________________
૨૬. ભગવાન પાસે વાદી વાદ કરવા માટે આવે છે, પરંતુ જવાબ આપવામાં અસમર્થ
બની જાય છે. ૨૭. (ભગવાનની ચારે તરફ ૨૪-૨૪ જોજન સુધી) ઈતિ-ભીતિ અર્થાતુ ટિડી અને મૂષકો
વગેરેનો ઉપદ્રવ નથી હોતો. ૨૮. મરકી-કૉલેરા વગેરેનો ઉપદ્રવ નથી હોતો. ૨૯. સ્વદેશના રાજા તથા સેનાનો ડર નથી હોતો. ૩૦. પરદેશના રાજા અને સેનાનો ડર નથી હોતો. ૩૧. અતિવૃષ્ટિ અર્થાતુ ખૂબ વધારે વરસાદ થતો નથી. ૩૨. અનાવૃષ્ટિ (ઓછો વરસાદ કે વરસાદનો અભાવ) નથી થતી. ૩૩. દુભિક્ષ-દુષ્કાળ પડતો નથી. ૩૪. જે દેશમાં પહેલેથી ઈતિ-ભીતિ, મહામારી, સ્વ-પર ચક્રનો ભય વગેરેનો ડર હોય, ત્યાં
ભગવાનનું પ્રદાર્પણ થતા તરત જ મુસીબતો દૂર જતી રહે છે.
આ ૩૪ અતિશયોમાંથી ૪ અતિશય જન્મજાત હોય છે, ૧૫ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી થાય છે અને ૧૫ દેવો દ્વારા કરેલા હોય છે. અરિહંત(તીર્થકર)ની વાણીના ૩૫ ગુણ :
તીર્થકર ભગવાન કૃતકૃત્ય થયા પછી પણ, તીર્થકર નામ-કર્મના ઉદયથી નિરીહ-નિષ્કામ ભાવથી, જગતના જીવોનું કલ્યાણ કરવા માટે ધમપદેશ આપે છે. એમની વાણીમાં જે-જે ગુણ હોય છે એ આ પ્રકારે છે : ૧. તીર્થકર ભગવાન સંસ્કારયુક્ત વચનોનો પ્રયોગ કરે છે. ૨. ભગવાન એવા ઊંચા સ્વરે (બુલંદ અવાજે) બોલે છે કે એક-એક જોજન સુધી ચારો
તરફ બેઠેલી પરિષદ (શ્રોતાગણ) સારી રીતે શ્રવણ કરી લે છે. ૩. “એ’, ‘તુ' વગેરે તુચ્છતાથી રહિત સાદાં અને સન્માનપૂર્ણ વચન બોલે છે. ૪. મેઘગર્જના સમાન ભગવાનની વાણી સૂત્રથી અને અર્થથી ગંભીર હોય છે. ઉચ્ચારણ અને
તત્ત્વ બંને દૃષ્ટિઓથી એમની વાણીનું રહસ્ય બહુ જ ગૂઢ હોય છે. પ. જેમ ગુફામાં અને માળબંધ પ્રાસાદ(મહેલ)માં બોલવાથી પ્રતિધ્વનિ ઊઠે છે, એ
જ રીતે ભગવાનની વાણીની પણ પ્રતિધ્વનિ ઊઠે છે. ૬. ભગવાનના વચન શ્રોતાઓને ઘી (વૃત) અને મધ (શહદ) સમાન સ્નિગ્ધ અને મધુરા
લાગે છે.. ભગવાનનાં વચનો ૬ રાગ અને ૩૦ રાગિણીઓ રૂપ પરિણત થવાથી શ્રોતાઓને એ જ પ્રકારે મુગ્ધ અને તલ્લીન બનાવી દે છે. જેમ વાંસળીનો શબ્દ સાંભળીને નાગ અને વિણાનો શબ્દ સાંભળીને મૃગ મુગ્ધ અને તલ્લીન બની જાય છે.
'
(૧૪)0000000000000000 ( જિણધમો )