________________
જ્ઞાન, અજ્ઞાન કેમ માનવામાં આવે છે? જેમ કે સમ્યગુદૃષ્ટિ નેત્રથી રૂપ વગેરેને જાણે છે એમ જ મિથ્યાદેષ્ટિ પણ જાણે છે. જેમ સમ્યગુષ્ટિ શ્રુતને જાણે છે અને કથન કરે છે, એમ જ મિથ્યાષ્ટિ પણ શ્રુતને જાણે છે અને કથન કરે છે. જેમ કે સમ્યગુદૃષ્ટિ અવધિજ્ઞાનથી રૂપી વસ્તુઓને જાણે છે, એમ મિથ્યાષ્ટિ પણ વિર્ભાગજ્ઞાનથી જાણે છે. એવી સ્થિતિમાં મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન કેમ કહેવામાં આવે છે ? ઉકત પ્રશ્નનું સમાધાન કરતાં આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે - सदसतोरविशेषाद्यदृच्छोपलब्धेरुन्मत्तवत्
- તત્ત્વાર્થ સૂત્ર, અ.-૧, સૂત્ર-૩૨ અર્થાત્ મિથ્યાષ્ટિને સતુ-અસતુનો વિવેક નથી હોતો. એને જે કંઈ જ્ઞાન હોય છે એ યદેચ્છાપલબ્ધ હોય છે - અર્થાત્ એ એના મન તરંગો અનુસાર ચાહે જેવો અર્થ ગ્રહણ કરી લે છે. તે ક્યારેક સાચો પણ હોય છે અને ક્યારેક ખોટો પણ. જેમ પાગલ વ્યક્તિ કે દારૂથી ચકચૂર વ્યકિત ક્યારેક સાચું બોલે છે અને ક્યારેક ખોટું. છતાંય એનું કથન મિથ્યા (ખોટું) જ માનવામાં આવે છે, કારણ કે એનું એ સાચું કથન વિવેકપૂર્ણ નથી બોલવામાં આવ્યું. એ જ રીતે મિથ્યાષ્ટિને સાચી માનવી પણ અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન છે, કારણ કે એમાં સત્-અસનો વિવેક નથી.
લૌકિક દૃષ્ટિથી તો મિથ્યાષ્ટિનું જ્ઞાન, જ્ઞાન જ કહેવાશે, પરંતુ અધ્યાત્મ અને શાસ્ત્રીય સંકેત અનુસાર એ વિપર્યયરૂપ હોવાના કારણે અજ્ઞાન માનવામાં આવે છે. લૌકિક દૃષ્ટિમાં તો વિજ્ઞાન, ગણિત, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સાહિત્ય, વાણિજ્ય વગેરે વિષયોના, વિવિધ કલાઓના, વિવિધ પ્રકારનાં શિલ્પોનું જ્ઞાન, જ્ઞાન સમજાય છે. પરંતુ અધ્યાત્મ શાસ્ત્રમાં જ્ઞાનની કસોટી કંઈક બીજી છે. અહીં જે જ્ઞાન મોક્ષાભિમુખ હોય છે કે મોક્ષમાર્ગમાં સહાયક હોય છે. એને જ જ્ઞાનની કોટિમાં રાખવામાં આવે છે. અક્ષરોની દૃષ્ટિએ એ જ્ઞાન ભલે ઓછું હોય, પરંતુ એ જ્ઞાન કહેવાશે. એના વિપરીત અક્ષરોની દૃષ્ટિએ કેટલું પણ વિસ્તૃત અને વ્યાપક જ્ઞાન કેમ ન હોય, પરંતુ જો તે સંસારાભિમુખ છે, તો અધ્યાત્મની દૃષ્ટિમાં અજ્ઞાન જ છે. જ્ઞાનને આ કસોટી પર કસવાથી સહજ પ્રતીત થઈ જાય છે કે મિથ્યાષ્ટિનું વ્યાપક જ્ઞાન સંસારાભિમુખ હોવાના કારણે અજ્ઞાન છે અને સમ્યગ્દષ્ટિનું અલ્પ જ્ઞાન પણ મોક્ષાભિમુખ હોવાથી સુજ્ઞાન છે. મોક્ષાભિમુખ આત્મામાં સમભાવની માત્રા અને આત્મ વિવેક હોય છે, તેથી એ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમભાવની પુષ્ટિમાં કરે છે, સાંસારિક વાસનાઓની પુષ્ટિ માટે નથી. સંસારાભિમુખ આત્મા ગમે તેટલો વધુ લૌકિક જ્ઞાનવાળો હોય, પણ આત્માના વિષયમાં અણસમજુ હોવાના કારણે એનું સમસ્ત લૌકિક જ્ઞાન આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે.
ઉન્મત્ત મનુષ્યને યત્કિંચિત્ અધિક વિભૂતિ મળી જાય અને ક્યારેક વસ્તુનો સાચો બોધ થઈ જાય, છતાં એનાથી એનો ઉન્માદ વધે જ છે, એમ જ મિથ્યાષ્ટિ આત્મામાં (૨૩૪)))))))))))))) ( જિણધમો)