SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) સાતાવેદનીય, (૨) ઉચ્ચગોત્ર, (૩) મનુષ્ય ગતિ, (૪) મનુષ્યાનુપૂર્વી, (૫) દેવગતિ, (૬) દેવાનુપૂર્વી, (૭) પંચેન્દ્રિય જાતિ, (૮) ઔદારિક શરીર, (૯) વૈક્રિયક શરીર (૧૦) આહારક શરીર, (૧૧) તૈજસ શરીર, (૧૨) કાર્મણ શરીર, (૧૩) દારિક અંગોપાંગ, (૧૪) વૈક્રિયક અંગોપાંગ, (૧૫) આહારક અંગોપાંગ, (૧૬) વજ ઋષભ નારાચ સંહનન, (૧૭) સમ ચતુરસ્ત્ર સંસ્થાન, (૧૮) શુભ વર્ણ, (૧૯) શુભ ગંધ, (૨૦) શુભ રસ, (૨૧) શુભ સ્પર્શ, (૨૨) અગુરુલઘુત્વ, (૨૩) પરાઘાત નામ, (૨૪) ઉચ્છવાસ નામ, (૨૫) આતપ નામ, (૨૬) ઉદ્યોત નામ, (૨૭) શુભ વિહાયોગતિ (ચાલવાની ગતિ), (૨૮) નિર્માણ નામ, (૨૯) ત્રસ નામ, (૩૦) બાદર નામ, (૩૧) પર્યાપ્ત નામ, (૩૨) પ્રત્યેક નામ, (૩૩) સ્થિર નામ, (૩૪) શુભ નામ, (૩૫) સુભગ નામ, (૩૬) સુસ્વર નામ, (૩૭) આદેય નામ, (૩૮) યશોકીર્તિ નામ, (૩૯) દેવાયુ, (૪૦) મનુષ્યાયુ, (૪૧) તિર્યંચાયુ અને (૪૨) તીર્થકર નામ.* સમ્યકત્વ, હાસ્ય, રતિ, પુરુષ વેદને શુભ પ્રકૃતિ માનવાનો અભિમત ઃ આ ચાર પ્રકૃતિઓને શુભ માનવા વિશે એ આશય માની શકાય છે કે એ ચારેય પ્રકૃતિઓ પુણ્ય બંધની હેતુભૂત પણ છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને આ ચારેયને પુણ્યપ્રકૃતિના નામથી સંબોધિત કરવામાં આવ્યા છે. તે સંગત (ઉચિત) લાગે છે. છતાંય સમ્યકત્વ મોહનીય મોહકર્મની પ્રકૃતિ છે. પણ એ પ્રકૃતિ નંબરવાળા ચશ્માની જેમ સમ્યકત્વ શ્રદ્ધાનમાં બાધક નથી, પણ સાધક છે. જો કે (છતાં) નંબરવાળા ચશ્મા આવરક છે, પરંતુ અન્ય આવરક તત્ત્વોની જેમ આવરક નથી, પણ તે આત્મિક રોશનીને પ્રજ્વલિત કરવામાં નિમિત્તભૂત પણ બને છે. આ પ્રકારની સ્થિતિ સમ્યકત્વ મોહનીય કર્મની માની શકાય છે. હા, ક્ષાયિક સમ્યકત્વ અને ઔપથમિક સમ્યકત્વની અપેક્ષા ભલે આવરક માનવામાં આવે, પરંતુ ક્ષાયોપથમિક સમ્યકત્વની દૃષ્ટિમાં સહાયક છે અને આત્માને ઊર્ધ્વમુખી કરવામાં બહુ દૂર સુધી આનું યોગદાન રહે છે. * ‘તત્ત્વાર્થ સૂત્રમાં “વેદ્ય સંખ્યત્વે હાચ ત પુરુષ વેશુમાયુનમ ગોત્રા પુત્ ' અધ્યાય-૮, સૂત્ર-૨૬ દ્વારા સતાવેદનીય સમ્યકત્વ મોહનીય હાસ્ય, રતિ, પુરુષ વેદ, શુભાયુ, શુભ નામ અને શુભ ગોત્ર - આ પ્રવૃતિઓને પુણ્ય રૂપ કહ્યું છે. એમાંથી સમ્યકત્વ, હાસ્ય, રતિ અને પુરુષ વેદ આ ચાર પ્રકૃતિઓનું અન્યત્ર ક્યાં પણ પુણ્યરૂપમાં વર્ણન નથી. દિગંબર - શ્વેતાંબર બધા ગ્રંથોમાં માત્ર ૪૨ પ્રકૃતિઓને જ પુણ્યરૂપમાં માન્યું છે. એ ચાર પ્રકૃતિઓ મોહનીય કર્મની હોવાથી પાપરૂપ છે. આ ચાર પ્રકૃતિઓને પુણ્યરૂપ માનનારો મત વિશેષ ખૂબ જ પ્રાચીન છે, એવું જ્ઞાત થાય છે કારણ કે ઉક્ત સૂત્રમાં ઉપલબ્ધ એમના ઉલ્લેખ સિવાય ભાષ્ય વૃત્તિકારે પણ મતભેદને દર્શાવનારી કારિકાઓ આપી છે અને લખ્યું છે કે - “આ મંતવ્યનું રહસ્ય સંપ્રદાય વિચ્છેદના કારણે અમને ખબર નથી.” હા, ચતુર્દશ પૂર્વધારી જાણતા હશે. વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ મતનો ઉલ્લેખ છે - सायं सम्मं हासं पुरिसरइ सुभाउ नाम गोत्ताई। पुन्नं से सं पावं, नेयं सविवागमविवागं । (૪૫૪) OOOOOOOOOOOOD ) ( જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy