SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલોક છે. એમાં છ પ્રતર છે - આ પ્રતિરોમાં સાતસો યોજન ઊંચે અને પચીસસો યોજના (ઈંટો) પાયાવાળા ચાર લાખ વિમાન છે. ત્યાંના દેવોની જઘન્ય આયુ સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ દસ સાગરોપમની છે. લોકાંતિક દેવઃ પાંચમા દવલોકના ત્રીજા અરિષ્ટ નામના પ્રતરની પાસે, દક્ષિણ દિશામાં ત્રસનાડીની અંદર પૃથ્વી પરિણામ રૂપ, કૃષ્ણ વર્ણની, મરઘાના પિંજરાના આકારની પરસ્પર અડેલી આઠ કૃષ્ણ રાજીઓ છે. અસંખ્યાતમા અરુણવર સમુદ્રથી ૧૭૨૧ યોજન ઊંચી દીવાલના સમાન અને અંધકારમય તમસ્કાય નીકળીને ઉપર ચડતી ચાર દેવલોકોને ઓળંગીને પાંચમા દેવલોકના ત્રીજા પ્રતરની પાસે પહોંચી છે. આ જ સમસ્કાય કૃષ્ણરાજી કહેવાય છે. ચાર કૃષ્ણરાજીઓ ચારેય દિશાઓમાં અને ચાર કષ્ણરાજીઓ ચાર વિદિશાઓમાં છે. આ આઠોનાં આઠ અંતરોમાં આઠ વિમાન છે. આઠેયની મધ્યમાં પણ એક વિમાન છે, આ રીતે નવ વિમાન છે, જેમાં લોકાંતિક દેવ રહે છે. એ વિમાનોના તથા એમાં રહેનાર તે દેવોનાં નામ આ પ્રકારે છે. (૧) ઈશાન કોણમાં અર્ચિ નામનું વિમાન છે, જેમાં “સારસ્વતી દેવ રહે છે. (૨) પૂર્વ દિશામાં અર્ચિમાલી વિમાન છે, જેમાં “આદિત્ય” દેવ રહે છે. આ બંને પ્રકારના દેવોનો ૭ હજાર દેવોનો પરિવાર છે. (૩) આગ્નેય કોણના વૈરોચન વિમાનમાં “વતિ' દેવ રહે છે. (૪) દક્ષિણ દિશાના પ્રભંકર વિમાનમાં “અરુણ દેવ રહે છે. આ બંનેનો ૧૪ હજાર દેવોનો પરિવાર છે. (૫) નૈૐત્ય કોણમાં ચન્દ્રાભ વિમાન છે. એમાં “ગઈતોય' દેવ રહે છે. (૬) પશ્ચિમ દિશામાં સૂર્યાભ વિમાન છે, એમાં ‘વૃષિત' દેવ રહે છે. આ બંનેનો ૭ હજાર દેવોનો પરિવાર છે. (૭) વાયુ કોણમાં શક્રામ વિમાન છે, એમાં “અવ્યાબાધ દેવ રહે છે. (૮) ઉત્તર દિશામાં સુપ્રતિષ્ઠિત વિમાન છે. એમાં “મરુત’ દેવ રહે છે. (૯) બધાના મધ્યમાં અરિષ્ટાભ વિમાન છે, જેમાં “અરિષ્ટ' દેવ રહે છે. આ ત્રણેયનો ૬ હજાર દેવોનો પરિવાર છે. આ લોકાંતિક દેવોના સ્વામી સમ્યગ્દષ્ટિ તથા એક ભાવાત્તારી હોય છે. એ લોકાંતિક દેવ તીર્થકરોની દીક્ષાના પ્રસંગે પોતાના જાતિ-વ્યવહાર અનુસાર એમના વૈરાગ્યની પ્રશંસા કરનાર, “બુદ વદે શબ્દ દ્વારા પ્રતિબોધન કરનાર તથા એક ભવના અનંતર મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળા હોય છે. વિષયતિથી અલગ હોવાના કારણે એ દેવર્ષિ કહેવાય છે. ત્રસનાડી રૂપ લોકના કિનારે રહેવાના કારણે એ લોકાંતિક દેવ કહેવાય છે. છઠ્ઠો લાંતક દેવલોક : સમતળ ભૂમિથી સાડા ત્રણ રજુ ઉપર સાડા અઢાર રજુ ઘનાકાર વિસ્તારમાં મેરુ પર્વતના બરાબર મધ્યમાં, ઘનવાત અને ઘનોદધિના આધારે સ્થિત છઠ્ઠો લાંતક નામનો દેવલોક છે. એમાં પાંચ પ્રતર છે. જેમાં સાતસો યોજન ઊંચા અને પચીસો યોજનની અંગનાઈ (પાયા) વાળા પચાસ હજાર વિમાન છે. અહીંના દેવોની જઘન્ય આયુ દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ ચૌદ સાગરોપમની છે. [ ઊર્ધ્વ લોક) 000000000000000(
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy