SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ તેલ પ્રગટ થતું નથી. એમ જ પંચ મહાભૂતોમાં અલગ-અલગ ચૈતન્ય ન હોવાથી એમના સમુદાયથી ચૈતન્યની અભિવ્યક્તિ નથી થઈ શકતી. જેમ કે ઘટ-પટના સમુદાયથી સ્તંભનો આવિર્ભાવ નથી થઈ શકતો, એમ જ ભૂતોથી ચૈતન્યનો આવિર્ભાવ નથી થઈ શકતો. શરીરમાં ચૈતન્ય ગુણની ઉપલબ્ધિ થાય છે, તેથી એ સિદ્ધ થાય છે કે ચૈતન્ય આત્માનો ધર્મ છે. કહી શકાય છે કે જેમ કિવ (મહુડો), ઉદક વગેરે મદ્યનાં અંગોમાં અલગ-અલગ માદક શક્તિ ન હોવા છતાં પણ જ્યારે એમનો સંયોગ થાય છે, તો એમાં માદક શક્તિ પ્રગટ થઈ જાય છે, એમ જ ભૂતોમાં અલગ-અલગ ચૈતન્ય ન હોવા છતાંય તે સમુદાયમાં કાયાકાર પરિણત હોવાની દિશામાં પ્રગટ થઈ જાય છે. ઉક્ત કથન સમુચિત નથી. મધના પ્રત્યેક અંગમાં આંશિક ઉક્ત કથન સમુચિત નથી. મધના પ્રત્યેક અંગમાં આંશિક મદ શક્તિ ન હોય તો તે સમુદાયમાં નથી આવી શકતી. કિવમાં ભૂખ દૂર કરવા અને માથામાં ચક્કર પેદા કરવાની શક્તિ હોય છે. જળમાં તૃષા દૂર કરવાની શક્તિ છે. એ બધી આંશિક શક્તિઓ જ્યારે મળે છે ત્યારે સમ્મિલિત માદક શક્તિ બની શકે છે, અન્યથા નહિ. પૃથક પૃથક્ ભૂતોમાં ચૈતન્ય માન્યા વગર સમુદિત ભૂતોથી ચૈતન્ય પ્રગટ નથી થઈ શકતું. જો ચૈતન્યને ભૂતોના ગુણ માનવામાં આવે તો કોઈનું મરણ ન થવું જોઈએ, કારણ કે મૃત-શરીરમાં પણ પંચ ભૂતોનું અસ્તિત્વ હોય છે, તે પંચભૂત ત્યાં કાયાકાર રૂપમાં છે, પરંતુ ત્યાં ચૈતન્ય નથી જોવા મળતું. મૃત-શરીરમાં વાયુ અને અગ્નિ નથી, તે નહિ કરી શકાતું, કારણ કે મૃત-શરીર ફૂલેલું જોવાય છે, જે વાયુનો સદ્ભાવ સિદ્ધ કરે છે તથા મૃતશરીરમાં મવાદ જોવાય છે, જે અગ્નિનું કાર્ય છે. માટે અગ્નિ ભૂત પણ ત્યાં જોવા મળે છે. પંચ ભૂતોના રહેતાં પણ મૃત-શરીરમાં ચૈતન્યને નથી જોઈ શકાતો. એ સિદ્ધ કરે છે કે ચૈતન્ય ભૂતોનો ધર્મ નથી. લેપ્ય પ્રતિમામાં બધા ભૂતોનો સર્ભાવ હોવા છતાંય એમાં જડતા જ જોવા મળે છે. એમાં ચૈતન્ય નથી જોવાતો, તેથી ખરેખર સિદ્ધ થઈ જાય છે કે ચૈતન્ય ભૂતોનો ગુણ નથી. છતાં આત્માનો ધર્મ છે. આત્માના ચૈતન્ય ગુણના પ્રત્યક્ષ હોવાથી આત્માનું પ્રત્યક્ષ સ્વયં સિદ્ધ છે, કારણ કે ગુણ અને ગુણી કથંચિત્ અભિન્ન છે. માટે આત્માના પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રહણ થવું સિદ્ધ થાય છે. અહં આત્મનિષ્ઠ છે પૂર્વમાં “અહં' પ્રત્યક્ષ રૂપ સ્વાનુભૂતિ અને સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્માની સિદ્ધિ કરવામાં આવી છે. જો કોઈ કહે કે - “તે “અહં' પ્રત્યય શરીર નિષ્ઠ છે, શરીર જ સુખ-દુઃખનો અનુભવ કરે છે.” તો તે કથન ભ્રાંત છે. જો “અહં'થી શરીરનો નિર્દેશ થાય તો “મારું શરીર આ પ્રકારની પ્રતીતિ ન થવી જોઈએ. કોઈપણ વ્યક્તિને “હું શરીર છું' એવી પ્રતીતિ નથી થતી. બધાને “મારું શરીર’ આ રૂપની પ્રતીતિ થાય છે. એનાથી પ્રતીત થાય છે કે આ શરીરનો કોઈ અધિષ્ઠાતા છે. જેમ કે “મારું ધન” કહેવાથી ધન અને ધનવાળો અલગ-અલગ લાગે (૨૮૪) 000000000000000 જિણધામો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy