SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ પર્યાપ્તિઓ હોય છે આહાર-પર્યાપ્તિ યાવતું મનઃ-પર્યાપ્તિ. આહાર, શરીર અને ઇન્દ્રિય - આ ત્રણ પર્યાપ્તિઓ પ્રત્યેક જીવ પૂર્ણ કરે છે. તેને પૂર્ણ કરીને જ જીવ આગળના ભવની આયુનો બંધ કરી શકે છે. આગળના ભવની આયુનો બંધ કર્યા વગર કોઈ જીવ મરી શકતો નથી. આ ત્રણ પર્યાપ્તિઓની અપેક્ષાથી તો પ્રત્યેક જીવ પર્યાપ્ત જ હોય છે. પરંતુ પર્યાપ્ત-અપર્યાપ્તનો વિભાગ આ ત્રણ પર્યાપ્તિઓની અપેક્ષાએ નથી પરંતુ જે જીવની જેટલી પર્યાપ્તિઓ કહેવાય છે, તેની પૂર્ણતા-અપૂર્ણતાને લઈને જ છે. સ્વયોગ્ય પર્યાપ્તિઓને જે પૂર્ણ કરે તે પર્યાપ્ત જીવ છે અને જે સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ ન કરે તે અપર્યાપ્ત જીવ છે. જેમ એકેન્દ્રિય જીવના સ્વયોગ્ય પર્યાપ્તિઓ ચાર કહેવાય છે. આ ચાર પર્યાપ્તિઓને પૂર્ણ કરવાવાળા પર્યાપ્ત છે અને આ ચારને પૂર્ણ ન કરવાવાળા અપર્યાપ્ત જીવ છે. - પર્યાપ્તના ભેદ : પર્યાપ્ત જીવના બે પ્રકાર છે - લબ્ધિ-પર્યાપ્ત અને કરણ-પર્યાપ્ત. જે જીવને સ્વયોગ્ય પર્યાપ્તિઓને હમણાં પૂર્ણ કર્યું નથી પરંતુ અવશ્ય પૂરું કરશે તે લબ્ધિ(શક્તિ)ની અપેક્ષાથી લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. જે જીવને સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરી લીધું છે, તે કરણ(ક્રિયા)ની અપેક્ષાથી કરણ પર્યાપ્ત કહી શકાય છે. અપર્યાપ્તના ભેદ : અપર્યાપ્ત જીવના પણ બે પ્રકારના છે - લબ્ધિ અપર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત. જેણે સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કર્યું નથી અને આગળ કરશે પણ નહિ તે લબ્ધિ (શક્તિ)થી અપર્યાપ્ત છે. જેણે સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરી નથી, પરંતુ આગળ અવશ્ય પૂરી કરશે, તે કરણ (ક્રિયા)થી અપર્યાપ્ત છે. દેવ અને નરક ક્યારે પણ લબ્ધિ-અપર્યાપ્ત હોતા નથી, પરંતુ કરણ-અપર્યાપ્ત થઈ શકે છે. મનુષ્ય અને તિર્યંચ લબ્ધિ અપર્યાપ્ત અને કરણ-અપર્યાપ્ત બંને પ્રકારના હોય છે. જીવના પાંચસો ત્રેસઠ ભેદ અપેક્ષા વિશેષથી લઈને જીવના પાંચસો ત્રેસઠ ભેદ હોય છે, જેનું વિવરણ આ પ્રકાર છે : નારકોના ૧૪ ભેદ : રત્નાપ્રભા, શર્કરામભા, બાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમ: પ્રભા - આ સાત નરક ભૂમિઓના ગોત્ર છે. ઘમ્મા, શેલા, વંશા, અંજના, રિઝા, મઘા અને માઘવતી - આ સાત એમનાં નામ છે. આ નરક ભૂમિઓમાં રહેનાર નારક કહેવાય છે. સાત નરકોમાં રહેનાર સાત નારક જીવોને પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી ૧૪ ભેદ હોય છે. દૂ જીવના ભેદ) ૩૧૦) !
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy