SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ-ભાગ ૨ જો. નવસ ઘણેાજ બુદ્ધિશાળી છતાં જો પુરૂષ વિભવહીન હાય તા ઘી, તેલ, મીઠું, અન્ન, વસ્ત્ર, ઇન્ધન વિગેરેની સદાકાલ ચિંતાથી તેની બુદ્ધિ હુણાઈ જાય છે. ૧૦. જે સુખનાં સાધનો તે દુઃખનાં હથિયારા બનેછે. ૧ शालिनी ૪૦૨ वीणा वंशचन्दनं चन्द्रमासः, शय्या यानं यौवनस्थास्तरुण्यः । नैतद्रम्यं क्षुत्पिपासादितानां, सर्वारम्भास्तण्डुल' प्रस्थमूलाः ॥ ११ ॥ વીણા તથા સુંદર વાજીત્ર હાય, શીતલ ચંદન, ચન્દ્રને પ્રકાશ સુદર હાય, શય્યા હાય, વાહન હાય, નવ્યાવનાસ્ત્રીએ હોય તેપણ ક્ષુધા તૃષાથી પીડિતને તે કંઇ રૂચતુ નથી. એ સમગ્ર સમારશે! શેર અન્નની પાછળ છે (જો અન્નની ચિંતા ન હોય તે તમામ રૂચિકર થાયછે). ૧૧કાલીદાસ કવિ દરિદ્રતાથી અજ્ઞાત. ૩૫નાતિ (૧૨ થી ૪). મ कोहि दोषो गुणसन्निपाते, निमज्जतीन्दोरिति यो बभाषे । नूनं न दृष्टं कविनापि तेन, दारिद्र्यमेकं गुणकोटिहारि ॥ १२ ॥ ઝાઝા ગુણુમાં એક દોષ ડુબી જાયછે એટલે ગણત્રીમાં આવતા નથી એમ કવિ કાલીદાસનું કહેવું છે. પણ તેણે કરોડો ગુણ્ણાના નારા કરી નાખનારૂં દારિદ્ર જોયું જણાતુ જ નથી. સારાંશ—જેમ ચદ્રષ્ટિ ખમાં રહેલી કાળાશ, શીતકર અને ઉજવળ તેમના ( ચંદ્રના) પ્રકાશને લીધે દોષરૂપે ગણાતી નથી તેમ એક અવગુણુ પુષ્કળ ગુણુમાં દોષરૂપે ન ગણાય એમ કવિની માન્યતાનેા અહીં આક્ષેપ કરવામાં આવે છે; કારણકે દારિદ્ર સર્વ ગુણુનાશક છે. - ૧૨. ગરીખ કોઇના ઉપર મહેરબાની બતાવે કે કાપ કરે એ સર્વે નિષ્ફળ છે. धनैर्विमुक्तस्य नरस्य लोके, किं जीवितेनादित एव तावत् । यस्य प्रतीकारनिरर्थकत्वात्कोपप्रसादा विफलीभवन्ति ॥ १३ ॥ १ मात्तौ गौ चेच्छालिनी वेदलोकैः । મગણુ, લેંગણુ, તગણુ, એ ગુરૂ અક્ષરી મળી અગીઆર અક્ષરનું એક-ચરણ થાયછે એવાં ચાર ચરણ મળી જ્ઞાહિની છંદ કહેવાયછે, ચેાથે તથા સાતમે અક્ષરે યતિ આવેછે. ૨ પ્રસ્થ એટલે ૬૪ તાલાભારનું ૧ માપ થાયછે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy