SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર ઓગણપચાસ દિવસ સુધી એમનું પાલન-પોષણ કરવું પડે છે. એટલા દિવસોમાં તે સમજદાર અને સ્વાવલંબી થઈ જાય છે. એમનાં માતા-પિતામાંથી એકને છીંક અને બીજાને બગાસું આવે છે અને મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. મૃત્યુ પછી તે દેવગતિ પ્રાપ્ત કરે છે. (મનુષ્ય ગતિમાં યુગલિકની જેટલી આયુ થાય છે, એનાથી અધિક આયુ દેવગતિમાં નથી થતી.) એ ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ યુગલનાં મૃતક શરીરોને ક્ષીર સમુદ્રમાં લઈ જઈને વિસર્જિત કરી દે છે. આ આરો ચાર કોડાકોડી સાગરોપમનો થાય છે. (૨) સુષમ : પ્રથમ સુષમ-સુષમ આરાની સમાપ્તિ પછી ત્રણ કોડાકોડી સાગરોપમનો બીજા સુષમ નામનો આરો પ્રારંભ થાય છે. પહેલા આરાની અપેક્ષા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શની ઉત્તમતામાં અનંતગણી હાનિ થતી જાય છે. શરીરની અવગાહના ઘટતી-ઘટતી બે કોસની રહી જાય છે. આયુ બે પલ્યોપમની અને શરીરની પાંસળીઓ એકસો અઠ્યાવીસ રહી જાય છે. બે દિવસના અંતરથી આહારની ઇચ્છા થાય છે. ફુલ-ફળ વગેરેનો આહાર કરે છે. માટીનો સ્વાદ સાકર જેવો રહી જાય છે. મૃત્યુથી છ માસ પહેલાં યુગલિની પુત્ર-પુત્રીના યુગલને જન્મ આપે છે. ચોસઠ દિવસ સુધી અપત્યની પાલન કરે છે. તત્પશ્ચાત્ તે સ્વાવલંબી બની જાય છે. શેષ વક્તવ્યતા પહેલાં આરા જેવી સમજવી જોઈએ. (૩) સુષમ-દુષમ : બીજો આરો સમાપ્ત થવાથી બે કોડાકોડી સાગરોપમનો ત્રીજો આરો આરંભ થાય છે. એનું નામ સુષમ-દુષમ છે. એમાં સુખની અધિકતા અને દુઃખની અલ્પતા હોય છે. આ આરામાં બીજા આરાની અપેક્ષાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ઉત્તમતામાં ક્રમશઃ અનંતગણી હાનિ થતી જાય છે. ઘટતા-ઘટતા એક કોસની અવગાહના, એક પલ્યોપમનું આયુષ્ય અને ચોસઠ પાંસળીઓ રહી જાય છે. એક દિવસના અંતરથી આહારની ઈચ્છા થાય છે. પૃથ્વીનો સ્વાદ ગોળ જેવો રહી જાય છે. મૃત્યુના છ મહિના પૂર્વ યુગલિની પુત્ર-પુત્રી યુગલને જન્મ આપે છે. અગ્નાએંસી દિવસો સુધી અપત્યની પાલન કરે છે. તે પછી તે જો સ્વાશ્રયી થઈ જાય છે. બાકી બધા કથન પ્રથમ આરા સમાન સમજવા જોઈએ. ઉક્ત ત્રણ આરાઓના તિર્યંચ પણ યુગલિક હોય છે. આ ત્રણેય આરાઓમાં યુગલિયોનો માત્ર યુગલ ધર્મ રહે છે. એમાં વેર નથી, ઈર્ષ્યા નથી, વૃદ્ધાવસ્થા નથી, રોગ નથી, કુરૂપ નથી. તે પરિપૂર્ણ અંગ-ઉપાંગ પ્રાપ્ત કરીને સુખોપભોગ કરે છે. કુલકર ત્રીજા આરામાં ત્રણ વિભાગોમાંથી બે વિભાગોમાં ઉક્ત રચના સમજવી જોઈએ. ત્રીજા વિભાગના છાંસઠ લાખ કરોડ છાસઠ હજાર કરોંડ, છસો કરોડ, છાંસઠ કરોડ, છાંસઠ લાખ, છાસઠ હજાર સો છાંસઠ (૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬) સાગરોપમ શેષ રહેવાથી કાળ સ્વભાવથી કલ્પવૃક્ષોથી બધી વસ્તુઓ પ્રાપ્ત નથી થતી. આ કારણે યુગલિક મનુષ્યોમાં પરસ્પર ઝઘડો થવા લાગે છે. આ વિવાદને મટાડવા માટે તથા વ્યવસ્થા કરવા માટે પંદર (૩૮) 00 0 0 0 0 0 0 0 0 0 જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy