઉત્તમ વચન બોલવાં, કોઈને એ, તું વગેરે હલકા શબ્દોથી સંબોધિત ન કરવા અને જેમને સાંભળીને વિરોધી પણ ચકિત થઈ જાય એવા પ્રતિભાશાળી વચન બોલવા પ્રશસ્ત-વચન સંપત્તિ છે. (૨) કોમળ, મધુર, ગંભીર વચન મીઠાશ સાથે બોલવા મધુર-વચન સંપત્તિ છે. (૩) રાગ-દ્વેષ, પક્ષપાત અને ક્લષતા વગેરે દોષોમાં રહિત વચન બોલવા અનાશ્રિત-વચન સંપત્તિ છે. (૪) મણમણાદિ દોષોથી રહિત સુસ્પષ્ટ અને સાર્થક વચન બોલવાં, જેનાથી બાળક પણ સમજી જાય, સ્કુટ-વચન સંપત્તિ છે. ૫. શિષ્યોને શાસ્ત્ર અને ગ્રંથની વાચના દેવાની કુશળતા હોવી પાંચમી વાચના સંપત્તિ કહેવાય છે. એના પણ ચાર પ્રકાર છે : (૧) શિષ્યની યોગ્યતાને જાણીને સુપાત્ર શિષ્યને એટલું જ જ્ઞાન આપવું જેટલું એ ગ્રહણ અને ધારણ કરી શકે. તથા જેમ સાપને દૂધ પિવડાવવામાં આવે તો એ ઝેર બની જાય છે, એમ કુપાત્રને આપવામાં આવે તો જ્ઞાન મિથ્યાત્વ વગેરે દુર્ગુણોને વધારે છે. માટે કુપાત્રને જ્ઞાન ન આપવું “જોગોગુણ છે. (૨) સમજ્યા વગર અને રુચિ વગરનું જ્ઞાન સમ્યક પ્રકારથી પરિણત થતું નથી અને વધુ સમય સુધી ટકતું જ નથી. એવું સમજીને પહેલાં આપવામાં આવેલી વાચનાને શિષ્યની બુદ્ધિ અનુસાર એને સમજાવી રુચાવે-જંચાવે અને પછી વાચના આપે આ પરિણત ગુણ છે. (૩) જે શિષ્ય વધુ બુદ્ધિશાળી હોય, સંપ્રદાયનો નિર્વાહ કરવામાં, ધર્મને પ્રકાશિત કરવામાં સમર્થ હોય, એને અન્ય કાર્યોમાં વધુ ન લગાવતાં, આહાર-વસ્ત્ર વગેરેની સાતા ઉપજાવીને યથાયોગ્ય પ્રશંસા દ્વારા ઉત્સાહ વધારીને, શીઘ્રતાથી સૂત્ર વગેરેનો અભ્યાસ પૂર્ણ કરાવવો નિરપાયિતા ગુણ છે. (૪) જેમ પાણીમાં તેલનો છાંટો ફેલાય છે એમ એવા શબ્દોમાં વાચના દેવી કે શબ્દ થોડા હોવા છતાં પણ અર્થ ગંભીર અને વ્યાપક હોય તથા બીજું સરળતાથી સમજી શકાય - અર્થાત્ નિર્વાહણા ગુણ છે. ૬. સ્વયંની બુદ્ધિ પ્રબળ તીક્ષ્ણ હોવી મતિસંપત્તિ છે. એના પણ ચાર પ્રકાર છે : (૧) શતાવધાની સમાન સાંભળેલી, દેખેલી, સુંઘેલી, ચાખેલી અને સ્પર્શેલી વસ્તુના ગુણોને એકદમ ગ્રહણ કરી લેવા એ અવગ્રહ ગુણ કહેવાય છે. (૨) ઉપરના પાંચેયનો તત્કાળ નિર્ણય કરી લેવો ઈહા ગુણ કહેવાય છે. [ આચાર્ય છે જ છે. આ જ ૪૧]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy