SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ( જ્ઞાન ઃ માહાભ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા) વિતરાગ પ્રરૂપિત મોક્ષમાર્ગમાં જ્ઞાનનો અનિર્વચનીય મહિમા બતાવ્યો છે. જેન-સિદ્ધાંતમાં જ્ઞાનને પરમ માંગલિક માન્યું છે. મંગળનું પ્રતિપાદન કરતા શ્રી જિનભદ્રગણિ એ ક્ષમા શ્રમણને જ્ઞાનનું ભાવ-મંગલ કહ્યું છે - मंगल महवा नन्दी चउव्विहा मंगलं च सा नेया । दव्वे तूरसमुदओ, भावम्मि य पंच नाणाई ॥ - વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૭૮ જ્ઞાન પંચકરૂપ નંદી ભાવ-મંગલ છે. જે સુખરૂપ હોય, આનંદરૂપ હોય, તેને નંદી કહે છે. જ્ઞાન પંચક નંદી છે. કારણ કે તે પરમ આનંદના સાધનભૂત છે. જે આનંદના સાધનભૂત છે, તે મંગલ છે, તેથી જ્ઞાન પરમ મંગલ-સ્વરૂપ છે. આ આધાર પર જૈન આગમોમાં જ્ઞાનપ્રતિપાદક આગમને “નંદીસૂત્ર' કહેવાય છે. જ્ઞાનોના સ્વરૂપને બતાવનાર આગમને “નંદી'ની સંજ્ઞા આપવી, આ વાતને પ્રમાણિત કરે છે કે જ્ઞાન નંદીરૂપ છે - પરમ આનંદનું સાધન છે, તેથી મહામંગલકારી છે. જ્ઞાન એ ઉજ્વળ પ્રકાશ છે, જે મોક્ષમાર્ગને આલોકિત કરે છે, જે સિદ્ધિના પથને પ્રશસ્ત બનાવે છે. જ્ઞાન એ દિવાકર છે, જે મોહની નિશાના નિબિડતમ અંધકારને દૂર કરી આત્માને અપૂર્વ આત્માથી પ્રકાશમાન બનાવી દે છે. જ્ઞાન એ સુધાકર છે, જે પાપના તાપને મિટાવીને આત્માને સ્વાનુભૂતિની શીતળ રશ્મિઓ દ્વારા આફ્લાદિત અને પ્રફુલ્લિત કરે છે. જ્ઞાન તે નેત્ર છે, જે આત્માની અણમોલ નિધિના સાક્ષાત્કાર કરે છે, જે આત્માના અનંત સૌંદર્યનું દર્શન કરાવે છે. જ્ઞાન એ દર્શન છે, જે આત્માને પોતાના અનંત ચતુટ્ય સ્વરૂપ વૈભવની અપૂર્વ અનુભૂતિ કરાવે છે. શાસ્ત્રકારોએ જ્ઞાન તો સર્વતોમુખી ચક્ષુ તરીકે નિરૂપિત કર્યા છે. કહેવાય છે કે - “UITUાં સવ્વત્તા વઘુ ” જ્ઞાન એવું અદ્ભુત નેત્ર છે, જે આગળ-પાછળ, સામ-સામે, ઉપર-નીચે, આજુબાજુ બધી બાજુ જુએ છે. પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ આદિ બધી દિશાઓ અને અનુદિશાઓને જુએ છે. ત્રિભુવનના સમસ્ત પ્રમેયો, પદાર્થોને જોવાની ક્ષમતા રાખે છે. જ્ઞાનરૂપી નેત્ર ખૂલવાથી જ આત્મિક વૈભવ અને આધ્યાત્મિક જગતના વિરાટ સ્વરૂપ દષ્ટિગોચર થવા લાગે છે. જ્ઞાન દ્વારા સંસાર અને મોક્ષની વસ્તુસ્થિતિની પ્રતીતિ થવાથી સાધના અને આરાધનાના દ્વાર ખૂલે છે, તેથી ‘દશવૈકાલિક સૂત્ર'માં કહેવાયું છે - (૧૫૬)SO SO SO SO SO YO YO YOો છે તેનો જિણધો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy