________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
ચંદ્રાવતીને રાજા બહુ માનતા હતા, કપટના પાપને પ્રતાપે, તેને પુત્ર ન થયેા. કમલમાલાએ રાત્રે ઉંઘમાં દિવ્ય સ્વપ્ન જોયુ, અને તે રાજાને કહ્યું કે–મે સ્વપ્નમાં જોયું કે આદીશ્વર ભગવાને કહ્યું કે આ શુકને લે, પછી હુંસને આપીશ. એમ કહીને મને શુક આપ્યા. રાજાએ કહ્યુ' તને એ તેજસ્વી પુત્ર થશે. રાણીને આનંદ થયા. ગર્ભ ક્રમે વધવા લાગ્યા, અવસરે પુત્ર જન્મ્યા. રાજાએ તેનું નામ શુકરાજ પાડ્યું.
રાજા ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં આમ્રવૃક્ષ નીચે બેઠા. રાજા બોલ્યા કે આ વૃક્ષ પરથી શુકે મને કહ્યુ અને તેની પાછળ, તારે ત્યાં આવીને, તને પરણ્યા. આ વખતે રાજાના ખેાળામાં બેઠેલા શુકરાજ તે વાત સાંભળીને પૂર્વીના સ્મરણથી મૂતિ થઇને જમીન પર પડ્યા. રાજા વગેરે આકુલ વ્યાકુલ થઈ ગયા. ચેતનામાં શુકરાજ આવ્યા પણ પ્રફુલિત ન થયા. અને મૌનપણું ધારણ કર્યું. રાજારાણીને ઘણું દુઃખ થયું. ઘણા ઉપચાર કર્યા પણ ન જ ખેલ્યા.
કૌમુદી મહાત્સવ
એક દિવસ કૌમુદી મહેાત્સવ આવ્યેા, રાજા વગેરે બધા ઉદ્યાનમાં ગયા. એટલામાં એક જગા પર દુંદુભીના અવાજ સાંભળ્યેા. તપાસતાં ખબર પડી કે શ્રીદત્તકેવલી પધાર્યા છે. પુત્રની પરિસ્થિતિ અંગે પુછવાની ઇચ્છાથી કેવલી પાસે ગયા. દેશના સાંભળી. પછી રાજાએ શ્રીદત્તકેવલી ભગવંતને પુછ્યુ કે શુકરાજ કેમ ખેલતા નથી ?
આથી કેવલી મહારાજે તેને કહ્યું: હું શુકરાજ ! વિધિપૂર્વક તુ વંદન કર, એટલે તેને મોટા અવાજે, ગુરુ મહારાજને વંદન કર્યું. બધાને આશ્ચર્ય થયું.
રાજાએ પુછ્યુ. પ્રભુ આમ કેમ ? ગુરુ મહારાજે જણાવ્યું કે પૂર્વભવનુ કારણ છે તે વિચાર કે પૂર્વભવમાં જે પત્નીઓ હતી. તેને માતા પીતા કેમ કહું ? આથી તે ખેલતા ન હતા. પૂર્વભવમાં હુંસી હતી તે મૃગધ્વજ રાજા થયેા. સારસી હતી તે કમલમાલા થઈ. જીતારી રાજા, જે 'સીને સારસીને પતિ હતા, તે ક્રમે આ શુકરાજ થયા, એથી તે વિચારે કે રાણીએને માતા પીતા કેમ કહું, તેથી એ મૌન થયા હતા. ગુરુ મહારાજે કહ્યુ કે હે શુકરાજ ! સ'સારની ઘટમાલ આવી જ છે, આમ સાંભળીને શુકરાજ માતાપીતા કહેવા લાગ્યા.
કમલમાલાને બીજો પુત્ર
કૅમલમાલાને હંસરાજ નામે બીજો પુત્ર થયેા. એક વખત રાજા સભામાં બેઠા હતા ત્યારે ગાંગલી ઋષિ આવ્યા. કુશલ ફ્રેમ વાર્તા થઈ. સૌને આનંદ થયા, રાજાએ વિમલાચલ તથા
(૨૨)