SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તો તે મિશ્ર કહેવાય છે અને જ્યારે તેને પૂર્ણ રૂપથી શુદ્ધ કરી લેવામાં આવે છે તો તે સમ્યકત્વ કહેવાય છે. જેમ કોદ્રવનો માદક સ્વભાવ ક્યારેક તો અન્ય ગવ્ય (છાશ) આદિના સંયોગથી નષ્ટ થઈ જાય છે અને કોઈ કોદ્રવ સમયાવધિ વીતવાથી સ્વયમેવ માદકતા રહિત થઈ જાય છે, આ પ્રકાર મિથ્યાત્વના દલિક પણ ક્યારેક તો આચાર્યાદિના ઉપદેશથી પોતાના મોહક યા માદક સ્વભાવને છોડી દે છે, આવી સ્થિતિમાં અધિગમ સમ્યફદર્શન હોય છે. જયારે તેઓ મિથ્યાત્વના દલિક સ્વયમેવ સ્થિતિ પડવાથી કોઈ બાહ્ય નિમિત્ત વગર માદકતા રહિત બની જાય છે. આવી સ્થિતિમાં થનાર સમ્યકત્વ નિસર્ગ સમ્યગુદર્શન કહેવાય છે. આ પ્રકાર ઉક્ત આઠ દેતોના દ્વારા સમ્યકત્વની ઉત્પત્તિને સરળ રીતિથી સમજી શકાય છે. સમ્યગદર્શનના આઠ આચાર : સમ્યગુદર્શનના આઠ આચાર કહેવામાં આવ્યા છે. જેનું આચરણ કરવાથી સમ્યગુદર્શન સુશોભિત થાય છે, પરિપુષ્ટ થાય છે, તેને દર્શનાચાર માનવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર'માં દર્શનના આઠ આચાર બતાવાયા છે. જેમ કે - णिस्संकिय - णिक्कंखिय - णिव्वितिगिच्छा अमूढदिट्ठी य । उववूह-थिरीकरणे, वच्छल्ल पभावणे अट्ट । - ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૨૮, ગા-૩૧ (૧) નિઃશંકિત (૨) નિઃકાંક્ષિત (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢ દષ્ટિ (૫) ઉપવૃહન (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય અને પ્રભાવના - આ આઠ દર્શનાચાર છે. (૧) નિઃશક્તિ ઃ વીતરાગ દેવ ક્યારે પણ અસત્ય અથવા જૂનાધિક કથન કરતા નથી, કારણ કે અસત્ય કથનના જે કારણ હોય છે, તે એમનામાં હોતા નથી. અજ્ઞાનથી, રાગ-દ્વેષથી અથવા ભયથી કથન કરાય છે. વીતરાગ દેવ આ બધા દોષોથી અતીત થઈ ચૂક્યા છે. તેઓ સંપૂર્ણ દ્રવ્ય-પર્યાયને વિષય કરનાર નિર્મળ વિશુદ્ધ કેવળજ્ઞાનથી યુક્ત છે. તે રાગ-દ્વેષના વિજેતા અને અનંત શક્તિસંપન્ન હોવાથી નિર્ભય છે. તેથી અસત્ય કથનનાં કારણોનો અભાવ હોવાથી વિતરાગ દેવના વચન સત્ય જ હોય છે. એમના નિર્મળ કેવળજ્ઞાનમાં પદાર્થ જે રૂપમાં પ્રતિભાસિત થયો છે, એ પ્રકારે તેને પ્રરૂપિત કર્યો છે તેથી ‘તમેવ સā vfié, ગં નિહિં પરૂ' જિનેશ્વર ભગવંતોએ જે કહ્યું તે સત્ય છે, નિઃશંક છે - એવી દઢ આસ્થા હોવી નિશંક્તિ આચાર છે. આગમનો મર્મ ખૂબ ગહન છે. એમાં પ્રતિપાદિત અનેક સૂક્ષ્મ વિષય એવા છે જે છમસ્થો અથવા અલ્પજ્ઞોની બુદ્ધિની પરિધિથી બહાર હોય છે. જે પ્રકારે સાગર ગાગરમાં સમાઈ શકતો નથી, તેવી રીતે સાગરના જેવા ગહન-ગંભીર વિષય અલ્પજ્ઞોના અલ્પજ્ઞાન ગાગરમાં સમાઈ શકતા નથી. તેથી તેના સંબંધમાં શંકાઓ થઈ શકે છે. જ્યાં સુધી સંભવ (૧૨૪) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 ( જિણધામો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy