SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યના નવ પ્રકાર : પુણ્ય ઉપાર્જન કરવા માટે શાસ્ત્રકારે નવ પ્રકાર બતાવ્યા છે. જેમ કે “આગમ'માં કહ્યું છે - नव विहे पुन्ने पण्णत्ते तं जहा-अन्नपुन्ने १, पाणपुन्ने २, वत्थपुन्ने ३, लेणपुण्णे ४, सयण पुण्णे ५, मण पुण्णे ६, वइपुण्णे ७, काय पुण्णे ८, नमोक्कार પુછો ? | - ઠાણાંગ, સ્થાન-૯, સૂત્ર-૬૭૬ અર્થાતુ-પુણ્ય નવ પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમ કે - (૧) અન્નપુor : નિઃસ્વાર્થ ભાવથી અન્ન દાન કરવાથી જે પુણ્યબંધ થાય છે, તે અન્ન પુણ્ય છે, એમાં વિધિ દ્રવ્ય-દેય વસ્તુ, દાતા અને પાત્ર લેનારાના વૈશિસ્ત્રથી પુણ્ય બંધમાં વિશિષ્ટતા આવે છે. (૨) પાન પુool : પાણીનું દાન કરવાથી જે પુણ્ય-પ્રકૃતિનો બંધ થાય છે, તે પાન પુણ્ય છે. (૩) વલ્થ પુuઈ : વસ્ત્રોનું દાન કરવાથી જે પુણ્ય બંધ થાય છે, તે વસ્ત્ર પુણ્ય છે. (૪) નયUT TUM : મકાન વગેરે સ્થાનનું દાન કરવાથી જે પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, તે લયણ પુણ્ય છે. (૫) સT TUM : પાટ, પાટલો, પાથરણું વગેરે સંસ્તારક દેવાથી જે પુણ્ય બંધ થાય છે, તે સયણ પુણ્ય છે. (૬) મUT પુure : મનથી બીજાઓની - ગુણીજનોની ભલાઈ ચાહવાથી ગુણીઓના પ્રત્યે તુષ્ટિ-પ્રમોદ ભાવના રાખવાથી મન પુણ્ય થાય છે. . (૭) વ પુww : વચનો દ્વારા ગુણીજનોનું કીર્તન કરવાથી, એમની પ્રશંસા કરવાથી તથા હિત-મિત-પ્રિય વચન બોલવાથી વચન પુણ્ય થાય છે. (૮) જાય પુJUો : શરીર દ્વારા બીજાઓની સેવા કરવાથી, અન્ય જીવોને સાતા પહોંચાડવાથી, બીજાનું દુઃખ દૂર કરવાથી, ગુણીજનોની સેવા-શુશ્રુષા પર્યાપાસના કરવાથી જે પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, તે કાય પુણ્ય છે. (૯) નમોશ્નર TUM : યોગ પાત્રને નમસ્કાર કરવાથી, બધાની સાથે વિનમ્ર વ્યવહાર કરવાથી જે પુણ્ય-પ્રકૃતિનો બંધ થાય છે, તે નમસ્કાર પુ’ છે. કહ્યું છે કે - अन्नं पानं च वस्त्र च, आलयः शयनासनम् । शुश्रूषा वन्दनं तुष्टिं, पुण्यं नवविधं स्मृतम् ॥ - ઠાણાંગ સ્થાન ૯, સૂત્ર-૬૭૬ની ટીકા ઉક્ત નવ પ્રકારના પુણ્ય કરતાં સમયે શુભ ભાવપૂર્વક પદ્ગલિક પદાર્થો ઉપરથી મમતા ઉતારવી પડે છે, પરિશ્રમ પણ કરવો પડે છે, પરંતુ પુણ્યનું ફળ પ્રાપ્ત થવાથી દીર્ઘ સમય સુધી આરામ તથા સુખની પ્રાપ્તિ થાય છે તથા શુદ્ધ ધર્મની આરાધનાનો સુઅવસર પ્રાપ્ત થાય છે. (૫૦) 0000 0.00 0.00 00 જિણધર્મોો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy