SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) સાદિ સાન્ત મિથ્યાત્વ જે મિથ્યાત્વ એકવાર નષ્ટ થઈ ચૂકે છે, પરંતુ પાછું પેદા થઈ જાય અને પાછું યથાકાળ નષ્ટ થઈ જશે તે સાદિ સાન્ત મિથ્યાત્વ છે. સાદિ અનંત ભંગ શૂન્ય છે. કારણ કે જે મિથ્યાત્વના આદિ હોય તે અંતવાળા પણ હશે જ. તેથી સાદિ અનંત મિથ્યાત્વ હોતું નથી. મિથ્યાત્વનાં પાંચ ભેદ : - મિથ્યાત્વના મુખ્ય રૂપથી પાંચ ભેદ છે - (૧) અભિગ્રહિક મિથ્યાત્વ (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ (૩) અભિનિવેશિક મિથ્યાત્વ (૪) સાંશયિક મિથ્યાત્વ (૫) અનાભોગિક મિથ્યાત્વ. કહેવાયું છે કે - आभिग्गहि अमणाभिग्गहं च तह अभिनिवेसियं चेव । संसइ अमणा भोगं मिच्छत्तं पंचहा एअं ॥ - ધર્મસંગ્રહ (૧) અભિગ્રહિક મિથ્યાત્વ : પોતે માનેલી મિથ્યા માન્યતાઓને કટ્ટરતાપૂર્વક પકડી રહેવું અભિગ્રહિક મિથ્યાત્વ છે. પોતાના અસતુ અને મિથ્યા કદાગ્રહથી અભિનિવેશપૂર્વક ચોંટી રહેવું અભિગ્રહિક મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ ખૂબ ભયંકર છે, કારણ આમાં મિથ્યા માન્યતાઓના પ્રતિ કટ્ટર પક્ષપાત થવાથી તીવ્ર સંક્લેશની અનિવાર્ય સંભાવના રહે છે, જેનાથી ગુરુતર કર્મોનો બંધ થાય છે. બધા મિથ્યાત્વમાં એ જ અભિગ્રહિક મિથ્યાત્વ બધાથી ખતરનાક અને તીવ્ર કર્મબંધનું કારણ હોય છે, કારણ કે આમાં તીવ્ર સંક્લેશ અને અભિનિવેશ હોય છે. સંશય, મિથ્યાત્વ, અનાભોગ, મિથ્યાત્વ અને અનાભિગ્રહિક મિથ્યાત્વમાં અભિનિવેશ થતું નથી. આમાં જેમ તત્ત્વ પર શ્રદ્ધા હોતી નથી, એમ જ અતત્ત્વ પ્રતિ પણ અભિનિવેશ થતો નથી. જેમ કે કહેવાયું છે - एओ अ एत्थ गुरुओ णाणज्झवसाय संसया एवं । जम्हा असप्पवितो एत्तो सव्वत्थ अणत्थफला ॥ - ધર્મસંગ્રહ અર્થાતુ વિપર્યાસ રૂપ અભિગ્રહિક મિથ્યાત્વ બધા મિથ્યાત્વમાં ગુરુતર છે, કારણ કે તે વિપરીત રૂપ હોવાથી દુષ્પતિકાર અને અસત્ પ્રવૃત્તિઓના કારણભૂત હોય છે. અને તેનાથી તીવ્ર કર્માનુબંધ રૂપ ક્લેશની પ્રાપ્તિ થાય છે. સંશય અને અનધ્યવસાયરૂપ અન્ય મિથ્યાત્વ અર્થાત્ અનભિગ્રાહિક, સાંશયિક અને અનાભોગિક મિથ્યાત્વ તીવ્ર અનુબંધના કારણ નથી. કારણ કે તેમાં તીવ્ર સંક્લેશ અને તીવ્ર અભિનિવેશ થતા નથી. સાથે તે સુપ્રતિકાર છે અને અત્યંત અનર્થ સંપાદક નથી. ક્રૂર અનુબંધનું કારણ હોવાથી અભિગ્રાહિક મિથ્યાત્વ સર્વાધિક ભયંકર થાય છે. પોતાની માન્યતાઓના અસત્ આગ્રહ આંખો પર પટ્ટી બાંધી દે છે, જેનાથી સત્ય અને તત્ત્વનું દર્શન થઈ જ શકતું નથી. એવી કદાગ્રહી વ્યક્તિ સત્ય અને તત્ત્વને સમજવા અથવા સાંભળવા પણ ઇચ્છતા નથી. તે પોતાના મતના એટલા આગ્રહી હોય છે કે તે કોઈ સત્ય યુક્તિની પણ પરવાહ કરતા નથી. આ યુક્તિઓને પોતાના મતાનુકૂળ બનાવવાની ચેષ્ટા કરે છે ને કે યુક્તિયુક્ત પક્ષને ગ્રહણ કરવાની. જે મારું છે અથવા હું જે કહું છું કે (૫૦૦) છે, જિણધમ્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy