SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ પરિચછેદ. ધનદેષ-અધિકાર. - સારાંશ—જે માણસને ધનપ્રાપ્તિ થાય છે તે વિવેકનો ત્યાગ કરે છે. એટલે કેઇનું સાંભળતું નથી, ત્યારે પ્રત્યુત્તર તે ક્યાંથીજ આપે? ગરીબની સામું જેતે નથી, અવળ સવળું શરીર મરડો અને અભિમાનની ચેષ્ટા કરતે ચાલે છે. ૧૩. - ધનવાને નિષ્ફળ અહંકાર. लक्ष्म्या परिपूर्णोऽहं, न भयं मेऽस्तीति मोहनिद्रैषा । परिपूर्णस्यैवेन्दोर्भवति भयं सिंहिकासूनोः ॥ १४ ॥ હુ પૂર્ણ લક્ષ્મીવાળો છું, માટે મારે કઈ ભય નથી, એમ જે ધનવાની માન્યતા છે. તે મેહનિદ્રા છે. કારણકે પૂર્ણચંદ્રમાને જ રાહુથી ભય રહેલે છે. સારાંશ-જેમ પૂર્ણચંદ્રવિના ગ્રહણ થતું નથી એટલે પૂર્ણિમાના સર્વ કળાસંપન્ન ચંદ્રને રાહુ પીડે છે; તેમ લક્ષમીથી ભરપૂર ગૃહસ્થને જ બીજાઓથી ભય રહ્યા કરે છે. ૧૪. ધનાધનો ત્યાગ. मात्रासमक. वरमसिधारा तरुतलवासो, वरमिह भिक्षा वरमुपवासः। वरमपि घोरे नरके पतनं, न च धनगर्वितबान्धवशरणम् ॥ १५॥ તરવારની ધાર સારી, વૃક્ષ નીચે વસવું સારૂં, ભિક્ષા માગવી પણ સારી, ઉપોષણ કરવું સારું અને ભયંકર નરકમાં પડવું પણ સારું, પરંતુ ધનથી બહેકી ગયેલ બંધુને શરણે (આશ્રય લેવા) જવું તે સારૂં નથી. ૧૫. એક જ વસ્તુ એકને સુખરૂપ અને બીજાને દુઃખરૂપ ભાસે છે. માત્રિની. धनमपि परदत्तं दुःखमौचित्यभाजां, भवति हदि तदेवानन्दकारीतरेषाम् । मलयजरसबिन्दुबांधते नेत्रमन्त નથતિ ર સ gવામન્યત્ર જાગે ૨૬ * આ છંદનું લક્ષણ પત્ર ૧૫૯ માં પાદાકુલક છંદના પટાભાગતરીકે સ્પષ્ટ થઈ ગયું છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy