________________
તિર્યંચના ૪૮ ભેદ :
નારક મનુષ્ય અને દેવને છોડીને બાકીના બધા સંસારી જીવ તિર્યંચ છે. એના ૪૮ ભેદ આ પ્રકાર બને છે : પૃથ્વીકાયના ૪ ભેદ - સૂમ, બાદર, અપર્યાપ્ત અને પર્યાપ્ત. અપકાયના ૪ ભેદ - સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્ત અને પર્યાપ્ત. તેજસ્કાયના ૪ ભેદ - સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્ત અને પર્યાપ્ત. વાયુકાયના ૪ ભેદ - સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્ત અને પર્યાપ્ત. વનસ્પતિકાયના ૬ ભેદ - સૂક્ષ્મ, સાધારણ અને પ્રત્યેક - એમના
અપર્યાપ્ત અને પર્યાપ્ત. દ્વિીન્દ્રિયના ૨ ભેદ - અપર્યાપ્ત અને પર્યાપ્ત. ત્રીન્દ્રિયના ૨ ભેદ - અપર્યાપ્ત અને પર્યાપ્ત. ચતુરિન્દ્રિયના ૨ ભેદ - અપર્યાપ્ત અને પર્યાપ્ત.
પંચેન્દ્રિયના તિર્યંચના ૨૦ ભેદ - જળચર, સ્થળચર, ખેચર, ઉરઃ પરિસર્પ ને ભુજ પરિસર્પ - આ પાંચના સંશી - અસંશી પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદ ૫૮૪= ૨૦ ભેદ.
ઉક્ત રીતિથી તિર્યંચના ૪૮ ભેદ હોય છે. મનુષ્યના ૩૦૩ ભેદ :
મનુષ્યના ૩૦૩ ભેદ આ રીતે નિષ્પન્ન થાય છે : પંદર કર્મભૂમિઓની અપેક્ષાએ ૧૫ ભેદ. ત્રીસ ભોગભૂમિઓની અપેક્ષાએ ૩૦ ભેદ. છપ્પન અંતર દ્વીપોની અપેક્ષાએ ૫૬ ભેદ.
આ કુલ ૧૦૧ ભેદ ગર્ભજ મનુષ્યના થયા. એના અપર્યાપ્ત અને પર્યાપ્તના ભેદથી ૨૦૨ ભેદ થયા. એમાં સંમૂચ્છિમ મનુષ્યના ૧૦૧ ભેદ મેળવવાથી ૩૦૩ ભેદ મનુષ્યના થઈ જાય છે. દેવના ૧૬૮ ભેદ
ભવનપતિ દેવોના ૧૦ ભેદ, પરમાધાર્મિક દેવોના ૧૫ ભેદ, વ્યત્તરના ૧૬ ભેદ, જંભક દેવોના ૧૦ ભેદ, જ્યોતિષ્ક દેવોના ૧૦ ભેદ, વૈમાનિકના ૧૨ ભેદ, કિલ્વિષિક દેવોના ૩ ભેદ, લોકાન્તિક દેવોના ૯ ભેદ, રૈવેયકના ૯ ભેદ, અનુત્તર વિમાનના ૫ ભેદ - આ બધા ૯૯ ભેદ થયા. આના અપર્યાપ્ત અને પર્યાપ્ત ભેદથી ૧૯૮ ભેદ થઈ જાય છે.
(૩૧૮)
00 00 00 00 00 00 ( જિણધમો)