SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ઉક્ત મૂળ પાઠ તથા એની ટીકામાં સામાન્ય રૂપથી ક્ષેત્ર-અક્ષેત્રનું વર્ણન કર્યું છે. એમાં એ નથી બતાવ્યું કે એક માત્ર સાધુ જ ક્ષેત્ર છે અને એનાથી અલગ બધા અક્ષેત્ર છે. તેથી આ પાઠનો આશ્રય લઈને સાધુથી અલગ બધા જીવોને અક્ષેત્ર કે કુક્ષેત્ર કહીને એમને દાન દેવામાં એકાંત પાપ કહેવું આગમની અવહેલના કરવી છે. આગમમાં સાધુને દાન દેવાથી નિર્જરા અને દીન-હીન જીવોને અનુકંપા દાન દેવાથી પુણ્ય બંધ કહ્યો છે, તેથી સાધુ મુખ્ય રૂપથી મોક્ષાર્થ દાનનાં ક્ષેત્રો છે અને દીન-હીન પ્રાણી અનુકંપા દાનનાં ક્ષેત્રો છે, સાધુથી અલગ પુરુષ મુખ્ય રૂપથી મોક્ષાર્થ દાનના અને દીનહીન તથા દુઃખી જીવોના સિવાય પુરુષ અનુકંપા દાનના પ્રાયઃ અક્ષેત્ર છે. તેથી જે વ્યક્તિ દીન-હીન જીવોને અનુકંપા દાન દે છે, તે ક્ષેત્ર અક્ષેત્ર વર્ષ નથી ક્ષેત્ર વર્ષ છે. કારણ કે દીન-દુઃખી પ્રાણી અનુકંપા દાનનાં ક્ષેત્રો છે, તેથી એમને અનુકંપા દાન દેનારા પુરુષ ઉક્ત ચૌભંગીમાં વર્ણિત પ્રથમ ભંગનો સ્વામી છે - ક્ષેત્ર વર્ષ છે. જે પુરુષ ન તો દીન-દુઃખીને અનુકંપા દાન દે છે અને ન પંચ મહાવ્રતધારી સાધુને મોક્ષાર્થ દાન દે છે, પરંતુ જેને દાનની આવશ્યકતા નથી કે જેને દાન દેવાથી એ દાન દ્વારા હિંસા વગેરે મહારંભનું કાર્ય કરવામાં આવે છે, એ વ્યક્તિઓને એમના દ્વારા કરવામાં આવતાં દુષ્કમ માટે જે દાન દે છે, તે પુરુષ બીજા ભંગનો સ્વામી છે - અક્ષેત્ર વર્ષ છે. જે પુરુષને એ બોધ નથી કે અમુક પુરુષને એ દાન દેવા યોગ્ય છે અને અમુકને અયોગ્ય, પરંતુ પાત્ર-અપાત્ર બધાને દાન દે છે કે જે વિશાળ ઉદાર ભાવના કારણે કે પ્રવચનની પ્રભાવનાના માટે બધાને દાન દે છે, તે પુરુષ તૃતીય ભંગનો સ્વામી - ઉભય વર્ષ છે. જે ક્ષેત્ર-અક્ષેત્ર કોઈને કંઈ નથી દેતો તે પરમ કૃપણ અનુભય વર્ષ છે. ઉક્ત ચૌભંગીના તૃતીય ભંગના સ્વામી ત્રણ પ્રકારના કહ્યા છે. એમાં પહેલા પુરુષ વિવેક વિકળ છે. જો કે એનું દાન પૂર્ણ ફળપ્રદ નથી, છતાં સર્વથા નિષ્ફળ પણ નથી. કારણ કે અપાત્રની સાથે જ તે પાત્રને પણ દે છે. બીજી વ્યક્તિ જે વિશાળ - ઉદાર ભાવથી બધાને દાન દે છે, તે ઉદારતા ગુણની અપેક્ષાથી પ્રશંસનીય છે. ત્રીજી વ્યક્તિ જે પ્રવચનની પ્રભાવના માટે બધાને દાન દે છે તે પુરુષ, પ્રવચન-પ્રભાવના રૂપ મહાન પુણ્યનું ઉપાર્જન કરે છે. જ્ઞાતા સૂત્ર'માં પ્રવચન પ્રભાવનાથી તીર્થકર નામ-પ્રકૃતિનો બંધ કહેવામાં આવ્યો છે. ___ इमेहिं य णं वीसाएहिं य कारणेहिं आसेविय बहुलीकएहिं तित्थयर णाम गोयं कम्मं णिवत्तिंसु तंजहा - अरिहंत सिद्ध पवयण गुरु थेर बहुस्सुए तवस्सीसुं । वच्छलया य तेसिं अभिक्ख णाणोवओगे य ॥ दंसणविणए आवस्सए य सीलव्वए निरइयारं । खण-लव-तव च्चियाए, वेयावच्चे समाही य ॥ अपुव्वणाण गहणे सुय-भत्ती पवयणे पभावणया । एएहिं कारणेहिं तित्थयरत्तं लहइ सोउ ॥ - જ્ઞાતા સૂત્ર ૮, ૬૪ ( પુણ્ય તત્ત્વઃ એક પરિશીલન D પુણ્ય તત્વ : એક પરિશીલના છે જે ૪૬૫ ૪૬૫
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy