SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર્વાકદર્શન અને એમનું ખંડના ચાર્વાકદર્શનના પ્રણેતા બૃહસ્પતિ આત્મા કે જીવના અસ્તિત્વને નકારે છે. એમનું મંતવ્ય છે કે - “શરીરથી ભિન્ન કોઈ જીવ કે આત્મા નથી. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુરૂપ ભૂત ચતુષ્ટયની વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયાથી શરીરમાં ચૈતન્યની ઉત્પત્તિ થઈ જાય છે.” જેમ કે મહુડા વગેરે માદક તત્ત્વોના સંયોગથી દારૂ બને છે, અને એમાં માદક શક્તિ સ્વયં પ્રગટ થઈ જાય છે. એ જ રીતે ભૂત ચતુષ્ટયના વિશિષ્ટ સંયોગથી ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે એ ભૂત ચતુય કાયાકાર રૂપમાં પરિણત થાય છે, તો એનાથી ચૈતન્ય અભિવ્યક્ત થઈ જાય છે. જે રીતે જળથી બુબુદ્દ પ્રગટ થાય છે, એમ જ ભૂતોથી ચૈતન્ય પ્રગટ થાય છે. માટે ચૈતન્ય ગુણના કારણે આત્માના પૃથક અસ્તિત્વને સિદ્ધ નથી કરી શકાતું. ચેતન્ય આત્માનો ધર્મ ન થઈને શરીરનો જ ધર્મ છે. માટે જીવનની ધારા ગર્ભથી લઈને મરણપર્યંત ચાલે છે. મરણ કાળમાં શરીર યંત્રમાં વિકૃતિ કે જવાથી જીવન શક્તિ સમાપ્ત થઈ જાય છે. માટે શરીરથી ભિન્ન કોઈ આત્મ દ્રવ્ય નથી. શરીર અને ચૈતન્ય રૂપ આત્મા એક જ છે. જે શરીર છે, એ જ જીવ છે અને જે જીવ છે, એ જ શરીર છે.” જે રીતે દીવાલ પર અંકિત કરેલું ચિત્ર દીવાલ વગર ટકી શકતું નથી, ના તો બીજી દીવાલ પર જાય છે, ન તે બીજી દીવાલથી આવ્યું છે, પરંતુ દીવાલ પર જ ઉત્પન્ન થયેલું છે અને દીવાલમાં જ લીન થઈ જાય છે. એ જ રીતે ચૈતન્ય ગુણ રૂપ આત્મા શરીરમાં જ ઉત્પન્ન થાય છે અને શરીરમાં જ લીન થઈ જાય છે. ના તો તે ક્યાંય બીજા લોકમાંથી આવેલું છે અને ના ક્યાંય બીજા લોકમાં જાય છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સંવેદના છે, એના પછી એનો અભાવ થઈ જાય છે. માટે પરલોકમાં જવા-આવવા આત્મા નામની કોઈ ચીજ નથી. ચેતન્ય ભૂતોનો ધર્મ નથી ચાર્વાકનું ઉપર્યુક્ત મંતવ્ય અને દર્શન નિતાંત મિથ્યા છે. ચૈતન્ય, ચેતના-શક્તિનું જ પરિણામ (ગુણ) હોઈ શકે છે, કોઈ જડ વસ્તુનું નહિ. ભૂત ચતુષ્ટય જડ છે, તેથી એનાથી ચૈતન્યની અભિવ્યક્તિ કેવી રીતે માની શકાય છે? ભૂતોમાં પૃથ્વીના ગુણ કાઠિન્ય (કઠણતા) અને આધાર આપવો છે, પાણીનો ગુણ દ્રવ્યત્વ છે, તેજનો ગુણ પાચન છે, વાયુનો ગુણ ચાલવાનો છે (પંચ ભૂતવાદની અપેક્ષા આકાશનો ગુણ સ્થાન આપવો છે) એ ગુણ ચૈતન્યથી ભિન્ન છે. ચૈતન્યથી ભિન્ન ગુણવાળા પદાર્થોના સમુદાયથી ચૈતન્યની અભિવ્યક્તિ કેવી રીતે થઈ શકે છે ? જેમ કે બાલુકા(રેતી)ના સમુદાયથી તેલની ઉત્પત્તિ થઈ શકતી નથી, એમ જ અન્ય ગુણવાળા પદાર્થોના સમુદાયથી ચૈતન્યની અભિવ્યક્તિ કેવી રીતે થઈ શકે છે? જેમ રેતીના સમુદાયથી તેલની ઉત્પત્તિ નથી થઈ શકતી એમ જ અન્ય ગુણવાળા પદાર્થોના સમુદાયથી અન્ય નવીન ગુણની ઉત્પત્તિ કે અભિવ્યક્તિ નથી થઈ શકતી. રેતીમાં સ્નિગ્ધત્વનો અભાવ છે, તો એના સમુદાયથી અન્ય નવીન ગુણની ઉત્પત્તિ કે અભિવ્યકિત નથી થઈ શકતી. રેતીમાં સ્નિગ્ધત્વનો અભાવ છે તો એના સમુદાયથી સ્નિગ્ધત્વ ગુણવાળું દૂ જીવ તત્ત્વઃ એક વિવેચન કરે ૨૮૩)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy