SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ આની (ક્ષાયોપશમિક સમ્યક્ત્વની) ઉપલબ્ધિ હોવાથી વીતરાગ દેવ-પ્રરૂપિત તત્ત્વોની જાણકારીથી મનુષ્ય સ્વાભાવિક રૂપથી સાત્ત્વિક હાસ્યને પ્રાપ્ત થાય છે. અંધકારમાં ભટકતા મનુષ્યને પ્રકાશ મળવાથી હર્ષની પણ પ્રાપ્તિ થાય છે. આ હર્ષ મોહનો ભેદ હોવા છતાંય બાધક નથી હોતો અને પુણ્યનો હેતુ પણ બને છે. જ્યારે વ્યક્તિને સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ભાવથી ઉપલબ્ધ થાય છે. એ સમયે દેવ-ગુરુ-ધર્મના પ્રત્યે આત્મામાં અનુરક્તિ પેદા થાય છે. આ અનુરક્તિને પણ પ્રશસ્ત રતિનું રૂપ કહી શકાય છે. પ્રશસ્ત રાગથી આત્માનો વીતરાગ દેવના માર્ગ પર અનુગમન કરવાનો ઉત્સાહ ઉત્પન્ન થાય છે. પરિણામ સ્વરૂપ દેશ વ્રતો, મહાવ્રતોને અંગીકાર કરતા ઉપરનાં ગુણસ્થાનોમાં આરોહણ કરે છે. સંજ્વલન ચતુષ્ક છઠ્ઠા ગુણસ્થાનથી લઈને દસમા ગુણસ્થાન સુધી રહે છે. પરંતુ આ કષાયની સ્થિતિ અપ્રમત્ત વગેરે ગુણસ્થાનોમાં આત્માને વધા૨વામાં કોઈ પ્રકારની મુશ્કેલી પેદા નથી કરતી. પણ અષ્ટમ ગુણસ્થાનમાં ઉપશમ, ક્ષપક શ્રેણીની ગતિથી નવમા તથા દસમા ગુણસ્થાન સુધી આત્મા પહોંચી જાય છે. એમ જ પ્રશસ્ત રાગ અર્થાત્ સુદેવ - સુગુરુ - સુધર્મના પ્રત્યે જે રાગ છે, તે આત્માને પવિત્રતાની તરફ વાળનાર છે. તેથી, શ્રાવકોના કઈ વિશેષણોનો ઉલ્લેખ કરતાં ‘ભગવતી સૂત્ર'માં એક વિશેષણ એ પણ આવ્યું છે - “ફ્રિ મિન્ના ધમ્મ પેમારાવરત્તા' એ જ પ્રશસ્ત રતિની સ્થિતિ છે. તિના બે ભેદ કરી શકાય છે - : (૧) અધોમુખી રતિ : જેમાં પિતા-પુત્ર, પરિજન, સંપત્તિ વગેરેના પ્રત્યે આસકિત રૂપ રિત રહે છે. આ આત્માને અધોગતિમાં લઈ જનાર છે. (૨) ઊર્ધ્વમુખી રતિ ઃ જે આધ્યાત્મિક ધરાતલ પર ગુરુજનોની સાથે પ્રશસ્ત રાગ રૂપ રતિ છે, તે પ્રશસ્ત કહેવાય છે અને પુણ્ય બંધનું કારણ પણ બને છે, જેમ કે સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે બતાવ્યું છે - 'सरागसंयम- संयमासंयमाकामनिर्जरा बालतपांसि देवस्य ' - તત્ત્વાર્થ સૂત્ર, ૬/૨૦ પુરુષ વેદ, આપેક્ષિક દૃષ્ટિથી મોહની હલ્કી અવસ્થા છે. શાસ્ત્રકારોએ વેદની દૃષ્ટિથી પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદને ક્રમશઃ તૃણાગ્નિ, કરીષાગ્નિ, નગર દાહ આ ત્રણ પ્રકારની ઉપમા આપીને ધ્વનિત કર્યું છે કે તૃણાગ્નિના તુલ્ય રૂપની પ્રધાનતાથી પુરુષ વેદનો પ્રસંગ આવે છે અને તે પુરુષ વેદ મોહની સ્વલ્પતાની અવસ્થામાં માનવામાં આવે છે. તીવ્ર મોહની અપેક્ષા મંદ મોહની સ્થિતિમાં શુભ પરિણામનો ભાવ પણ આવી શકે છે અને શુભ પરિણામ પુણ્યનો હેતુ છે - शुभः पुण्यस्य તત્ત્વાર્થ સૂત્ર, ૬/૩ આનો બંધ નવમા ગુણસ્થાન સુધી ચાલે છે. જ્યારે સ્ત્રી વેદ અને નપુંસક વેદનાં બે ગુણસ્થાનો સુધી બંધ થાય છે. એના સિવાય એક કારણ એ પણ છે કે ‘ઠાણાંગ સૂત્ર’ના પુણ્ય તત્ત્વ : એક પરિશીલન ૪૫૫ -
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy