SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત પાઠમાં પ્રવચન-પ્રભાવનાથી તીર્થકર નામ કર્મનો બંધ હોવો કહ્યું છે. તેથી સાધુથી અલગ બધાને દાન દેવામાં એકાંત પાપ બતાવવું સર્વથા મિથ્યા છે. પ્રવચનપ્રભાવના માટે બધાને દાન દેનારી વ્યકિત આગમાનુસાર પુણ્યનું કાર્ય કરે છે, પરંતુ તેરાપંથ એને એકાંત પાપનું કાર્ય કહે છે. એમની આ આગમ વિરોધી પ્રરૂપણા સર્વથા હેય અને ત્યાજ્ય છે. જો કોઈ કહે છે કે પ્રવચનની પ્રભાવના માટે બધાને દાન દેવાથી પુણ્ય થાય છે, તો બધા જીવ દેવા યોગ્ય ક્ષેત્ર સિદ્ધ થાય છે. કોઈપણ અક્ષેત્ર કે કુક્ષેત્ર નથી રહેતું એવી સ્થિતિમાં ક્ષેત્રાક્ષેત્ર સંબંધિત ચૌભંગી કેવી રીતે બનશે? આનું સમાધાન એ છે કે અહીં પ્રવચન પ્રભાવના રૂપ પુણ્યની અપેક્ષાથી ક્ષેત્ર-અક્ષેત્રનો વિચાર નથી રાખ્યો. કારણ કે પ્રવચન પ્રભાવના નિમિત્ત અપાતા દાનનાં બધાં ક્ષેત્ર છે, કોઈપણ અક્ષેત્ર નથી. વેશ્યા, ચોર, જાર વગેરેનું એમનું કુકર્મ છોડાવીને સન્માર્ગમાં પ્રવૃત્ત કરવા માટે દાન દેવું પણ પ્રવચન પ્રભાવના છે. તેથી જે વ્યક્તિ જે દાનને યોગ્ય નથી, તે અહીં એ દાનનું અક્ષેત્ર માનવામાં આવે છે. જેમ કે સાધુથી અલગ જીવ મુખ્ય રૂપથી મોક્ષાર્થ દાનના અક્ષેત્ર છે અને દીન-દુઃખીથી અલગ પ્રાણી અનુકંપા દાનના અક્ષેત્ર છે. આ રીતે ક્ષેત્ર-અક્ષેત્રનો વિભાગ સમજવો જોઈએ. એ નથી કે સાધુથી અલગ બધા જીવ અક્ષેત્ર કે કુક્ષેત્ર છે. તેથી સાધુથી અલગ બધાંને અક્ષેત્ર બતાવીને એમને દાન દેવામાં એકાંત પાપ બતાવવું આગમ વિરોધી અને સર્વથા મિથ્યા છે. શકલાલ પુત્ર : | તેરાપંથની આમ્નાય અનુસાર પંચ મહાવ્રતધારી સાધુ સિવાય બધા જીવ કુપાત્ર છે. એમને દાન દેવા કે કોઈપણ રીતે એમની સહાયતા કરવાના કાર્યને એ માંસ ભોજન અને કુશીલ વગેરેની જેમ એકાંત પાપનું કાર્ય માને છે. જો એમની આ માન્યતા આગમને અનુરૂપ હોત અને શકપાલ પુત્ર શ્રાવક પણ એને માને તો તે ગોશાલક જેવા અસંયતિને શવ્યાસંથારો આપીને માંસ-ભોજનાદિકની જેમ એકાંત પાપનું કાર્ય કેમ કરતા? કારણ કે એવું નહિ કરવાથી એનું કોઈ કાર્ય બગડતું નથી. તે પણ આનંદ શ્રાવકની જેમ અભિગ્રહ નિષ્ઠ બાર વ્રતધારી શ્રાવક હતો. જો અન્ય તીર્થોને દાન દેવાથી શ્રાવકનો અભિગ્રહ નષ્ટ થાય છે અને એને માંસ-ભોજન વગેરેની જેમ એકાંત પાપ થાય છે, તો શકદાલ-પુત્રનો અભિગ્રહ અવશ્ય નષ્ટ થઈ જવો જોઈએ. અને એને એકાંત પાપ હોવું જોઈએ. પરંતુ આગમમાં ગૌશાલકને દાન દેવાથી ન તો શકડાલ પુત્રનો અભિગ્રહ તૂટવાનો ઉલ્લેખ છે અને ન એકાંત પાપનો. તેથી અન્ય તીર્થોને દાન દેવાથી અભિગ્રહ ભંગ થવા તથા એકાંત પાપ હોવાની પ્રરૂપણા કરવી મિથ્યા છે. શ્રાવક અન્ય તીર્થોને ગુરુ-બુદ્ધિથી મોક્ષાર્થ દાન નહિ દેવાનો અભિગ્રહ લે છે, પરંતુ અનુકંપા દાન દેવા તથા પ્રવચન પ્રભાવના માટે દાન દેવાથી કોઈ પ્રતિબંધ સ્વીકાર નથી કરતા. તેથી શકતાલ પુત્રે ગોશાલકને જે શય્યા-સંથારો આપ્યો તો એને આગમકારે એકાંત (૪૬૬) D D D D D D D D D જિણધમો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy