SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. સમ્યકત્વ-અધિકાર. ૩૧ ખાસ પ્રયેાજનભૂત છે; ભ્રાંતિ એજ મિથ્યાત્વ, અને વસ્તુને યથાર્થ આપ તે સમ્યકત્વ છે; કેમકે આ જગત્માં ભ્રાંતિથીજ એક વસ્તુમાં અન્યત્રના આરાપ થાયછે, આત્મામાં અનાત્મને અને અનાત્મામાં આત્માના આરોપ, તેમજ તે આરોપનાં અનેક પ્રકારનાં સ્વરૂપે માત્ર ભ્રાંતિને લઇનેજ પ્રકટેછે. આત્મા ઉપ થી ભ્રાંતિનું આવરણુ ન્યૂન અશમાં ખશી જવું તેજ સમ્યક્ત્વ છે; અને અભ્રાંતિ થયેલ ન્યૂન અંશ, સર્વાશ ને બ્રાંતિરહિત પદે અર્થાત્ કૈવલ્ય કોટિમાં લાવી મૂકે છે; વસ્ત્રના એકજ તાંતણા સળગાવતાં જેમ ધીમે ધીમે આખું વજ્ર ભસ્મીભૂત થાયછે, તેમ આત્મબ્રાંતિનું આવરણ એક અંશમાં ખસી જતાં સર્વ આવરણુ વિલય થઈ જવા ચેાગ્ય છે; બીજના ચંદ્ર જેમ ક્રમે ક્રમે પૂર્ણિમાના ચંદ્રમામાં રૂપાંતર પામેછે. તેમ ભ્રાંતિના વિલય થકી ખીજજ્ઞાન ક્રમે ક્રમે કૈવલ્યના પ્રાપ્ત થવા ચેાગ્ય છે, અને એટલાજ માટે સમ્યકત્વને શાસ્ત્રકારોએ તેને ખીજ જ્ઞાનના નામથી એટલે આવી રીતે પરમ રહસ્યમય સંકેત માર્મિક રીતે સ્પષ્ટ કર્યાં છે; હવે પૂર્વોક્ત ભ્રાંતિ જે અનાદ્દિકાળથી જીવને પુલિક પદાર્થાને વિષે આરોપિત સુખના ભ્રમરૂપ, માયારૂપ, મેહવિકળતારૂપ, વિત રહી છે, અને જેને ચેાગે આ જીવ જન્મમરણુરૂપ અનંત વ્યાધિને જે અનાદિની ભૂલને લીધે ભોગવી રહ્યા છે, તેનું કાંઇક સ્વરૂપ વિચારીએ :—મિથ્યાત્વ શ્રદ્ધાનથી, નિયવસ્તુને અનિત્ય, અને અનિત્યવસ્તુને નિત્ય માનેછે, પેાતાથી ભિન્ન છે તેને અભિન્ન માનેછે, દુઃખના કારણુને સુખનું કારણુ અને સુખના હેતુને દુઃખના હેતુ માનેછે, આવા અયથાર્થ શ્રદ્ધાજન્ય મેહાયથી ઉપજતા કષાયભાવને પેાતાના સ્વભાવ માનેછે, કષાયભાવ પેાતાના જ્ઞાનદર્શને પયેાગથી ભિન્ન ભાસતા નથી; તેનું કારણ એજ છે કે મિથ્યાત્વના આશ્રય, (ચારિત્ર) જ્ઞાન, અને દર્શન, એ ત્રણેને આધારભૂત એકજ આત્મા છે, અને એ ત્રણનું પારેણુ મન એકજ સમયે થતું હોવાથી તેનું ભિન્નપણું તેને જણાતું નથી; મિથ્યાદર્શનનું બળ જ્યાંસુધી પ્રવતું હેાય ત્યાંસુધી ક્રિયા અને જ્ઞાન દશનાપ્રયોગનુ હાવું સંભવતું નથી, અને મિથ્યાત્વજનિત કષાયભાવની આકુળતાને લીધે આ જીવને વર્તમાન સમયે નિમિત્તભૂત પદાર્થાંમાં સુખદુઃખદાયકપણાનું ભાન થયા કરેછે, પેાતાના મિથ્યાત્વ કષાયભાવથી ઉત્પન્ન થયેલાં દુ:ખને આરોપ પાતાની ઇચ્છાનુસાર પદાર્થમાં કરેછે; દુઃખ તેા ખરી રીતે ક્રોધથી પેદા થાયછે; પરંતુ પેાતાના ક્રોધથી ઉત્પન્ન થયેલા દુઃખનેા હેતુ, જે ક્રોધ છે તેને બદલે ક્રોધના નિમિત્ત કારણને દુઃખદાતા માનેછે, તેજ પ્રમાણે લેાા, માન, માયા, વિષય, કદાગ્રહ, ઇર્ષ્યા, મત્સરાદિ દાષાજ પેાતાને દુઃખના ખરા કારણ છે, તેને ન દેખતાં મિથ્યાત્વના જોરે એટલે અનાદિ કાળની પરવસ્તુને પરપુલિક દૈદિભાવને વિષે, મારાપણાની બુદ્ધિને ચેાગે, નિમિત્તેાને દુઃખના હેતુ માનેછે, મૂર્ખ મનુષ્ય, પેાતાના ઉપર લાકડાને પ્રહાર કરનારને નિહ કરડતાં જેનાથી પ્રહાર થયા છે, તેવી નિમિતભૂત લાકડીને કરડવા દોડનાર, શ્વાનના જેવી ચેષ્ટા દર્શાવેછે, આવી ભ્રમિત દશાને ત્યાગ કરીને સમ્યગ્દષ્ટ મહા
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy