________________
છે. જો પ્રથમ પદમાં તીર્થકર જ વંદનીય હોય તો પ્રથમ પદની રચનામાં “નમો તિસ્થયરાણ” પદનો ઉલ્લેખ હોત ના કે “નમો અરિહંતાણં'.
ક્યાંક-ક્યાંક સામાન્ય કેવળીઓનો પંચમ પદમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપેક્ષિક દૃષ્ટિથી જ કરવામાં આવ્યો છે. જ્યાં પાંચેય પદોની વિવક્ષા ન કરતાં કેવળ સિદ્ધ અને સંયતી(સિદ્ધાdi નો શિષ્ય, સંગાપ રમવો) ના રૂપમાં બે પદોના અંતર્ગત પંચ પરમેષ્ઠીનું કથન કરવામાં આવ્યું છે, ત્યાં અપેક્ષા વિશેષથી સામાન્ય કેવળી તથા તીર્થકર વગેરે સિદ્ધો સિવાય ચાર પદોને સંયતિ સામાન્ય દષ્ટિએ પંચમ પદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. | તીર્થકરના ગૌરવશાળી પદને પ્રાપ્ત કરનાર દિવ્ય આત્મા મનુષ્ય ક્ષેત્રના પંદર કર્મભૂમિ ક્ષેત્રમાં પરાક્રમી ક્ષત્રિય કુળમાં પોતાની માતાના ચૌદ* દિવ્ય સ્વપ્નો બતાવવા સાથે ગર્ભમાં ત્રણ જ્ઞાન સહિત અવતરિત થાય છે. એમના જન્મ સમયે છપ્પન** દિકકુમારીઓ (દેવીઓ) જન્મ-મહોત્સવ મનાવવા પહોંચે છે. ચૌસઠ ઇન્દ્ર વગેરે અનેક દેવગણ મેરુ પર્વતના પંડક વનમાં નવજાત પ્રભુને લઈ જઈને અતીવ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં એમનો જન્મોત્સવ મનાવે છે. આ ઇન્દ્રોનો જીત વ્યવહાર અર્થાત્ પરંપરાગત આચાર (વ્યવહાર) છે.
અનન્તર તીર્થકરનાં માતા-પિતા હાર્દિક ઉલ્લાસ સાથે જન્મોત્સવ મનાવીને નામાંકન કરે છે. પ્રત્યેક તીર્થકર દીક્ષાગ્રહણ કરતા પહેલાં એક વર્ષ સુધી દરરોજ એક કરોડ આઠ લાખના હિસાબથી ત્રણ અબજ અક્યાસી કરોડ સુવર્ણ મુદ્રાઓનું દાન કરીને બધાની સાથે દાન-ધર્મનો વિશિષ્ટ આદર્શ ઉપસ્થિત કરે છે.
* ચૌદ સ્વપ્નો આ પ્રકારનાં છેઃ (૧) ઐરાવત હાથી (૨) ધોરી વૃષભ (૩) શાર્દુલ સિંહ (૪) લક્ષ્મી દેવી (૫) પુષ્પમાળાઓનું યુગલ (૬) પૂર્ણ ચંદ્રમા (૭) સૂર્ય (૮) ઇન્દ્રધ્વજા (૯) પૂર્ણ કળશ (૧૦) પા સરોવર (૧૧) ક્ષીર સાગર (૧૨) દેવ વિમાન (૧૩) રત્નોની રાશિ (૧૪) ધૂમ રહિત અગ્નિની જ્વાળા. નર્કથી આવનાર તીર્થકરની માતા બારમા સ્વપ્નમાં દેવ વિમાનની જગ્યાએ ભવનપતિ દેવનું ભવન જુએ છે.
છપ્પન દિકકુમારીઓનાં નામઃ (૧) ભોગંકર (૨) ભોગવતી (૩) સુભોગા (૪) ભોગમાલિની (૫) સુવત્સા (૬) વત્સમિત્રા (૭) પુષ્પમાલા (૮) અનિદિતા (આ આઠ અધોલોકમાં રહેનારી છે) (૯) મેઘંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તોયધરા (૧૪) વિચિત્રા (૧૫) વારિષેણા (૧૬) બલાહકા (આ ઊર્ધ્વલોકમાં રહેનારી છે) (૧૭) નંદોતરા (૧૮) નંદા (૧૯) આનંદા (૨૦) નંદીવર્ધના (૨૧) વિજયા (૨૨) વૈજયંતી (૨૩) જયંતિ (૨૪) અપરાજિતા (આ આઠેય પૂર્વરચક પર રહેનારી છે) (૨૫) સમાહારા (૨૬) સુપ્રદત્તા (૨૭) સુપ્રબુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લક્ષ્મીવતી (૩૦) શેષવતી (૩૧) ચિત્રગુપ્તા (૩૨) વસુંધરા (આ આઠેય દક્ષિણ ગુચક પર રહેનારી છે) (૩૩) ઇલાદેવી (૩૪) સુરાદેવી (૩૫) પૃથ્વી (૩૬) પદ્માવતી (૩૭) એકનાશા (૩૮) નવમિકા (૩૯) ભદ્રા (૪૦) સીતા (આ આઠેય પશ્ચિમ રુચક પર રહેનારી છે) (૪૧) અલંબુસા (૪૨) ચિંતકશી (૪૩) પુંડરિકા (૪૪) વારુણી (૪૫) હાસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રીભદ્રા (૪૮) સર્વભદ્રા (આ ઉત્તર રુચક પર રહેનારી છે) (૪૯) ચિત્રા (૫૦) ચિત્રકરા (૫૧) શતેરા (૨) વસુદા મિની (આ ચાર છે) (૫૩) રૂપા (૫૪) રૂપાસિકા (૫૫) સુરૂપા અને (૫૬) રૂપવતી (આ આઠેય વિદિશા સુચક પર રહેનારી છે) (૧૦
) / જય જિણધમો)