SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ (આસ્રવ તત્ત્વ) “આસ્રવ’ એ પારિભાષિક શબ્દ છે, જે આત્માના સાથે કર્મોનો સંબંધ કરાવનાર હેતુઓના અર્થમાં પ્રયુક્ત થા છે. પૂર્વાચાર્યોએ “આત્રવ' શબ્દની અનેક રૂપમાં વ્યુત્પત્તિ કરી છે - 'आस्त्रवन्ति-प्रविशन्ति येन काण्यात्मनीत्यास्त्रवः कर्मबन्ध हेतुरितिभावः ।' - સ્થાનાંગ ટીકા અર્થાત્ જેના દ્વારા કર્મ આત્મામાં પ્રવેશ કરે છે, તે આસ્રવ છે અર્થાત્ કર્મબંધના હેતુ આસ્રવ છે. મોત્તિ-મત્તે જઈ તે માઢવા: ' - ધર્મસંગ્રહ અર્થાત્ જેમના દ્વારા કર્મ ગ્રહણ કરવામાં આવે છે, તે આસ્રવ છે. મીસ્ત્રવત અષ્ટ પ્રશારદં ચેન ન માસ્ત્રવ: - આવશ્યક સૂત્ર જેનાથી આઠ પ્રકારનાં કર્મ આવે છે, તે આસ્રવ છે. आश्रीयते-उपाय॑ते कर्म एभिः इत्याश्रवाः - ઉત્તરાધ્યયન અને પ્રવચન-સાર દ્વારા જેમના દ્વારા કર્મનું ઉપાર્જન થવાનું છે, તે આસ્રવ છે. ઉક્ત સમસ્ત વ્યુત્પત્તિઓનો અભિપ્રાય એક જ છે. જે હેતુઓથી આત્મામાં આઠ પ્રકારનાં કર્મોનો પ્રવેશ થાય છે તે આસ્રવ છે. અથવા જેમ જળમાં રહેલી નાવમાં છિદ્રો દ્વારા જળપ્રવેશ થાય છે, એ જ રીતે પાંચ ઇન્દ્રિય અને વિષય-કષાય વગેરે છિદ્રોથી આત્મારૂપી નાવમાં કર્મરૂપી પાણીનો પ્રવેશ થવો આસ્રવ છે. જે રીતે તળાવમાં વિવિધ નાળા દ્વારા પાણી ભરે છે, તે નાળા દ્રવ્ય આસ્રવ કહેવામાં આવે છે, એ જ રીતે આત્મા રૂપી તળાવમાં જે અવ્રત વગેરે નાળા દ્વારા કર્મરૂપી પાણી ભરે છે, તે અવ્રત વગેરે ભાવ-આસ્રવ કહેવામાં આવે છે. તત્ત્વાર્થ સૂત્ર'માં આમ્રવની વ્યાખ્યા કરતાં કહ્યું છે - વિવાં મન: ઋર્ષ યોજા: | સ સાચવ: - તત્ત્વાર્થ, અ.-૬, સૂત્ર-૧/૨ કાય, વચન અને મનની ક્રિયાને યોગ કહે છે. એ જ યોગ આસ્રવ છે અર્થાત્ કર્મનો સંબંધ કરાવનાર છે.* વર્યાન્તરાયના ક્ષયોપશમ કે ક્ષયથી તથા પુગલોના આલંબનથી થનારા આત્મ પ્રદેશોના સ્પંદનને યોગ કહે છે. એના ત્રણ ભેદ છે - (૧) કાય યોગ (૨) વચન યોગ અને (૩) મનો યોગ. (૧) કાય યોગ અર્થાત્ ઔદરિક વગેરે શરીર વર્ગણાના પુગલોના * અહીં એ વિશેષ ધ્યાતવ્ય છે કે એ જ યોગ જ્યારે કર્મ બંધન અને કર્મ મોચનના નિમિત્ત બને છે ત્યારે આત્મશુદ્ધિ રૂપ શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મની આરાધનામાં માધ્યમ બનીને આપેક્ષિક દૃષ્ટિથી સંવરના નિમિત્તક પણ બની જાય છે. યોગોના બે પક્ષ બને છે . (સામે) (૪૦૪) છે. આજે છે જે છે જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy