________________
તો એની આ ક્રિયાથી આસપાસના વાતાવરણમાં કંપન પેદા થાય છે તથા વિચારની શક્તિ અનુસાર વાતાવરણમાં ક્રિયા-પ્રતિક્રિયા થાય છે. જગતના કલ્યાણ અને મંગલ કામનાના વિચાર ચિત્તને હળવું અને પ્રસન્ન રાખે છે. તે પ્રકાશરૂપ હોય છે અને એમના સંસ્કાર વાતાવરણમાં એક રોશની નાખે છે તથા પોતાના અનુરૂપ પુદ્ગલ પરમાણુઓને પોતાના શરીરની અંદરથી જ કે શરીરના બહારથી ખેંચી લે છે. એ વિચારોના સંસ્કારોથી પ્રભાવિત એ પુદ્ગલ દ્રવ્યોનો સંબંધ અમુક કાળ સુધી એ આત્માના સાથે રહે છે. એના જ પરિપાક રૂપે આત્મા કાલાંતરમાં સારા કે ખોટા અનુભવો અને પ્રેરણાઓને પ્રાપ્ત કરે છે. જે પુદ્ગલ દ્રવ્ય એક વખત કોઈ વિચારોથી પ્રભાવિત થઈને ખેંચાય કે બંધાય છે એમાં પણ કાલાંતરમાં બીજા-બીજા વિચારોથી બરાબર હેર-ફેર થતો રહે છે. અંતમાં જે-જે પ્રકારના જેટલા સંસ્કાર બચ્યા રહે છે, એ-એ પ્રકારનું વાતાવરણ એ વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય છે.
વાતાવરણ અને આત્મા આટલા પ્રતિબિંબગ્રાહી હોય છે કે જ્ઞાન કે અજ્ઞાત ભાવથી થનારા પ્રત્યેક સ્પંદનના સંસ્કારોને તે પ્રતિક્ષણ ગ્રહણ કરતા રહે છે. આ પરસ્પર પ્રતિબિંબ ગ્રહણ કરવાની ક્રિયાને પ્રભાવ' કહે છે. તેથી મહાપુરુષ કહે છે કે – “સારું વાતાવરણ બનાવો અને મંગલમય ભાવોને ચારેય તરફ ઉડાડો.” ભાવનાઓનો અચિંત્ય પ્રભાવ છે. કોઈ પ્રભાવશાળી યોગીના અચિંત્ય પ્રેમ અને અહિંસાની વિશ્વમૈત્રી રૂપ સંજીવન ધારાથી આસપાસની વનસ્પતિઓનું અસમયમાં પુષ્પિત થઈ જવું અને જાતિ વિરોધ સાપ-નોળિયા વગેરે પ્રાણીઓને પોતાના વેર ભુલાવીને એમનાં અમૃતયુક્ત વાતાવરણમાં પરસ્પર મૈત્રીના ક્ષણોનો અનુભવ કરવો કોઈ અસંભવ વાત નથી, આ તો પ્રભાવની અચિંત્ય-શકિતનું સાધારણ ફુરણ છે.
નિષ્કર્ષ એ છે કે – આત્મા પોતાના મન-વચન-કાયાની ક્રિયાઓ દ્વારા વાતાવરણથી આ પુગલ પરમાણુઓને ખેંચી લે છે, અને પ્રભાવિત કરીને કાર્યરૂપ બનાવી લે છે. જેમના સંપર્કમાં આવતાં જ તે પછી એ જ પ્રકારના ભાવોને પ્રાપ્ત થાય છે. આપણે બધા એવી જગ્યાએ ઊભા છીએ જ્યાં ચારેય બાજુ આપણા અંદર-બહારના પ્રભાવને ગ્રહણ કરનાર કૅમેરા લાગેલા છે અને આપણી પ્રત્યેક ક્રિયા સંપૂર્ણ પ્રકૃતિની એ મહા ખાતાવહીમાં અંકિત થઈ જાય છે અને ક્યારેક કાલાંતરમાં - પાપ કર્મો વ્યક્તિ સ્વયં પોતાનામાં શંકિત રહે છે, અને પોતાના જ મનોભાવોથી પરેશાન રહે છે.
મનુષ્ય પોતાની ક્રિયાઓથી જેટલો ઊંડો કે અવળો સંસ્કાર, પ્રભાવ અને વાતાવરણ પોતાના આત્મા પર નાખે છે, એના જ તારતમ્યથી મનુષ્યોને ઇષ્ટનિષ્ટનું ચક્ર ચાલે છે. તત્કાળ કોઈ કાર્યનું સાચું કાર્યકારણ ભાવ આપણી સમજમાં ના પણ આવે, પણ કોઈપણ કાર્ય અકારણ નથી થઈ શકતું - આ એક અટલ (સ્પષ્ટ) સિદ્ધાંત છે. આ જ રીતે જીવન અને મરણના ક્રમમાં પણ કંઈક આપણા જૂના સંસ્કારો અને કેટલીક સંસ્કાર પ્રેરિત પ્રવૃત્તિઓ તથા લોકોનો જીવન-વ્યાપાર બધું મળીને કારણ બને છે.
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે સંસારવર્તી આત્મા કર્મદલિકોથી કેટલો અધિક પ્રભાવિત છે. તેથી એ આત્માને પૌલિક અદેખવાન કહેવામાં આવ્યો છે. (૩૦૨) જે
જિણધમો)