SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) (પાંચ ભાવ) આત્માની બધી પર્યાય એક જ અવસ્થાની હોતી નથી. કેટલીક પર્યાય કોઈ એક અવસ્થાની હોય છે, તો કોઈ બીજી પર્યાય કોઈ બીજી અવસ્થાની. આત્મ-પર્યાયોની આ ભિન્ન-ભિન્ન અવસ્થાઓ જ ભાવ કહેવાય છે. આત્માની આ પર્યાય પાંચ ભાવવાળી હોય છે. (૧) ઔપશમિકા (૨) ક્ષાયિક (૩) લાયોપથમિક (૪) ઔદયિક (૫) પારિણામિક. ૧. ઓપશમિક ભાવ: કર્મના ઉપશમથી જે આત્મ-શુદ્ધિ થાય છે તે ઉપશમ ભાવ છે. જેમ જળમાં ફટકડી નાંખવાથી મેલ નીચે બેસી જાય છે અને જળ સ્વચ્છ થઈ જાય છે, તેવી રીતે સત્તાગત્ કર્મનો ઉદય જ્યારે બિલકુલ રોકાઈ જાય છે, ત્યારે ઉપશમ રૂપ શુદ્ધિ થાય છે. ઔપશમિક ભાવના બે ભેદ છે - (૧) સમ્યકત્વ અને (૨) ચારિત્ર. દર્શન - મોહનીય કર્મના ઉપશમથી સમ્યકત્વનું અને ચારિત્ર-મોહનીય કર્મના ઉપશમથી ચારિત્રનો આવિર્ભાવ થાય છે. તેથી સમ્યકત્વ અને ચારિત્ર એ બે જ પર્યાય ઔપથમિક ભાવવાળા છે. ૨. ક્ષાયિક ભાવ : કર્મોના ક્ષયથી ઉત્પન્ન થનારી વિશુદ્ધિ ક્ષાયિક ભાવ છે. જેમ સર્વથા મેલના અલગ થવાથી જળ નિતાન્ત સ્વચ્છ થઈ જાય છે, તેવી રીતે કર્મનો સંબંધ બિલકુલ છૂટી જવાથી જે વિશુદ્ધિ પ્રગટ થાય છે, તે ક્ષાયિક ભાવ છે. ક્ષાયિક ભાવના નવ ભેદ છે - (૧) કેવળ જ્ઞાનાવરણના ક્ષયથી કેવળજ્ઞાન, (૨) કેવળ દર્શનાવરણના ક્ષયથી કેવળદર્શન (૩-૭) પંચવિધ અંતરાયના ક્ષયથી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય - આ પાંચ લબ્ધિઓ (૮) દર્શન-મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ તથા (૯) ચારિત્ર-મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક ચારિત્રનો આવિર્ભાવ થાય છે. તેથી કેવળજ્ઞાનાદિ નવવિધ પર્યાય ક્ષાયિક કહેવાય છે. ૩. ક્ષાયોપથમિક ભાવ: આ ભાવ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થાય છે. કર્મના એક અંશનો ઉદય સર્વથા રોકાઈ જવાથી તથા બીજા અંશનો પ્રદેશોદય (નીરસ કર્મ દલિકોનું વેદન) દ્વારા ક્ષય થતા રહેતા જે આત્માની શુદ્ધિ પ્રગટ થાય છે, તે ક્ષાયોપથમિક ભાવ છે. જેમ કોદ્રવને ધોવાથી તેની માદક શક્તિ થોડી ક્ષીણ થઈ જાય છે અને થોડી રહી જાય છે, તેવી રીતે આ આત્મ-વિશુદ્ધિ મિશ્રિત હોય છે. ક્ષાયોપસમિક ભાવના અઢાર ભેદ છે – (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યાયજ્ઞાન (૫) મતિ-અજ્ઞાન (૬) શ્રુત-અજ્ઞાન (૭) વિભંગજ્ઞાન (2) ચક્ષુદર્શન (૯) અચક્ષુદર્શન (૧૦) અવધિદર્શન (૧૧) દાન (૧૨) લાભ (૧૩) [ પાંચ ભાવD O OOOOOOOOOY૩૦૩)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy