SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અધિક વિસ્તાર કરે. ગુણોના વિસ્તારથી ધર્મની પુષ્ટિ થાય છે અને સંઘ બળવાન થાય છે. આ પ્રકારે ધર્મના પ્રભાવને ફેલાવવા માટે પ્રયત્ન કરવો પ્રભાવના નામનો દર્શનાચાર છે. ઉપર્યુક્ત આઠ આચારોના દ્વારા સમ્યગ્ગદર્શન પુષ્ટ અને સુશોભિત હોય છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવોને આ આચારોનું પાલન કરવું જોઈએ. આ દર્શનાચારોનું પાલન સમ્યગુષ્ટિ, દેશવિરત અને સર્વવિરતે પોત-પોતાની મર્યાદામાં રહીને કરવું જોઈએ. આ દર્શનાચાર સમ્યગૃષ્ટિ, શ્રાવક અને શ્રમણ ત્રણેના માટે આચરણીય છે. સમ્યક્ત્વનું ગ્રહણ શાસ્ત્રકારોએ “આવશ્યક સૂત્ર'ની અંતર્ગત આવનાર “સમ્યકત્વ સૂત્ર'માં પ્રતિપાદિત કર્યું છે કે – अरिहंतो महदेवो जावज्जीवाए सुसाहुणो गुरुणो । जिण पण्णत्तं तत्तं इय सम्मत्तं मए गहियं ॥ અરિહંત પ્રભુ મારા દેવ છે, સમ્યક પ્રકારથી મહાવ્રતાદિનું પાલન કરનાર સાધુજન મારા ગુરુ છે અને જિનેશ્વર દેવના દ્વારા પ્રરૂપિત તત્ત્વ જ મારો ધર્મ છે - વાવજીવન માટે આ સમ્યકત્વને હું અંગીકાર કરું છું. સમ્યકત્વ, ધર્મરૂપી ભવનની સુદઢ આધારશિલા છે. તેની શુદ્ધિ પર જ વ્રતાદિની શુદ્ધિ અવલંબિત છે. આ તે નેત્ર છે જે મોક્ષમાર્ગનો સાચો માર્ગ બતાવે છે. તેથી જૈન-સિદ્ધાંતમાં સૌથી વધુ મહત્ત્વ સમ્યગ્દર્શનને આપ્યું છે. સમ્યગુદર્શનનો અર્થ છે - વસ્તુના સ્વરૂપને જોવાની, પરખવાની અને સમજવાની દૃષ્ટિ સમ્યક થવી. તત્ત્વના યથાર્થ સ્વરૂપને જાણવું અને એવી જ પ્રતીતિ કરવી જ સમ્યગુદર્શન છે. મૂલતઃ આ સમ્યગુદર્શન આત્માનું સ્વરૂપ છે, એમાં કોઈ સંદેહ નથી કે સમ્યકત્વ આત્માની સ્વયંની જ્યોતિ છે અને સ્વયં જ પ્રજ્વલિત થાય છે. નિશ્ચય દૃષ્ટિથી તે આત્માના તત્ત્વ-શ્રદ્ધાન રૂપ અધ્યવસાયોનું પરિણામ છે અને તે માત્ર અનુભવગમ્ય છે. પરંતુ એકાંત નિશ્ચય દૃષ્ટિનું અવલંબન લેવાથી તત્ત્વ લગભગ અવ્યવહાર્ય જેવો બની જાય છે. નિશ્ચયની સાર્થકતા પણ ત્યારે હોય છે જ્યારે તે વ્યવહારને ધરાતલ પર ઉતારી જવાતો હોય, એવી રીતે વ્યવહારની સાર્થકતા પણ એમાં છે જ્યારે તે નિશ્ચયને પોતાના લક્ષ્યબિંદુમાં સ્થિર કરી ચાલતા હોય. એકાંત નિશ્ચયષ્ટિ અવ્યવહાર્ય થવાથી વીતરાગ પરમાત્માએ નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિએથી તત્ત્વ-નિરૂપણ કર્યું છે. નિશ્ચય દૃષ્ટિથી આત્માના અધ્યવસાયોમાં પ્રગટ થયેલો સમ્યકત્વ જે વ્યવહારના રૂપમાં અભિવ્યક્ત થાય છે, તેનો ઉલ્લેખ આવશ્યક સૂત્ર'ની ઉપર્યુક્ત ગાથામાં સૂત્રકારે કર્યો છે - અર્થાત્ નિશ્ચય સમ્યકત્વને વ્યવહારના માધ્યમથી અભિવ્યક્ત કર્યું છે. એમાં કહેવાયું છે કે હું અહંન્ત પરમાત્માને દેવ રૂપમાં, સુસાધુજનોને ગુરુના રૂપમાં અને વીતરાગ દ્વારા પ્રરૂપિત તત્ત્વને ધર્મના રૂપમાં અંગીકાર કરું છું. આ તત્ત્વ-શ્રદ્ધાન રૂપ અધ્યવસાયથી પ્રગટ થયેલ (૧૨૮) આ જ નો છે જે જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy